SearchBrowseAboutContactDonate
Page Preview
Page 139
Loading...
Download File
Download File
Page Text
________________ પતિગ્રહ પ્રયાણ. ૧૩૩ સાસરે જશે, તે પુનઃ ભાગ્યે જ તે પિતગમાં આવવાની. રાજકુમારીઓને પતિ ઘેર ગયા પછી પુનઃ પિતૃગૃહનાં દર્શન દુર્લભ હોય છે, તેથી છેવટનો સમાગમ કરવાને હું આવી છું. ચતુરા ! ચંદ્રકળા કયાં છે ? તે બતાવ. ઘણા દિવસ થયાં તેનું મધુર મુખ મારા જોવામાં આવ્યું નથી. મને જોવાની ઘણી ઉત્કંઠા છે. તે સાધ્વીનાં દર્શનથી હું મારાં નેત્રને તૃપ્તિ આપું. પ્રિય બહેન ! ચંદ્રકળાનું વિવાહિત સ્વરૂપ જોવાની મને અતિ ઉત્કંઠા છે. જ્યારે હું વિવાહિત થઈ પતિગૃહ જવાને નીકળી, તે વખતે તેણીએ મૃદુહાસ્ય સાથે મને સૂચવ્યું હતું. બહેન શાંતા ! તું અમને વિયેગ આપી સાસરે નય છે, પણ હવે અમને શી આશીષ આપે છે ? તે વખતે મેં ચંદ્રકળાને કહ્યું હતું કે, રાજકુમારી ! મારા જેવી તમારી સ્થિતિ પણ સત્વર થાય; એવી આશીષ આપું છું. તે વખતે રાજબાળા ખુશી થઈ હતી, પછી ચંદ્રકળાનાં આલ્ફાદક દર્શન મને થયાંજ નથી. ચતુરા-શાંતા ! ક્ષણવાર રાહ જુએ. એ બાળા હમણુંજ અહીં આવશે. આજે તેને સાસરે વળાવવાનું મુહૂર્ત છે. રાજબાળા અંતઃપુરમાં શૃંગાર ધરવાને ગયાં છે, હમણુંજ અહીં આવશે. શાંતા–બહેન ચતુરા ! રાજકુમારી ચંદ્રકળાના વિવાહની અને બીજી કોઈ તકની વાર્તા કરી મને આનંદ પમાડ. ચંદ્રકળાના પતિ કેવા છે? એ પણિીને યોગ્ય પતિ કયાંથી મળ્યા? તેમના પવિત્ર પ્રેમની શૃંખલા શી રીતે બંધાણી ઇત્યાદિ જે જાણવાનું હોય તે સંક્ષેપમાં જવાની કૃપા કર. - ચતુરા–બહેન શાંતા ! ચંદ્રકળા ખરેખર એગ્ય પતિને વર્યા છે, એમના પતિનું નામ શ્રીચંદ્રકુમાર છે, તેઓ જાતે વણિક છે, પણ સ્વાભાવિક રાજતેજ, અને ક્ષત્રિતેજ ધારણ કરે છે. પૂર્વના પુણ્યોગે ચંદ્રકળાને તેને યોગ થઈ ગયું છે. કુમાર શ્રીચંદ્ર મનુષ્ય છતાં અલોકિક શક્તિ ધરાવે છે, જ્યારથી કુમારીની દ્રષ્ટિએ એ મહાશય આવ્યા, ત્યારથી જ રાજકુમારીએ તેમને જ વરવાને સંકલ્પ કર્યો હતો. શ્રી ચંદ્રકુમાર પણ ચંદ્રકળા ઉપર રાગી હતા, તથાપિ તે માતાપિતાની આજ્ઞાની અપેક્ષા રાખતા હતા. આ અપેક્ષાને લઈ શ્રી ચંદ્રકળાની સાથે વિવાહ કરવામાં આગ્રહ કરાવ્યો હતો. છેવટે ભાગ્યવતી ચંદ્રકળાએ વિજય મેળવ્યું, અને તેઓને વિવાહ મોટા ઉત્સવ સાથે કરવામાં આવ્યો.' પ્રિય સખી ! શ્રદ્રકુમારની સાથે ચંદ્રકળાએ અને બીજાઓએ કેટલાએક અદુભુત પ્રનત્તર કર્યો, તેમાં શ્રી ચંદ્રકુમારે પિતાની બુદ્ધિની દિવ્યતાને ચમત્કાર સારી રીતે બતાવ્યો હતો, તેથી રાજકુમારી ચંદ્રકળાને વિશેષ મેહ થઇ ગયે. આ પ્રશ્નોત્તર થઈ રહ્યા પછી રાજા દીપચંદ્ર બીજે જ દિવસે લગ્ન દિવસને નિર્ણય કરવા જતિષ વેરાઓને બોલાવ્યા, તેઓએ બીજે જ દિવસે લમનો દિવસ નિર્ણત કર્યો, આથી મહારાજા તે વખતે ચિંતામાં પડયા. એક દિવસમાં લગ્નને સમય કેમ સચવાશે ? ચંદ્રકળાના પિતા શુભાંગ રાજાને એક દિવસમાં કેમ બોલાવી શકાશે ? આવું ચિંતવી મહારાજાએ જોષીને જણાવ્યું કે, તે લગ્ન શિવાય બીજું કયું લમ આવે છે, તે જુઓ. વિદ્વાન જોષીઓએ વિનયથી જણાવ્યું. રાજેદ્ર ! આવતી કાલનુંજ લગ્ન ઉત્તમ છે. આવતી કાલે વૈશાક માસની શુકલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy