________________
પતિગ્રહ પ્રયાણ.
૧૩૭ આ પ્રમાણે શાંતા અને ચતુર વાતચિત કરતાં હતાં, ત્યાં ચંદ્રકળા મોટા પરિવાર સાથે આવી, તેની આસપાસ સંબંધીઓને અને સખીઓનો પરિવાર વીંટાઈ. વળ્યો હતો, સર્વનાં નેત્રમાંથી અશ્રુની ધારાઓ ચાલતી હતી; માતા દીપવતી પિતાની પ્રેમપાત્ર પુત્રીના વિયોગથી દુઃખી થતી હતી. સર્વત્ર શાંતિ પ્રસરી રહી હતી, ચંદ્રકળા વિવાહિત માંગલ્યલ પહેરી નયનમાંથી અશ્રુધારા પાડતી હતી, બાલ્યવયથી જ પિતાના સહવાસમાં અતિ પરિચયમાં આવેલાં સખીજનથી જુદા પડતાં તેનું હૃદય ભરાઈ આવતું હતું, કંઠ ગગદિત થવાથી તે કાંઇ પણ બોલી શકતી નહતી, શ્રેઢવયની વૃદ્ધ દાસીઓ તેને ધીરજ આપતી હતી.
આ સમયે શાંતા આવી ચંદ્રકળાને ભેટી પડી. તેને જોતાંજ ચંદ્રકળા કંપી ચાલી, પણ દિવસના વિયોગથી શાંતાને અકસ્માત મળવાથી તેને વધારે લાગી આવ્યું. શાંતા પણ ક્ષણવાર તે કાંઈ પણ બોલી શકી નહીં; છેવટે ઘણો પ્રયત્ન કરી, તે મધુર સ્વરે રૂદન કરતી બેલી-રાજકુમારી ! તમારાં દર્શન કરવાને હું ખાસ પતિગૃહમાંથી આવી છું. છેવટે તમારાં પ્રયાણ દર્શન થયાં, તેથી હું મારા આત્માને કૃતાર્થ માનું છું. બહેન ! બાલ્યવયને તમારો સહવાસ, તે સમયની બાળલીલા સંભારી સંભારી મનમાં ક્ષેભ થાય છે, તે સમય હવે આવવાને જ નથી. વનિતાઓના અવતારને આરંભ અને તેની સમાપ્તિનાં સ્થાન જુદાં જુદાં થાય છે. પિતૃગૃહ અને પતિગૃહની વચ્ચે નારી અવતાર સમાપ્ત થાય છે. બહેન ! તમે સુ છે, સર્વ ગુણસંપન્ન પવિણ છો, તમને શો બોધ આપે ? હવે વિશેષ શોક નહીં કરતાં પતિગૃહ પધારે, અને નવનવી ગૃહસંપત્તિ ભોગવો, અને શ્રાવિકાપદને દીપાવી, અંતે આત્મસાધન કરવા તત્પર થાઓ, એજ મારી આશિષ છે. આટલું કહી શાંતા વિરામ પામી.
જેના નેત્રમાંથી અશ્રુધારા ચાલતી હતી, અને જે વારંવાર વિગનું દુઃખ સં. ભારી નિશ્વાસ નાખતી હતી, એવી માતા દીપવતી ત્યાં આવી. તેણે રૂદને કરતાં ચંદ્રકળાને આલિંગન કરી કહ્યું–વસે ! તારાથી જુદા પડતાં અમને ઘણો શોક થાય છે, તારા જેવી સદ્ગુણી અને પતિવણી પુત્રીઓ છેડી હશે. પુત્રી'બાલ્યવયથી તારા સહવાસમાં રહેનારી તારી સખીઓને ઘણું દુઃખ થશે. બહેન ! તેં તારી સુશીલથી અને શાંત સ્વભાવથી સર્વને વશ કર્યા છે. તારા જેવી માતૃભક્તિ અને પિતૃભક્તિ કઈકજ પુત્રીઓમાં હશે. તે પિતૃગૃહ કરતાં અહીં વધારે રહી છું, તે છતાં તારામાં માતાપિતાની ભક્તિ અપૂર્વ છે. બહેન ! તારી સમક્ષ તારા ગુણનું વિશેષ વર્ણન કરવું, તે યોગ્ય નથી, તું સર્વ રીતે શિક્ષિતા છું, નીતિનાં અને વ્યવહારમાં તને તું સારી રીતે સમજે છે, રાજરીતિ અને વિવેક તારામાં અપૂર્વ છે, સગાવટ અથવા સહત પ્રેમ એ તો તારાં પતિ સુત્ર છે. પિતૃગૃહ અને માતામહગ્રહમાં રહી તેં તારી બાલ્યાવસ્થા નિર્ગમન કરી છે; તેથી પતિગૃહમાં વર્તવાની રીતિ તેં જોઈ નથી, તથાપિ અંતઃપુરના સહવાસને લઇને અને જૈન સતીઓનાં ચરિત્ર વાંચી વાંચીને તેં તે શિક્ષા પણ હસ્તગત કરી છે, એટલે તને વિશે કહેવાની કાંઈ જરૂર નથી, તારા જેવી ચતુરને જે કાંઈ કહેવું, તે પુનરૂકિત કર્યા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org