SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્ય પ્રકાશ. ૧૨૭ કહી શકાય છે. વિવેકથી વિચાર કરતાં તેના અનેક અર્થ થઈ શકે છે. આ પાટના જુદા જુદા પ્રકારનું સારી રીતે મનન કરવાથી તેમાં અંતરંગ આનંદ ઉત્પન્ન થાય છે, જ્ઞાન બાજીમાં ચતુર એવા ગુરૂઓ એ રમતના પૂર્ણ રસિક હોય છે. આ ભાવબાજીથી તેમની ભવ્ય ભાવના ઉમંગથી ઉલ્લાસ પામે છે, અને તેમના રસિક અંતરમાં અંતરંગ આનંદ ઉદ્દભવે છે. શ્રીચંદ્રના આ ચમત્કારી વિવેચનથી વામાંગકુમાર ચકિત થઈ ગયો. તેને નિર્મળ હદયમાં શ્રીચંદ્રને માટે બહુ માન પ્રગટ થયું. વરદત્ત શેઠ પણ હૃદયમાં આનંદ પામી બેલી ઉઠયા-કુમારચંદ્ર ! આપના વાગવિલાસથી ઘણો આનંદ આવે છે. આપની ભવ્ય બુદ્ધિ નવનવી ભાવાત્મક ભાવના ઉત્પન્ન કરી શ્રોતાઓના ચિત્તને ચમત્કાર આપે છે. દરેક કીડાઓમાં, ગાછીઓમાં અને સાંસારીક પ્રવૃત્તિઓમાં દ્રવ્ય અને ભાવની ખભુત ચમત્કૃતિ રહેલી હેય છે. દ્રવ્ય ચમત્કૃતિ તે માનવ બુદ્ધિને સત્વર માહ્ય થઈ શો છે, પણ ભાવ ચમત્કૃતિ તે કોઈ લકત્તર માનવ બુદ્ધિને જ માહ્ય છે. તેને પ્રભાવ વિશ્વ પ્રતિભાની અંદર સદા પ્રકાશે છે. આટલું કહી વરદત્ત શેઠ બોલ્યા-મહાશય ! આ જગતમાં દ્રવ્યથી સાત વ્યસને અતિ દુઃખદાયક છે, તેથી તેઓને દૂર કરવાં જોઈએ. પણ જે એ સાત વ્યસન ભાવથી દૂર કરવામાં આવે છે, પરમાનંદ પ્રાપ્ત થાય છે. વૃત, માં, વેશ્યા, મદિરા, ચોરી, મૃગયા, અને વ્યભિચાર–એ સાત વ્યસનેમાંથી એક પણ સેવ્યું હેય તે, તે નરકનાં દ્વારરૂપ થાય છે. કદિ એ વ્યસન લજજાને લઇ સેવાય નહીં, તેથી તે જાતિથી દૂર થાય છે. પણ જો તેને અંતરંગ ભાવથી દૂર કર્યું ન હોય તે, તે અવશ્ય નરક ગતિનાં કારણુપ થાય છે. વરદત્ત શેઠનાં ખાવાં વચન સાંભળી તુર શ્રીચંદ્ર હાસ્ય કરી બો-કર્મની પ્રકૃતિ ઉત બને છે. તેવડે રાત દિવસ પ્રાણું ખેલ્યા કરે છે. બીજાની નિંદા કરવી, એ બીજું માંસનું વ્યસન છે. મેહ રાખવો, એ મદિરાનું ત્રીજું વ્યસન છે. કુમતિનો - ન કરે, તે વેશ્યાના સંગના ચોથા વ્યસન જેવે છે. ચતુર્વિધ અદત લેવું, તે ચોરીનું પાંચમું વ્યસન છે. દુર્બાન ધરવું, તે મૃગયાનું છઠું વ્યસન છે, અને પરની આશા રાખવી, એ પરસ્ત્રીનું સાતમું દુસન છે. આ અંતરનાં સાત વર્ષના પ્રાણીને મહા દુઃખ આપે છે. તે અંતરંગ સાત વ્યસનો ત્યાગ કરવાથી પ્રાણી સિદ્ધિ પદને સંપૂર્ણ અધિકારી થાય છે. શ્રીચંદ્રનાં આ અમૃતમય વચનથી વરદત્તના હૃદયમાં પ્રમોદ ઉત્પન્ન થયે. તત્કાળ તેણે બીજો પ્રશ્ન કર્યો. મહાનુભાવ! અનગાર મુનિઓ કુટુંબ વગરના નિરાધાર હેય છે, તે તેઓ શી રીતે સુખી કહેવાય? શ્રીચંદ્ર હાસ્ય કરી બે-ભદ્ર! એ મહાત્મા સંપૂર્ણ સુખી છે, તેઓને પ્રેમ ભરેલું અંતરંગ કુટુંબ હોય છે, જેના બાશ્રયથી તેઓ સંસારાવાસ કરતાં સેંકડો ગણું સુખ ભોગવે છે, તે વિષે નીચેને છ કહેવાય છે. છપો, ધર્મ કહીને તાય, માત જસ ક્ષમા ભણી, પ્રાતા સંયમ સાર, દયા જસ બહેન સુણજે; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy