________________
૧૪૦
આનંદ મંદિર.
આ વખતે રાજમહેલના એક ભાગમાં જયંત વિગેરે રાજકુમારો એકઠા થયા હતા. ગાયનના સમયની રાહ જોઈ તેઓ રહ્યા હતા. રાજકાર તરફ આવતા લોકોને જોઈ, તેઓ વિશેષ આનંદ પામતા હતા, અને કૌતુકથી તેઓ લેકીને જતા હતા. આ સમયે જયંત કુમાર આનંદ પામતો, અને પિતાના મનોરથ સફળ થયા એમ માનતા બોલ્ય-બંધુઓ ! આજે આપણે વિજયનો દિવસ છે. કળાઓના વિશેષ જ્ઞાનથી અને સાધન સંપત્તિથી, અને સર્વ સ્થળે વિજય મેળવવાથી શ્રી ચંદ્રકુમાર આગળ પડે છે, તેણે રાધાવેધના સ્વયંવરમાં આપણી અવજ્ઞા કરાવી છે, તેના પરાભવને આજે દિવસ છે, તેની પાસે દિવ્ય રથ, અને દિવ્ય અશ્વની જોડ અદ્ભુત છે, તે ઉત્તમ અને ચમકારી સાધનથી શ્રીચંદ્ર અતિ ગષ્ટ થઈ ગયું છે, તેના ગર્વરૂપ પર્વતને ભેદવાને આજનો આ મહત્સવ છે, સર્વ સમાજની વચ્ચે શ્રી ચંદ્રને નિસ્તેજ અથવા તે સાધન રહિત કરવાની યુક્તિ બાજે ઉભી કરી છે.
જયંતનાં વચન સાંભળી બીજા કુમારો બેલ્યા–ષ્ટ બંધુ ! આ યુતિ તમે ક્યારે કરી, અને તે યુતિ શું છે ? તે જણાવવા કૃપા કરશો. જયંત બોલ્યો–બંધુઓ! આપણે પ્રતિસ્પર્ધી શ્રી ચંદ્રકુમાર પાછો એક બીજો જય મેળવીને આવ્યો છે. તે દીપચંદ્ર રાજાના દરબારમાંથી એક ચંદ્રકળા નામે પદ્મિણીને પરણી લાવ્યો છે. ગઈ કાલે મેટી સેના સાથે પદ્મિણીએ આપણું પુરમાં પ્રવેશ કર્યો હતો. રાજા દીપચંદ્ર ચંદ્રકળાની સાથે ઘણે ઉંચા પ્રકારનો દાયજો આપેલ છે, તે સિવાય કેટલીએક સેના અને દાસદાસીઓને મોટો પરિવાર સાથે આવે છે, એથી શ્રીચંદ્રકુમારને ઉત્કર્ષ ઘણો થયો છે. બંધુઓ ! તમને વધારે શું કહું ? પણ જ્યારે એ દાયજાની સવારી ઠાઠમાઠથી આવી, ત્યારે આપણી રાજસમૃદ્ધિ પણ તેની આગળ અલ્પ જણાતી હતી. શ્રીચંદ્રનાં માતાપિતા તે આશ્ચર્ય પામી ગયાં હતાં.
રાજકુમારે બોલ્યા- ચેષ્ટ બંધુ ! શ્રીચંદ્રકુમાર તેમની સાથે હતો કે નહીં ? જયંતે ઉંચે સ્વરે કહ્યું, નહિ, તે તે પેલા પવનવેગી રથમાં બેસી પહેલેથી ઘેર આવ્યા હતા. ગુણચંદ્ર બધી સ્વારી લઈને પછવાડેથી આવ્યો હતો. જ્યારે શ્રીચંદ્ર એકલો ઘેર આવેલ, તે વખતે તેનાં માતાપિતા એ વૃત્તાંતથી તદ્દન અજ્ઞાત હતાં, તેઓ તે ચિરકાળે આવેલા શ્રી ચંદ્રકુમારને ઉપાલંભ આપતાં હતાં, અને પુત્રના વાત્સલ્યથી પુનઃ તેમ નહીં કરવાની વિનતી કરતાં હતાં.
એક વખતે શ્રીચંદ્રની માતાએ પુત્રને દક્ષિણ હથે મંગળ દોરે બાંધેલો જોયો. તત્કાળ તે આશ્ચર્ય પામી, અને પુત્રને ઉમંગથી પુછવા લાગી. તેવામાં જ ગુણચંદ્ર બધી દાયજાની રીહાસતની સ્વારી લઈ આવી પહોંચ્યો. ગુણચંદ્ર આવી હર્ષિત વદને વધામણી આપી કે, શ્રીચંદ્રકુમાર ચંદ્રકળા નામે પદ્મિણીને પરણી લાવ્યા છે, એ પઘણી રાજા શુભગાંગની રાજકુમારી છે, તેને મોસાળ તરફથી રાજા દીપચ કે આ મોટો દાયજો આપેલ છે. આ ખબર સાંભળતાં જ શ્રીચંદ્રનાં માતાપિતાને આનંદને પાર રહ્યો નહિ. તેઓએ ગુણચંદ્રને આશીર્વચનથી વધાવી લીધે, અને પિતાના ઘરમાં મેટો ઉત્સવ કરી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org