SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણીજનેની કદર. ૧૪૧ સર્વ પરિવારને પોષાક આપો. પુત્રના લગ્નની વાત સાંભળી હધેલી થયેલી તેની માતાએ શ્રીચંદ્રનાં દુખડાં લીધાં, અને વાત્સલ્યથી પિતાના પ્રિય પુત્રને આલિંગન કર્યું. આ સર્વ દાયજાના સરઘસની સાથે એક બે પુરૂષો આવેલા છે, તેઓ તિલકપુરથી આવે છે. તેમાં એક ધીર નામને તે રાજાને મંત્રી છે, અને બીજો વીણારવા નામને એક પ્રખ્યાત ગવૈયો છે એ રાજકીય અને ભારતવર્ષના પ્રખ્યાત ગવૈયાનું નામ તે આપણે વારંવાર સાંભળેલું છે. તે સમર્થ અને દિવ્ય સંગીત જાણનારા ગવૈયાની મુલાકાત થવી પણ મુશ્કેલ છે, તે તિલકપુરના રાજાની કુમારીના સ્વયંવરને સાર્થક કરવા અને ને શ્રી ચંદ્રની સાથે તિલકમંજરીને યોગ કરવા આવેલ છે. આ પ્રસંગને લાભ લઈ મેં એક નવીન યુક્તિ ઉભી કરી છે તે વીણારવ ગયાને મળી મેં એવું સૂચવ્યું છે કે, અમે તારા ગાયનને માટે એક મોટે દરબાર ભરશું, અને તે પ્રસંગે અનેક વિદ્વાન કવિઓને સમાજ એકઠા કરીશું. તે વખતે તારે શ્રી ચંદ્રકુમારના સ્વયંવરનું અને તેના અદભુત પરાકમનું સંગીતમાં ખ્યાન કરવું. તારા સંગીતથી પ્રસન્ન થઈ શ્રી ચંદ્રકુમાર તને કાંઈ પણ આપવાનું વચન આપશે, તે વખતે તારે તેની પાસે એક અશ્વરત્નની માગણી કરવી. એક અશ્વ જવાથી તેને બીજે અશ્વ અને રથ નકામા થઈ જશે. એ દાનવીર કુમાર સભા વચ્ચે તને આપવાની ના કહી શકશે નહીં. જ્યારે તેની પાસેથી એ અશ્વરત્ન જશે, એટલે તેને સાધન સંપત્તિને ગર્વ ખંડિત થશે. એટલે તે તિલકમંજરીને સ્વયંવર કબુલ કરશે. આ પ્રમાણે યુક્તિ કરી મેં તેને કહ્યું, એટલે વીણરવ ગાયક ખુશી થશે, અને તેમ કરવાને ઉસુક થઈ ગયે. બંધુઓ ! ચાલે, હવે આપણે સત્વર સભામાં જઈએ. વીણારવા જેવા વિદ્વાન ગાઆયકના મુખનું સંગીત સાંભળી અનુપમ આનંદ મેળવીએ. તે સાથે આપણે શહેરના પ્ર ખ્યાત કવિઓનો મોટો સમાજ એક થવાનો છે. તેઓના પણ વાણીવિલાસ સાંભળી શ્રવણને કૃતાર્થ કરીએ. આ પ્રમાણે કહ્યું એટલે સર્વ કુમારો બેઠા થયા. જયંતને આગળ કરી રાજસભામાં આવ્યા. રાજકુમારોને આવતા જોઈ સભ્ય મંડળે બેઠા થઈ તેમને માન આપ્યું. જન સમાજ શાંત થઈ ગયે. સર્વ સમાજ વચ્ચે વીણાવે પિતાનું ગાયન શરૂ કર્યું. પ્રથમથી જ શ્રી ચંદ્રકુમાર ના રાધાવેધનું આબેહુબ વર્ણન કરવા માંડયું, જે સાંભળી શ્રોતાઓ તલ્લીન થઈ ગયા. તે પછી આશાવરી રાગમાં તેણે શ્રી ચંદ્રકુમારના છતા ગુણનું વર્ણન કરવા માંડયું. જેમાં તે ણે પિતાનું કવિચાતુર્ય અને ગાયન પાંડિત્ય ઉચે પ્રકારે દર્શાવ્યું હતું. કુશસ્થળી નગરીની પ્રજાને શ્રી ચંદ્રકુમાર ઉપર અત્યંત પ્રેમ હતો. તેના ગુણનું આબેહુબ માધુર્ય ભરેલું વર્ણન સાંભળી સર્વ પ્રજા ખુશી થઈ ગઈ. સભાની એક તરફ શ્રીચંદ્રકુમાર બેઠે હતો, તે શાંત થઈ પિતાના છતા ગુણ સાંભળતો હતો. આત્મપ્રશંસા તેને પ્રિય ન હતી, પણ વીણારવના સ્વર માધુર્યથી તે વિશેષ રંજિત થતો હતો. તે સાથે પિતાના છતા ગુણનું વર્ણન સાંભળી તેની મનોવૃત્તિમાં કોઈ વિલક્ષણ આનંદ આવતો હતો, તે સાથે એવી ભાવના ભાવતો કે, પ્રત્યેક મનુષ્ય એવા સદૂગુણ સંપાદન કરવા કે, જે લોકપ્રિય હેય, તેમજ સાચા હેય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy