________________
ગુણીજનોની કદર.
૧૮૭ તે પછી સોમેશ્વર, વિરેશ્વર, મહેશ્વર, માધવ, ભૂધરેશ્વર, વિગેરે કવિઓ એ શ્રી ચંદ્રની કીર્તિનું યશગાન ઘણી છટાથી કરવા માંડયું. ઉદાર દિલના શ્રીચંદે તેઓને ઈનામમાં ઘણું દ્રવ્ય આપ્યું, આ સમયે શ્રીચંદ્રકુમારે કેટીગમે સુવર્ણ અને રત્નનાં ઇના આધાં. તેની અપૂર્વ ઉદારતા, જોઈ, લેક ચકિત થઈ ગયા. સમાજ વિસર્જન થતાં આખા નગરમાં શ્રી ચંદ્રની ઉદારતાની પ્રસંશારૂપ સરિતાના પ્રવાહ વેગથી છુટવા માંડયા. ચટા, ચેક, શેરીએ શેરીએ, અને ઘેર ઘેર તેનીજ વાર્તા પ્રવર્તવા લાગી, શ્રી ચંદ્રની ઉદારતની કીર્તિને મહાધ્વજ નગરીની ચારે તરફ ફરકવા લાગે..
આ વાર્તા શેઠના સાંભળવામાં આવી કે, શ્રીચકે, એક ગાયકને સુવેરા રથ અધ સહિત આપી દીધે; તે સાંભળી શેઠને ચિંતા થઈ કે, કુમારે ખરેખર દિવ્ય રત્ન ગુમાવી દીધું. પુનઃ ઘણું દ્રવ્ય પ્રાપ્ત થશે, પણ એ અશ્વની જોડ અને રથ મળશે નહીં. આવું ચિંતવી શેઠે શ્રીચંદ્રને તેડાવ્યો, અને એકાંતે લઈ જઈ કહ્યું, વત્સ ! તું ભાગ્યશિરોમણી છે, આપણા કુળનું આભૂષણ છે, તે ઘણાં દાન આપ્યાં, તેથી મને સંતોષ થયે છે; પણ તેમાં જરા વિવેકદષ્ટ રહી નથી, ગમે તેવા પણ આપણે ગૃહસ્થ વ્યાપારી કહેવાઈએ. રાજસભામાં રાજાથી અધિક દાન દેવું, તે આપણને ઘટે નહીં. વળી આપણે એ રાજાના તાબામાં રહેવું છે, કદિ રાજાના હૃદયમાં જુદા વિચાર થયા, તે પછી, આપણને મોટી હાનિ થાય. ભદ્ર ! મારા સાંભળવામાં આવ્યું છે કે, રાજકુમાર જયંત વિગેરેની તારા ઉપર ઇતરાજી છે, તારો ઉત્કર્ષ જોઈ તેઓ હદયમાં પ્રજવલિત થાય છે, તેઓ હમેશાં આપણું છળ જોતા રહે છે, ધીર પ્રધાને પણ એક વાર તે વિષે સૂચના કરેલી છે. વણરવ ગાયક રાજકુમારને મળી ગયો હોય, અને તેની દ્વારા માટે સમાજ કરાવી તારી પાસેથી રથ રત્ન ખેંચાવી લીધું હોય, તો પણ સંભવિત છે. તમારે મોટી ઉદારતા દર્શાવવા બીજી ગમે. તે વસ્તુઓ અથવા કટીગમે દ્રવ્ય આપી દેવામાં પાછું પડવું ન હતું, પણ આ દિવ્ય રથ. આપીને. આપણે સાધન રહિત થયા છીએ.
સુજ્ઞ કુમાર ! જે હજી બને તે બીજાં ગમે તે આપી વણારવની પાસેથી તે સુવેગે રથ પાછો લઈ લે. એ ગાયક ગમે તે સંગીતને વિદ્વાન હોય, પણ તે એ રથને અધિકારી નથી. જો આ રથ રાજાને આપ્યો હતો, તે તે ઉચિત કહેવાત. મહારાજા આપણી એ દિવ્ય ભેટથી પ્રસન્ન થાત, અને કોઈ વાર તેને ઉત્તમ બદલે આપણને પ્રાપ્ત થાત.
લક્ષમીદત્ત શેઠનાં વચન સાંભળી શ્રી ચંદ્રકુમાર વિનયથી બે, પિતાજી! તમારા વચન મારે માન્ય છે, તમારી આજ્ઞા મારે મસ્તકથી વંદનીય છે, અને તમે મારા પરમ પૂજ્ય છે, તથાપિ દીર્ધદૃષ્ટથી વિચાર કરે. યાચકને આપેલું દાન પાછું કેમ લેવાય? હવે તેની પાસેથી લઈ રાજાને આપવું, તે પણ કેવું અનુચિત કહેવાય ? પિતાજી ! જે આપણે તેમ કરીએ, તે લેકમાં આપણું હાંસી થાય, એવું હાસ્યોત્પાદક કાર્ય શી રીતે થઈ શકે ? જનસમાજ વચ્ચે આપેલું દાન પાછું લેવું, તે કેવું નિંદનીય કામ ? પૂજ્ય પિતા ! એ રથ અને અન્ય મને લાગ્યથી પ્રાપ્ત થયાં હતાં, જે ભાગ્ય હશે તે પાછાં પ્રાપ્ત થશે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org