________________
૧૪૪
આનંદ મંદિર, વિજયપતાકા ફરકાવે છે, આ વિશ્વમાં ઉદાર પુરૂષે ન હેત, તે ચંદ્રિકા જેવી ઉજ્વળ સકીર્તિને જન્મજ કયાંથી થાત ? અને કવિઓની રસીક વાણીને અવકાશજ ક્યાંથી મળત ? કવિજીવનને મૂળ પાયે ગુણા અને ઉદાર પુરૂષોનાં જીવનચરિત્ર ઉપરજ છે, તેમની પ્રતિભાને મહાન પ્રભાવ પ્રભાવિક પુરૂષનાં પરાક્રમી ચરિત્રનું જ અવલંબન લઈ રહેલ છે. સંગીત વિદ્યા કવિ વિદ્યાની પ્રકાશક છે. કવિતારૂપ વનિતાને ભર્ત ગીતા છે, અને તેને ઉત્પાદક કવિ, તે વનિતાને પિતા છે. આ પ્રમાણે કહી વિદ્વાન વીણારવા બે –મહાનુભાવ ! તજ્ઞ મહારાજાઓ, અને આપ જેવા પરિક્ષક પુરૂષના પ્રતાપથી હું સર્વદા સુખી છું. ધન, વૈભવ, ગામ કે ક્ષેત્રની મારે ઇચ્છા નથી. હું મારા સંગીતના આનંદમાંજ મમ રહી કાળ નિર્ગમન કરવાનું પસંદ કરું છું, પણ જે આ૫ કૃતજ્ઞ શિરોમણી મારી કળાથી પ્રસન્ન થયા હો, અને મને વાંછિત વર આપવામાં દ્રઢ પ્રતિ હે તે, આપની પાસે વાયુવેગ નામને જે અશ્વ છે, તે આપ. તે અશ્વરનથી મારા આત્માને કૃતાર્થ માનીશ, અને તેથી આપની કૃતજ્ઞતા અને આપનું વચન જગતમાં પ્રશંસનીય થઈ પડશે. ' વીણારવનું આ વચન સાંભળી શ્રીચંદ્રકુમાર સ્તબ્ધ થઈ ગયો. તેણે વિચાર્યું કે, આ ગાયકે વાયુવેગ અશ્વની માગણી કરી, તે પછી તે મારું રથનું ઉપયોગી સાધન વ્યર્થ થવાનું. એક અN વિના તે સાધન તુટી પડશે. હવે જે ગાયકની ઇચ્છા પૂર્ણ ન કરે છે, સભા વચ્ચે આપેલું વચન વ્યર્થ જશે, અને હું લેકમાં ઉપહાસ્યનું પાત્ર થઈશ. આવું વિચારી શ્રી ચંદ્રકુમારે નિસ્તેજ વદને કહ્યું, ગાયકમણિ ! આ શું બોલે છે ? તારી ઇચ્છા પૂર્ણ કરવાને હું બંધાયેલો છું, પણ તે ઈચ્છા ઘટિત હોવી જોઈએ. તારી માગણી અને વિચારી છે. એક અન્ય માગી લેવાથી તારી અને મારી બંનેની કાર્યસિદ્ધિ નહિ થાય, રથની ગતિ બે અશ્વથી ચાલે છે, તે એક અન્ય જવાથી તે અશ્વર નકામો થઈ પડે. તારે જે અશ્વની ઇચ્છા હોય છે, તેને બદલે બીજા એકહજાર અશ્વ માગી લે. તારી ઇચ્છા પૂર્ણ કરવાની મારી ઇચ્છા છે. વીણા અંજલિ જોડી કહ્યું, ચતુરકુમાર ! મારે બીજા અવેની જરૂર નથી. એ વાયુવેગ અશ્વ હેય, એટલે બસ થયું. એક ચંદ્ર હોય, તો સેકડે તારાની શી જરૂર છે ? ચિંતામણી આગળ બીજા મણિ શા કામના છે ? શ્રીચંદ્ર કુમાર ! તમારા મનની જે પ્રસન્નતા હોય, તમે ઉદારતાથી વચન આપ્યું હોય, તે વાયુવેગ અને આપો, નહીં તે બીજા અશ્વની મારે જરૂર નથી. વીણારવાની આવી દઢતા જોઈ ઉદાર મનને ચંદ્રકુમાર બોલ્ય–સેવક ! જા ઘરમાંથી અન્ધાની સાથે જોડી રથ અહિં લાવ. સેવક સત્વર જઈ રથને લઈ આવ્યું. શ્રી ચંદ્રકુમારે ગાયકને કહ્યું, સંગીતવીર ! જાઓ, આ બધે રથ તમને ભેટ કરું છું. તમે તો માત્ર એક જ અશ્વ માગે છે, તે હું બધે રથ આપું છું. યાચનાથી વિશેષ આપે તેનું નામ જ ઉદારતા છે. આટલું કહી વાયુવેગ અને મહાવેગ અોથી જોડાએલો સુગરથ શ્રીચંદ્ર વીણરવને અર્પણ કર્યો. શ્રીચંદ્રની ઉદારતા જોઇ રાજસભા આશ્ચર્ય પામી ગઇ.
ઉદારતા એ માનવભૂમિને દિવ્ય ગુણ છે. એ મહાન ગુણ સરકીર્તિરૂપ ગંગાને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org