________________
આનંદ મંદિર, જેવું છે, તથાપિ માતાની પવિત્ર ફરજને લઈ મારે કાંઈ પણ આ પ્રસંગે કહેવું જોર એ. ભદ્રે ! હવે તારો પિતૃગૃહમાંથી પતિગૃહમાં પ્રવેશ થાય છે, તે એક જુદી જ સ્થિતિમાં આવે છે, તે તારે સ્મરણમાં રાખવાનું છે. પિયર અને મશાળમાં રહેતાં જે તારે છુટ હતી, તે હવે તદ્દન રાખવાની નથી. મારા પવિત્ર અને સુંદર શરીરની આસપાસ સાડીની જેમ હવે લજજા આવવી જોઈએ. બહેન ! તું ક્ષણે ક્ષણે મર્યાદા રાખવાને સાવધાન રહેજે. તારાં આચરણ ઉપરજ અમારા કુળની પ્રતિષ્ઠાનો આધાર રહે છે. પ્રિય બહેન ! સર્વની સાથે સંપથી ચાલજે, માનાપમાનને ગણીશ નહીં, સર્વ ઉપર સમાન ભાવ રાખજે, અભિમાની અને ઈર્ષવાળા દેખાય, તેમને પણ પતિગૃહના સંબંધમાં હોય, તે પ્રીતિથી માન આપજે, સ્વામીની આજ્ઞામાં સર્વદા તત્પર રહેજે, તેમને ઈષ્ટવત ગણી માનજે, તારા તરફથી સ્વામીને કોઈ જાતની ચિંતા કે ઉપાધી ન થાય, તેમ તું વજે; જેઓ પતિના માનેલા હોય, તેઓ કદિ દુર્ગણી હોય, તથાપિ તું તેમની અવજ્ઞા કરીશ નહીં. તેવા લેકેની સાથે દેશભાવ રાખવાથી વખતે મેટી હાનિ થાય છે.
પુત્રી ! વડિલવર્ગને અંતઃકરણથી માન આપજે, તેઓની તરફ સર્વદા પૂજ્યભાવ દર્શવજે, વૃદ્ધ જનની સેવા કરવામાં તત્પર રહેજે, તેઓનાં વચનને માન્ય કરજે, તેઓના મુખથી હિતશિક્ષા શ્રવણ કરજે, કદિ વૃદ્ધ કે વડિલે ક્રોધાદિકને વશ થયા હોય, તથાપિ તેઓને અનાદર કરીશ નહીં, તેઓની આજ્ઞા મસ્તક પર ચડાવજે, કદિ તેઓ અવજ્ઞા કરે, અથવા ઠપકે આપે, તે તે સહન કરજે, તેમના દો તરફ દષ્ટિ કરીશ નહીં, તેઓમાં ગુણબુદ્ધિજ રાખજે.
- પ્રિય પુત્રી ! તને વિશે શું કહેવું ? તું સર્વ શિક્ષામાં ચતુર છે, માતાઓએ પુત્રીઓને ઘણું જાતની શિક્ષા આપવાની છે, પણ હું તને સંક્ષેપમાંજ કહું છું કે, તારા જેવી પદ્મિણને વિશેષ શિક્ષાની જરૂર નથી. આપણા શાસ્ત્રકારોએ અનેક જાત હિતશિક્ષા શાસ્ત્રદ્વારા જણાવી છે, તે તારા જાણવામાં છે. છેવટે પતિભક્તિ માટે સર્વ સ્ત્રીશિક્ષાને સારરૂપ નીચેને લેક તું કઠે કરી રાખજે.
अभ्युत्थानमुपागते निजपतौ तद्भाषणे नम्रता तत्पादार्पितदृष्टिरासनविधिस्तस्योपचार्यः स्वयम् । सुप्ते तत्र शयीत उत्प्रथमतो मुंचेत शय्यामिति
प्राच्यैः पुत्रि निवेदिताः कुलवधूसिद्धांतधर्मा अमी ॥१॥
પિતાને પતિ આવે, ત્યારે સામા ઉભા થવું, તેની સાથે ભાષણ કર પં નમ્રતા રા. ખવી, તેના ચરણ ઉપર દૃષ્ટિ રાખવી, પોતે તેમને આસન આપવું, પતિ સુવે તે પછી સુવું, અને સવારે તેમની પહેલાં ઉઠવું, આ પ્રમાણે પૂર્વ પુરૂએ કુળવધુના ધર્મ કહેલા છે. • આટલું બેલી દીપવતી વિરામ પામ્યાં. ચંદ્રકળા નમ્ર મુખ કરી તે બધું સાંભળી રહી, પછી માતા તથા બીજે સંબંધીઓને અને સખીઓને પ્રેમથી ભેટી રૂદન કરતી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org