SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર. વટે જયારે વરકન્યાને વરઘોડે પાછા ફર્યા અને તેના મહેલની પાસે થઈ નીકળે, ત્યારે તેણીએ ઉપરનું કાવ્ય લખી, તે પવિકા નાખી હતી. શાંતા–સખી ! પછી પત્રિકાને ઉત્તર મળે કે નહીં ? ચતુરા–બહેન ! શ્રી ચંદ્રકુમાર તે પત્રિકા ચંદ્રકળાના હાથમાં આપી, ચંદ્રકળાએ વાંચી પિતાની પાસે રાખી. મેટા આડંબર સાથે તે વરઘેડ ઉતારે આવ્યો, ત્યાં વરકન્યાએ પરસ્પર ભજન વિધિ કર્યો. તે દિવસે આખા નગરને ભેજન આપ્યું હતું. વરકન્યા ભજન લઈ બેઠાં હતાં, ત્યાં પેલી રૂપવતીએ એક દાસીને ચંદ્રકળાની પાસે મેકલી, દાસીએ આવી પત્રિકાને જવાબ માગ્ય, ચંદ્રકળાએ હદયમાં વિચાર્યું કે, આ બાળા પણ મારી જેમ આતુર થઈ હશે, તેને નિરાશ કરવી તે યુક્ત નથી. આવું ચિંતવી દાસીને કહ્યું કે, દાસી! રૂપવતીને કહેજે કે, ચંદ્રકળાએ કહ્યું છે કે, વહાલી ! તું નિરાશ થઈશ મી. આગળ ઉપર તારી આશા સફળ થશે, અત્યારે તેને અવસર નથી. દાસીએ ચંદ્રકળાને આ સંદેશો રૂપવતીને કહ્યા. તે સાંભળી ૨પવતીને સંતોષ થયો. એ ઉત્સાહી બાળા આશાનું અવલંબન કરીને રહી, પણ તેને મનને ચેન પડયું નહીં. કુમાર શ્રી ચંદ્રને મેળવવા તેની આતુરતા ઘણી હતી, તથાપિ છેવટે એ રમણી ચંદ્રકળાના શબ્દો ઉપર વિશ્વાસ મુકી શ્રી ચંદ્રનું સર્વદા ધ્યાન કરતી કરતી હાલ દિવસ નિર્ગમન કરે છે. શાંતા–એ બાળાના મનોરથ સખી ચંદ્રકળાની જેમ સફળ થાઓ. ચતુરા–બહેન ! તેવામાં વળી એવું બન્યું કે, પૂર્વે શ્રીચંદ્રકુમાર તિલકપુરમાં જઈને તિલકમંજરી નામે એક રાજકુમારીને સ્વયંવરમાંથી પિતાની કરેલ, પણ તે બાળાનું પાણિપ્રહણ કર્યા વિના તે ગુપ્ત રીતે ચાલ્યા આવ્યા હતા. આથી તિલકપુરમાં હાહાકાર વાઈ રા. શ્રીચંદ્રકુમારની સર્વ સ્થળે શોધ કરી, પણ તેને પત્તો બીલકુલ લાગ્યો નહીં. છેવટે લિકપુરના રાજાએ પિતાના ધીર નામના મંત્રીને તેની પાછળ શોધ કરવા મોકલે છે. તેની સાથે વીણરવ કરીને એક ચતુર ગાયક હતા. તે શ્રીચંદ્ર કુમારને ઓળખતો હતો અને સ્વયંવરમાં રાધાવેધ કરનાર તેજ કુમાર હતો, એ નિશ્ચય હતો. આથી તે ધીરમંત્રી વીણરવને સાથે લઈ આપણું નગરીમાં આવી ચડે. તે શ્રીચંદ્રકમારને મળે, અને તિલકપુર આવવાને પ્રાર્થના કરી. વિવેકી કુમાર ધીરમંત્રીને કહ્યું, મંત્રીરાજ ! તે વિષે મારા પિતા જાણે, હું પરતંત્ર છું. પિતાની આ જ્ઞા શિવાય મારાથી કાંઈ પણ થઈ શકે નહીં. તે વખતે વણારવ ગાયકે કહ્યું, સ્વામી ! આ વાત માન્ય કરે, હું તમારા ગુણેનાં ગીત ગાઉં. કુમારે કહ્યું, હમણું ગાવાને સમય નથી. જ્યારે સમય આવશે, એટલે તે વાત કરજે. આ પ્રમાણે શ્રીચંદ્રકુમાર તેમને ઉત્તર આપી ચાલ્યા ગયા. ત્યાર પછી બીજું કાંઈ નવીન બન્યું નથી. અત્યારે રાજકુમારી ચંદ્રકળાને બેલાવવાને સમય છે, હમણું ચંદ્રકળા અંતપુરના પરિવાર સાથે અહિં આવશે. બહેન શાંતા ! તમે બરાબર સમય ઉપર આવ્યાં છે, તમને તમારી સખીની સાસરે જવાના પ્રયાણુની છેલ્લી ભેટ મળશે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy