SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણીજનેની કદર. ૧૪૫ હિમાલ્ય છે. અમરનામ અને અવિચળ કીર્તિ એ ઉદારતાથી સ્થાપિત થાય છે. ઔદાર્યના ગથી પુરૂષાર્થની પ્રબળતા પ્રગટ થઈ શકે છે. ઉદાર પુરૂષનાં જીવનચરિત્ર અદ્યાપિ વ. તા અને શ્રોતા બંનેને સાનંદાશ્ચર્ય કરે છે. ઉદારતા વિના ઉત્તમ પુરૂષો આ ક્ષણિક છે. વનને ઉચ્ચ ગતિમાં મુકી શકતા નથી. ઉદારતાના આલંબનથી પરુષેય ખરેખરૂં કૃતાર્થ થઈ શકે છે. ઔદાર્વરૂપ સુગંધી પુષ્પગુચ્છ તેની સુવાસ સર્વ સ્થળે પ્રસરાવે છે. ઉદારતા એક અભુત ચમત્કારી વશીકરણ વિદ્યા છે. ઔદાર્ય ગુણથી દાનનું પવિત્ર પુણ્ય ઉપાર્જન થાય છે. તીર્થકર જેવા મહાત્મા ભગવંત પણ એ ગુણને માન આપે છે. અહંત પ્રભુ વગ્રહણુની પૂર્વે વાર્ષિક દાનમાં એ મહાન ગુણને પ્રકાશ કરે છે. જે કાળે ગીર્વાણ પતિઓ અહેદાનમ હોદાનમ” એવા દિવ્ય વનિથી ગગનમાર્ગને ગજાવી મુકે છે, એ અદ્દભુત પ્રભાવ ઉદારતાને છે. ઉદારતા એ ત્યાગ શબ્દની અંતરંગ ખુબીને દર્શાવે છે. દ્રવ્યમૂછને દૂર કરી બને તૃણવત ગણી, ઘણું મહાશયોએ ઉદારતાની પ્રભાવના કરેલી છે. આ ઔદાર્ય ગુણ શ્રીચંદ્ર ધારણ કરતો હતો, તેથી તેણે પિતાને દિવ્ય રથ વીણરવ ગાયકને અર્પણ કરી દીધે. વણારવ ઘણજ ખુશી થશે. પિતાની ઈચ્છા પૂર્ણ થઈ તેના માટે તેના હૃદયમાં ઉત્સાહ ઉત્પન્ન થયે. શ્રીચંદ્રની ઉદારતા જોઈ, તે ચકિત થઈ ગયો. સર્વ સમાજની સમક્ષ વીણાવે રથ અંગીકાર કર્યો. રથ આપ્યા પછી શ્રીચંદ્ર તેની ઉપર કેટલાંએક કીંમતિ વસ્ત્રાભૂષણ ભેટ કર્યો. તેને આ વિવેક જોઈ સભાની અંદર બેઠેલા બીજા ભાટ કવિઓ શ્રીચંદ્રની પ્રશંસા કરવા લાગ્યા. તેમાંથી એક ભા2 કવિ નીચેનું કવિતા – ધીરવીર કથીર, દાન શિર મુગટ સમાણો, તહારે સુજશ કલાપ, વિશ્વ સવિ ઉજ્વલ જાણે, કાઢો કૃપણુતા શ્યામ, તે જઇને કિહાં રહી, કાજલ અહિ તવ વૈરી, વદન પંકજ સંગ્રહિ. કલકંઠ વર્ણ ઘનઘોરમાં, કૃષ્ણ નિશાદિક ભામરી, શ્રી ચંદ્રદાન ગુણ નીપની, કીર્તિ મૂર્તિ તેહવી ધરી. ૧ બીજે કવિ સંસ્કૃત કાવ્ય બે– वीर त्वं जय को भवान् कविरिदं कि पत्रमत्रास्ति किं काव्यं वाच्यगुणोऽत्र कोऽद्भुतरसः स प्रोच्यतां श्रूयताम् । * ભાવાર્થ એ છે કે, તારા ઉજવલયશના પ્રકાશે વિશ્વમાંથી કૃપણુતારૂપ આ મતા બાહર કાઢી તે તારા શત્રુના મુખમાં, કેયલમાં, મેઘમાં અને કૃષ્ણ પક્ષની રાત્રિમાં આવી રહેલી છે. શ્રીચંદે દાનગુણથી ઉત્પન્ન થયેલી કીરૂપ િધારણ કરી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy