SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૮ આનંદ મંદિર. તમારા પ્રસાદથી મારે કાંઈ પણ ન્યૂનતા નથી. પૂજ્ય પુરૂને પ્રસાદ કલ્પવૃક્ષની જેમ વાંચ્છિત ફળ આપે છે, તેથી આ વિષે જરાપણ ચિંતા કરશો નહિ. કુમારનાં વચન સાંભળી લક્ષ્મીદા શેઠ જરા શાંત થયા, પણ તેના હૃદયમાંથી એ દિવ્ય રથને લાભ ઓછો થયો નહીં. સ્વજાતિને સ્વભાવે તે પાછા શ્રીચંદ્ર પ્રત્યે બોલ્યા-કુમાર ! તમે કહ્યું, તે યોગ્ય છે; પણ આવો દિવ્ય રથ તેવા સાધારણ ગાયકને આપી દે, તે મને યોગ્ય લાગતું નથી; ગમે તેમ કરીને પણ તે ૫છે તે જોઈએ. આપેલી વસ્તુ પાછી ન લેવાય, એ ન્યાય રાજાઓને છે, આપણે વણિકને શું છે ? આપણે તે એક વ્યાપારી કહેવાઈએ. કોઈ યુક્તિ કરીને પણ તમારે તે રથ પાછો લેવું જોઈએ. પિતાના આવા અયોગ્ય વિચાર જાણી, શ્રી ચંદ્રના હૃદયમાં ક્ષોભ થયો, પોતે મૂળ ક્ષત્રિય જાતિને હોવાથી તેના મનને તે વાત જરાપણુ રૂચી નહિ કાંઈ પણ ઉત્તર આપ્યા વિના શ્રીચંદ્ર ચાલ્યો ગયો. પિતાના એકાંત રથાનમાં આવીને તે આ પ્રમાણે વિચાર કરવા લાગ્યો. આહા ! લાભ શું નથી કરતો ? લેભરૂ૫ રાક્ષસ જેને વળગ્યો હોય, તે પુરૂષ રાક્ષસજ બની જાય છે. સદૂગુણરૂપ અમૃતમાં લેમ એ વિષબિંદુ છે, ઉદારતા જેવા દિવ્યા ગુણને એ સદાને માટે કલંકિત કરે છે, અકાર્ય કરવાની પ્રેરણા લેભજ કરાવે છે, લેભના મલિન સંસર્ગથી ગમે તે પ્રતિષ્ટિત કે માન પામેલે પુરૂષ અધમ વૃત્તિને અંગીકાર કરે છે. પ્રાચીન વિદ્વાનેએ લેભને પાપનું મૂળ કહ્યું છે, તે બરાબર છે. લોભારૂપ મૂળને આધારે વૃદ્ધિ પામેલું પાપરૂપ વિષક્ષ પ્રાણીને મહાન હાની કરે છે, એ વિષક્ષની છાયા નીચે રહેલાં પ્રાણી અનેક જાતની યાતનાઓ વેઠે છે. પિતાજીને એવા અધમ લેભને સંગ થયો છે, એથી તેઓના હૃદયમાંથી વિપરીત વિચારમાળા પ્રગટ થાય છે. સર્વ રીતે મારે પિતાજી પૂજ્ય અને માન્ય છે, તેમની આજ્ઞા મારે શિરોધાર્યું છે, પણ આ વખતની આજ્ઞાને માન આપવું, તે મને યોગ્ય લાગતું નથી. જે હું તેમની આજ્ઞાને માન નહીં આપું, તે પિતાશ્રીને ખોટું લાગશે, અને કદિ નહીં બનેલ તે વિપરીત પ્રસંગ મને. પ્રાપ્ત થશે, માટે હવે અહીંથી ચાલ્યા જવું જ યોગ્ય છે. આવી પરાધીનતામાં પડયા રહેવું, તે યોગ્ય નથી. આવું ચિંતવ શ્રી ચંદ્રકુમાર આસન ઉપર બેઠે હતો, અને તે નીચેના સુભાષિતને મધુરતાથી બેલવા લાગે – को विदेशः सुविद्यानां किं दूरं व्यवसायिनाम् । कोऽतिभारः समर्थानां क:परः प्रियवादिनाम् ॥ १ ॥ સદવિવાવાળાને વિદેશ કરે છે ? ઉગીને દૂર શું છે? સમર્થને અતિ ભાર છે છે, અને પ્રિયવાદીને શત્રુ કોણ છે ? ૧ શ્રીચંદ્ર પુનઃ બીજું સુભાષિત બોલ્યો – देशाटनं पंडित मित्रता च . वारांगना राजसभा प्रवेशः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy