________________
૧૪૩
ગુણીજનેની કદર. ળીના આશ્રિત છે, સુવણનો ગરિ-મેરૂ અર્ધ ભાગને અદશ્ય છે, કલ્પવૃક્ષ કાષ્ટ છે, ચિં. તામણી પાષાણ છે. કામધેનુ પશુ છે, અને અમૃત સર્ષથી વિધુર છે, તેથી હે શ્રીચંદ્ર ! તારી તુલના કોની સાથે કરીએ ? ૩
श्रीचंद्र कलामनोरमः स्पृशसि त्वं स्वकरैः परप्रियां ।। यद्वा सृजति निर्मलं चित्तं यद्भुवि निमलोऽनिशम् ॥ ४ ॥
હે શ્રીચંદ્ર ! તું કળાઓથી મનહર છું, તેથી પિતાના કરથી બીજાની પ્રિયાને પર્શ કરે છે, જે નિર્મળ ચિતને સૂજે છે, તે પૃથ્વીમાં હમેશાં નિર્મળ કહેવાય છે. ૪
ભાવાર્થ એ છે કે, ચંદ્ર જેમ કળાઓથી પરપ્રિયા–પૃથ્વીને પોતાનાં કીરણોથી સ્પર્શ કરે છે, અને તે પૃથ્વીમાં નિર્મળ કહેવાય છે, તેમ શ્રીચંદ્રકુમાર પિતાની કળાએથી હાથવડે બીજાની સ્ત્રીને સ્પર્શ કરે છે, અર્થાત પાણગ્રહણ કરે છે, તે છતાં જગતમાં નિર્મળ કહેવાય છે.
ગાયક શિરોમણિ વિણ જ્યારે આ કો વિણાના સ્વર સાથે ગાઈ બતાવ્યા, ત્યારે લેકે ઘણાજ ખુશી થયા, સર્વ શ્રીચંદ્રના મુખ સામું જોવા લાગ્યા. અતિ ઉદાર શ્રીચંદ્રકુમાર પણ હદયમાં આનંદ પામ્યો, તથાપિ મુખ ઉપર કોઈ જાતનાં ગર્વનાં ચિહ દશાવતો નહતો, તે શાંત અને ગંભીર મુદ્રાથી સુશોભિત હતો.
વીણાવે સંગીત સમાપ્ત કર્યું. બધે જનસમાજ શાંત થઈ બેઠે હતો, તે વખતે શ્રીચંદ્રકુમાર બોલ્યો-ગીતપંડીત વણારવ ! તમારાં મધુર ગાયનથી મારું મન અત્યંત પ્રસન્ન થયેલું છે, તમે દર્શાવેલી સંગીતની દિવ્ય ચાતુરીએ મારી મનોવૃત્તિને સંગીતમય બનાવેલી છે, તે સાથે મારાં સત્કર્મનાં પ્રભાવિક ચરિત્રને સંગીતથી વ્યાપ્ત કરી તમે જે ચાતુ બનાવેલું છે, તે મારી અંતરંગ ઉદારતાને પ્રગટ કરે છે. તે ઉદારતાને વશ થઈ હું તમને કહું છું કે, તમારી જે ઈછા હોય, તે મારી પાસેથી માગી લે. ધન, આભૂષણ, જે કાંઈ વસ્તુની ઇછા હોય, તે પ્રકાશિત કરો. શ્રીચંદ્રનાં વચન સાંભળી કુમાર જયંતે પ્રથમથી જ પઢાવેલે વીણારવ બે -દાનવીર ! તમે સર્વ ગુણ સંપન્ન છે, અમારા જેવા ગુણિજનની કદર તમારા જેવા કૃતજ્ઞ પુરૂષની આગળ જ થાય છે, તમારા જેવા દાનવીર પુરૂથી જ આ વસુંધરા રત્નાવતી છે, તમારી સત્કીર્તિનું સોગંધ સર્વ દિશાઓમાં પ્રસરી રહ્યું છે, તમે જે જે અદૂભુત કાર્યો કરેલાં છે. તે તે મલોકના માનવમંડળને ચકિત કરનારાં થઈ પડ્યાં છે. આવી મહા સભામાં તમે મારી ઇચ્છા પૂર્ણ કરવાનું જે મહાવાક્ય બલ્યા, તેને માટે હું તમારો આભારી છું. આ મહા વાકયે તમારી મહાન ઉદારતા, અને કૃતજ્ઞના દર્શાવી આપી છે. ગુણજનની ઇચ્છાઓ પૂર્ણ કરવી, તે ખરેખર પ્રશંસનીય છે, તે કામ દાનવીર પુરુષો સિવાય બીજાથી થઈ શકતું નથી. ઉદાર પુરૂષનાં
@ાં આરંત આગમમાં ક્ષણે ક્ષણે દર્શાવ્યાં છે. માનવ જીવનની પ્રઢતા ઉદારતાના મહાન ગુણમાં રહેલી છે. ઉદાર ચરિત પુરનું જીવન આ વિધાલયનાં શિખર ઉપર પિતાની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org