________________
શિ૩૪
આનંદ મંદિર,
પંચમી છે, તે સિવાય બીજું ઉત્તમ લગ્ન આવતું નથી. આ લરમાં વિવાહિત થએલાં દંપતિ સર્વત્કૃષ્ટ સુખ મેળવશે. અમારી પણ પ્રાર્થના છે કે, આવું ઉત્તમ લગ્ન જેવા દેશો નહીં. આથી રાજા દીપચંદ્ર વિચારમાં પડયા, પણ છેવટે તેને તેજ લગ્ન વિવાહ કરવાને નિશ્ચય કરવો પડ્યા. તત્કાળ ઉમંગથી વિવાહની સામગ્રી તૈયાર કરવા માંડી, આખા નગરમાં ધામધૂમ ચાલી રહી. વફાદાર પ્રજા રાજાની આજ્ઞાથી નગરશેભા અને ગૃહશોભા કરવામાં મશગુલ થઈ.
બીજે દિવસે મહારાજએ મટી ધામધુમથી વિવાહને આરંભ કર્યો. શ્રીચંદકુમારને વિવાહ શૃંગાર કરવામાં આવ્યું. સમય થયું એટલે એ સુંદર કુમારનો ગઢ ઉપર વરઘોડે ચડ્યો. વઘેડામાં મહારાજાની રાજ્ય સમૃદ્ધિથી સુશોભિત એવી મે ટી સ્વારી તેમાં સામેલ કરમાં આવી, અનેક સુભટો અશ્વ ઉપર આરૂઢ થઈ શત્રેને ચળકાવતા ચાલા લાગ્યા. ગજેન્દ્રોની શૃંગારધારક શ્રેણી આગળ ચાલી. મધ્યભાગે વરરાજા ને ગજેંદ્ર જંગમ પર્વતના જે ચાલવા લાગે, તેની આગળ બંદીજન જયશ્વની કરતા હતા શ્રી ચંદ્રકુમાર ગજેંદ્ર ઉપરથી યાચને અગણિત દાન આપતા હતા. બત્રીસ પ્રકારના નાટકકારો વિવિધ જાતનાં નાટ કરતા હતા. પ્રિય બહેન શાંતા ! તે વખતના દેખાવનું શું વર્ણન કરે તે અલૈકિક શેભા, તે દિવ્ય અને અદ્ભુત રચના, અત્યારે દ્રષ્ટિ આગળ ખડી થાય છે. તે પછી તે શ્રીચંદ્રકુમાર ચડી સ્વારીએ મંડપમાં આવ્યા, ત્યાં બરાબર લમશુદ્ધિ વખતે સખી ચંદ્રકળાનું પાણગ્રહણ કરવામાં આવ્યું. ચાર મંગળ વર્તાવવામાં આવ્યાં. હથેવાળે છેડતી વખતે હાથી, ઘડા, વિગેરે કીમતી વસ્તુઓ વરને ભેટ કરવામાં આવી. ધરણે કે આવી કુમારને એક અમૂલ્ય હાર આપે.
રાજા દીપચંદ્ર અગણીત દ્રવ્ય, તથા સુવર્ણના અલંકાર અર્પણ કર્યા. રાણું ચં. દ્રવતીએ ઉદારતાથી અનેક અમૂલ્ય વસ્તુઓ ભેટ કરી, ચંદ્રકળાના ભાઈ વામાંગકુમારે સિં. હપુરમાંથી આવેલી ભવ્ય વસ્તુઓ અર્પણ કરી, પ્રત્યેક પંચવર્ણ અક્ષ, પલંગ, મુદ્રિકા દિ અલંકાર, સિંહાસન, મુગટ, શયા, ચંદરવા, ઉશીલા, મેટા થાળ, મહેલ, વજા, છત્ર, તોરણ, દીપિકા, સુવર્ણકુંભ, ભાલા, ખ, ધનુષ્ય, બાણ, લેહાસ્ત્ર, બખ્તર, અને સઘળી જાતનાં આભૂષણ વરરાજાને ભેટ કર્યો. રાણીએ ચંદ્રકળાની સાથે હું તે, વિદ્યા અને પ્રિયંવદા વિગેરે સખીઓ, અને બીજી કળાપ્રવિણ દાસીએ આપેલી છે. આ સિવાય શુભગાંગ રાજા પણ આવીને બીજી ભેટ આપવાના હતા.
પ્રિય બહેન શાંતા ! આ સમયે એક કૌતુક ઉત્પન્ન કરે તે બનાવ બન્યો હતે. તે તમારે સાંભળવા લાયક છે. શાંતાએ અધીરાઈથી કહ્યું, સખી ! સત્વર કહે, તે શું બન્યું હતું ? ચતુરા બેલી– ચંદ્રકળાનું પાણિગ્રહણ કરી પ્રાતઃકાળે શ્રી ચંદ્રકુમાર ગજેન્દ્ર ઉપર ચડી પાછા વળ્યા, તે વખતે વરકન્યા સાથે બેઠં હતાં. પ્રજાજન એ વિવાહિતે દંપતીનાં દર્શન કરવાને ઉમંગથી શ્રેણીબંધ ઉભાં હતાં, અનેક જાતનાં વાજિંત્રો વાગત હતાં, સર્વ સ્થળે જયધ્વનિ પ્રસરી રહ્યા હતા, વરકન્યાનો ગજેન્દ્ર ચાલતો ચાલતો એક મહેલની પાસે આવ્યો. તે મહેલ રાજમહેલ જેવો સુંદર હતો. તેની આસપાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org