SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ગુણીજનોની કદર. ૧૩૯ કરતી જુદી પડી. ચાલતી વખતે ચંદ્રકળા મુખથી કાંઈ પણ બોલી શકી નહીં. રાજ દીપચંદ્ર પણ તેને પ્રેમથી મળ્યો, અને ચાલતી વખતે તેને અંતઃકરણથી આશિષ આપી. કુમાર શ્રી ચંન્ને બધાં વળાવવાને આવ્યાં હતાં. થોડા દિવસના સહવાસને લઈ તેઓને બીચંદ્ર ઉપર અતિ પ્રેમ થયો હતો, પ્રયાણ વખતે સર્વનાં મનમાં દુઃખ લાગી, આવ્યું. શ્રી ચંદ્રનું હૃદય પણ તે વખતે સનેહથી આર્ટ થઈ ગયું હતું, તેવી જ રીતે ગુરુચંદ્ર ઉપર પણ સર્વેએ ઉત્તમ ભાવ દર્શાવ્યું હતું. ગુણચંદ્રને પણ તેમનાથી જુદા પડતાં આ ભાવ થયો હતો. છેવટે શ્રીચંદ્ર સર્વને સમજાવી પાછા વાળ્યા વરદત્ત શેઠને શ્રીચંદ્રને વિરહ અતિ દુસહ થઈ પડયો હતો. તે તેના પ્રેમબંધનમાં દઢ રીતે બંધાઈ ગયે હતો. તેને જુદા પડતાં ઘણે જ હૃદયમાં આઘાત લાગ્યા. અમૃત જેવી મધુર વાણીથી શ્રીચંદ્ર તેને શીતળ કરી અત્યંત આશ્વાસન આપ્યું. તે માંડમાંડ ઉભો રહ્યો, પણ જ્યાં સુધી શ્રી ચંદ્રકુમાર દષ્ટિએ પ, ત્યાં સુધી સાથુ નયને જેતે જે તે વરદત્ત ત્યાંજ ઉભા રહ્યા. ગુણચકને બધે પરિવાર સોંપી શ્રીચંદ્ર એકલે રથારૂઢ થઈ, પોતાના નગર પ્રત્યે વેગથી ચાલતો થશે. તે માનવમંડળમાં સંયોગ ઉપયોગનું પૂર્ણ દૃષ્ટાંત બતાવતે ગયો. પ્રકરણ ૩પ મું. ગુણીજનોની કદર. છે ? A વસના ત્રીજા પહોરને સમય હતો, લોકે રાજદ્વારમાં ઉમંગથી જતા હતા, સર્વથી રસિક વર્ગ વધારે આનંદ પામતે હતા, સર્વના મુખ ઉપર ( ર ના અંકુર પ્રકાશી રહ્યા હતા, હદયમાં નવાં નવાં કેતુક પ્રગટ થતાં હતાં, જ રાજસભાને મંડપ ચીકાર ભરાઈ રહ્યા હતા, ચિટાથી તે રાજાર સુધી * ગૃહસ્થ વર્ગ શ્રેણિબંધ આવતો હતો, માર્ગમાં આવતાં લેકે કેતુક ભરેલી અનેક વાર્તાઓ કરતાં હતાં, કોઈ કહેતું હતું કે, આજે રાજસભામાં દિવ્ય ગાયન થવાનું છે. વીણારવ નામનો એક પ્રખ્યાત ગવૈયો આવે છે, તેની ગાયનકળા જગતમાં સ. કષ્ટ ગણાય છે, તેના દિવ્ય ગાયનથી દેવતાઓ પણ ચકિત થાય છે, તેની ગાંધર્વ વિદ્યા ભારતવર્ષમાં પ્રશંસનીય થઈ ચુકી છે. મહાન રાજાઓ પણ તે સાંભળવાને સર્વદા ઈજાર રહે છે, તેથી તેઓ ગાયક પંડિતને મોટું માન આપે છે, એ સંગીતના સમયે વિદ્વાન સર્વદા મેટા મોટા ભૂપતિઓ ઉત્સવ પ્રસંગે બેલાવે છે. આ પ્રમાણે વાર્તાલાપ કરતા લેકે રાજસભામાં આવવા લાગ્યા છે. ” Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy