________________
૧૩૨
આનંદ મંદિર છેવટે વરદત્ત શેઠ કુમારને સમજાવી પિતાને ઘેર લઈ ગયા, અને બીજાઓ કુમારના વચનામૃતથી અતૃપ્ત થઈ પુનઃ તેને રરિક સમાગમની ઈચ્છા રાખી પિતપોતાને સ્થાને ચાલ્યાં ગયાં.
પ્રકરણ ૩૪ મું.. પતિગૃહ પ્રયાણ.
જા દીપચંદ્રના દરબારમાં આજે જુદી તરેહની ધમાલ થતી હતી, રાજલેક અનેક કામમાં ગુંથાયા હતા, દાસ અને દાસીઓ રાજકારમાં ઉપરાઉપર આવજાવ કરતાં હતાં, અનેક જ
તના પદાર્થો ગોઠવાઈને બંધાતા હતા. તે ઉપરથી પ્રયાણ કરવાની તે યારીને દેખાવ થઈ રહ્યા હત; આ સમયે ચંદ્રકળાની પ્રેમપાત્ર સખી, અને દાસી થતુરા રાજમહેલના ગોખ ઉપર ઉભી ઉભી ચિંતા કરતી હતી, તે વખતે એક બીજી યુવાન સ્ત્રી તેની પાસે આવી; તેને દેખાવ દાસી વર્ગથી જુદો પડતો હતો, તેના કાનત અને કમનીય મુખ ઉપર કુલીનતા પ્રકાશતી હતી, તે સ્ત્રીનું નામ શાતા હતું. આ બાળા ચંદ્રકળાની સહાધ્યાયી સખી હતી. તે બંને એકજ ગુરૂની શિષ્યા હતી, વિદ્યા અને કળાના અભ્યાસમાં સાથે જ હતી. આજે ચંદ્રકળા પતિગૃહમાં જાય છે, એવું સાંભળીને પિતાની સહાયાયી સખીને મળવા આવી હતી. શાન્તા એક શ્રાવક કુળની કન્યા હતી, તેનો પિતા પ્ર
ખ્યાત ધનાઢય વ્યાપારી હતો. રાજા દીપચંદની તેના ઉપર કૃપા હાઈ, રાજ માનને લઈ તેનું કુટુંબ રાજ કુટુંબની સાથે સંબંધ ધરાવતું હતું. જ્યારે ચંદ્રકળાને શ્રી ચંદ્રકુમારની સાથે વિવાહ થયો, ત્યારે આ સગુણ શાતા પિતાને સાસરે ગઈ હતી. પોતાની રાજ સખી ચંદ્રકળાના વિવાહની વાર્તા જ્યારે તેણે સાંભળી, એટલે તે પતિની આજ્ઞા લઈ પિતાની સખીને મળવા આવી હતી. તેણીના સાસરાનું નામ તે નગરથી દશ ગાઉ ઉપર હતું, તેને પતિ એક વિદ્વાન ગૃહસ્થ હતો. પતિભક્તા શાંતાની ઉપર તેની અપ્રતિમ પ્રીતિ હતી. શાંતા પવિર્ણ ચંદ્રકળાના સહવાસનું સુખ હમેશાં તેની આગળ વર્ણવતી હતી, આથી ચંદ્રકળા ઉપર પણ તેને પરોક્ષ રીતે પ્રેમ ઉપજતો હતો. તેને લીધે જ તેણે ચંદ્રકળાને મળવા શાંતાને આજ્ઞા આપી હતી.
- અહીં શતા રાજમહેલમાં જ્યાં ચતુર ઉભી હતી ત્યાં આવી. શાંતાને જોઈ ચતુરા ખુશી થઈ પ્રેમથી કુશળતા પુછી, અને તેને સંભ્રમથી આદરમાન આપ્યું. પછી ચતુરાએ ચતુરાઈથી પૂછ્યું, બહેન શાંતા ! કયાંથી આવે છે? અને કેમ દેખાતાં ન હતાં? શાંતા બેલી-ચતુરા ! હું મારે સાસરે હતી. બહેન ચંદ્રકળાના વિવાહના અને પતિ ઘેર જવાના ખબર સાંભળી હું તેને મળવા આવી છું. વહાલી ચંદ્રકળા રાજકુમારી છે, તે જે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org