SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણીજનેની કદર. ૧૪૯ अनेक शास्त्रार्थ विलोकनानि चातुर्यमूलानि भवंति पंच ॥१॥ ૧ દેશાટણ, ૨ પંડિતની મિત્રતા, ૩ વારાંગનાને પરિચય, ૪ રાજસભામાં પ્રવેશ અને ૫ અનેક શાસ્ત્રનું અવલોકન, એ પાંચ ચાતુર્યનાં મૂળ છે. આ સુભાષિત બેલી તેણે હૃદયમાં પોતાના પ્રબળ સાહસને જાગૃત કર્યું. પાછો વિચાર કર્યો છે, તેમ કરવાથી કેવું ફળ મળશે ? તે તે કમાધીન છે. કદિ વિપરીત ફળ થાય, તો પછી શું કરવું ? લેકમાં હાસ્ય તો નહીં થાય? આટલું વિચારતાં શ્રીચંદ્રને પાછું એક સુભાષિત યાદ આવ્યું, તે પિતાના સંગીતમય કંઠમાંથી બે. ताशी जायते बुद्धियवसायाश्च तादृशाः । सहायास्तादृशा ज्ञेया यादृशी भवितव्यता ॥१॥ જેવી ભવિતવ્યતા હોય, તેવીજ બુદ્ધિ થાય, તેવાજ ઉગ સુઝે, અને તેવી જ સહાય મળે. ૧ આ પ્રમાણે ચિંતવ્યા પછી તેણે નિશ્ચય કર્યો કે, હવે પિતૃનિવાસ ગૃહમાં રહેવું યોગ્ય નથી. આજ રાત્રે ગુપ્ત રીતે ચાલ્યા જવું, કોઈને કહેવું નથી. મિત્ર ગુણચંદ્રને પણ ખબર આપવા નહીં, રખે તે મારી પાછળ આવે. એ સહદય મિત્ર મારાથી કદિ પણ જુદે પડશે નહીં. પુનઃ પાછો વિચાર થયો, પણ પ્રાણપ્રિયા ચંદ્રકળાનું શું થાય ? એ પદ્મિની આશા ભરી આવાસમાંજ પડી રહે, અને મારા અચાનક વિયેગામમાં પ્રજ્વલિત થાય, તે મુગ્ધાને છેતરવી તે પણ અનુચિત છે. એ પતિપ્રાણુને મહા કષ્ટ આપવું તે પણ પાપને હેતુ છે. તેને મળવું જોઈએ. એ પ્રેમ ઉમંગી અબળાના અંત:કરણની આશીષ સંપાદન કરવી જોઇએ. આવા અનેક વિચારની શ્રેણીને પ્રકટ કરતે શ્રીચંદ્ર ઘણી વાર સુધી એકાંતે રહ્યા. છેવટે તેના હૃદયને નિર્ણય ચંદ્રકળાને મળવાને થે. આ પ્રમાણે શ્રીચંદ્ર નિર્ણય કરી રહ્યા, તેવામાં મિત્રવર્ષ ગુણ ત્યાં આવી પહોંચ્યો. તેની મુખમુદ્રા ઉપર હર્ષના અંકુર પુરી રહ્યા હતા. તેણે આવી શ્રી ચંદ્રને ઉતાવળા કહ્યું, ભાઈ શ્રીચંદ્ર ! આજે એક ગુપ્ત વાર્તાનો પ્રકાશ થયેલ છે. તે સાથે તમારી ચિંતાને અત આવ્યો છે. શ્રી ચંદ્ર ઉત્સુક થઈ બેલ્યો-મિત્ર ! તે શું છે ? સત્વર જણાવ. તમે પેલા વીણાવને રથનું ઇનામ આપ્યું, અને બીજા ભાટ કવિઓને મેટાં ઇનામ આપી પાછા વળ્યા, તે પછી સમાજ વિસર્જન થયે હતું. તે વખતે હું મારે ઘેર ગયે, ક્ષણવાર બેઠક તેવામાં તે વીણારવ મારે ઘેર આવ્યો. તેના મુખ ઉપર પશ્ચાતાપનાં ચિહે જણાતાં હતાં, તેણે અંજલી જોડી કહ્યું, પ્રિય ગુણચંદ્ર !તમારા માનવંતા અને ઉદાર હૃદયના મિત્ર શ્રીચંદ્રકુમારે મને રથ આપી દીધે; તે તેમની ઉદારતાને જેટલે ધન્યવાદ આપીએ, તેટલો થોડ છે, પણ મને તે પશ્ચાતાપનું કારણ થઈ પડેલ છે. મારા જેવા ગાયકને તેવો રથ અનુચિત - આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy