SearchBrowseAboutContactDonate
Page Preview
Page 131
Loading...
Download File
Download File
Page Text
________________ ચાતુર્ય પ્રકાશ, ૧૨૫ દમન કરે, શ્રી નિતત્વના રસની જે કામના કરે, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જે ધારણ કરે, જેઓ પોતે તરીને બીજાને તારે છે, સર્વદા ષટ્કાય જીવની રક્ષા કરે, જીન ભગવતના શુદ્ધ માર્ગને જે જણાવે, જેઆમાં મમતા હોતી નથી, અને જે સર્વદા સમતાના ઉપાસક છે, તેવા શુદ્ધ ગુરૂ ઉપાસના કરવાને યેાગ્ય છે. જે શ્રી વીતરાગ ભગવ ંતે પ્રરૂપેલા છે, જે સર્વદા હિતકારી છે, મુનિએ નિષ્કપટ પણે જેને આદર આપે છે, જે પ્રવચનને અનુકૂળ હેાય છે, જેમાં મુખ્ય રીતે દયા રહેલી છે, જે વિનય મૂળ છે, દુર્ગતિમાં પડતાં પ્રાણીઓને જે ધારણુ કરે છે, અને ક્ષાંતિ-ક્ષમા વિગેરે જેવા દશ ભેદ છે, તે શુદ્ધ ધર્મ કહેવાય છે. એ શુદ્ધ દેવ, શુદ્ધ ગુરૂ અને શુદ્ ધર્મ જેના નિરૂપાધિક હૃદયમાં રહેલા છે, પુરૂષ આ ત્રણ જગતમાં તિલક સમાન છે. આ ત્રણ તત્વનું મહાત્મ્ય શ્રી અદ્વૈત પ્રભુએ પોતાના આગમમાં પદે પદે. દર્શાવ્યું છે. તે મહાતત્વની ઉપાસના કરવાથી પ્રાણી આ ભવપાશમાંથી મુક્ત થાય છે. એ ત્રણ તત્વ રૂપ નાવમાં બેઠેલાં ભવ પ્રાણી આ દુસ્તર ભવસાગરને તરી જાય છે. પૂર્વનાં હઁ પુણ્ય વિના એ ત્રણ તત્વની આરાધના થતી નથી. ઉગ્ન પાપરૂપ કાદવથી લિપ્ત થયેલા પ્રાણીની શુદ્ધિ એ ત્રણ તત્વરૂપ નિર્મળ ગાંગા પ્રવાહવડેજ થાય છે. તે પવિત્ર પ્રવાહમાં સદા સ્નાન કરનાર પ્રાણી કદિ પણ પાપરૂપ મળથી મલિન થતા નથી. બાહ્ય અને અતરંગ બને પ્રકારની શુદ્ધિ તેને પ્રાપ્ત થાય છે, તેનામાં દિવ્ય અને પ્રભાવિક એવું ધાર્મિક તેજ ઝળકી નીકળે છે. શ્રીચનાં આ વચન સાંભળી વરદત્ત શેઠે ખુશી થઈ ગયા, ચંદ્રકળા અને દીપવતીના હૃદયમાં અત્યંત આનંદ ઉપજ્યું. ક્ષણવાર પછી ચંદ્રકળાની પ્રેરણાથી ચતુરા અજંલ જોડી ખેલી—સ્વામી ! આપના મુખમાંથી આંતરંગ બેજન સાંભળવાની ઇચ્છા છે. દ્રવ્યભાજન કરતાં ભાવભી જન ધણુંજ ઉત્તમ છે, અને તે ધામિઁક હોવાથી પવિત્ર અને હૃદયને શુદ્ધ કરનારૂં છે; આપ કૃપા કરી તે ભાજનનું સક્ષેપમાં વર્ણન કરશે. શ્રીચંદ્ર આનંદથી પરિપૂર્ણ થઇ એલ્યા—ભદ્રે ! સ્પ`તરંગ ભેજનની સામગ્રી સાંભળવા જેવી છે. એ પવિત્ર ભોજનનું વર્ણન એક ચિત્તે સાંભળજો. અરમાવર્ત્ત અને ચરમકરણુરૂપ એક સુંદર ભાજન મડપ છે, એ મહા મડપને જોઇ ચિત્ત કરે છે, તે મંડપમાં શુભ સામગ્રીરૂપ બાજો છે, અને ચિત્તરૂપી સિંહાસન ગેઠવેલું છે. ઉચિતતા વિગેરે ગુણરૂપી બીજાં નાનાં પાત્રા છે, તેમાં ઉત્સાહન રૂપ જળ કળશ સાથે છે. શુભ ચિરૂપ એક વિશાળ અને સુરોભિત થાળ છે, ગુણરાગરૂપ તેમાં સુંદર વાટકા છે, ગુરૂજનરૂપ હિત્કારી તે ભોજનવિધિના કરાવનાર છે, ભવનાં દુઃખને ભાંગનાર સતરૂપ સુખડી તેમાં પીરસવામાં આવે છે, પરમાર્થના સ્તુવનરૂપ દળવાળી, ગુણીજનની સેવારૂપ મીઠાશવાળી મળ પુરી અને જિન ભક્તિરૂપસ્વાદિષ્ટ જલેબી તેમાં આવે છે. તેમાં નિયમની સાવધાનીરૂપ વિવિધ જાતનાં પકવાન છે, મોટું મન રાખ વારૂપ માતીચૂર છે, પચ્ચખાણુરૂપ ઘેખર છે, જીન ભુક્તિનાં ગીતગાન તે મીઠા મેવા છે, જેમાં વચને વચને રસ મળે છે. શ્રુતજ્ઞાનની લીલારૂપ શાળના ભાત છે, શુદ્ધ આશય પ પીળી દાળ છે, કાર્યને વિવેકરૂપ કર એ છે, દિશક્ષારૂપ ચમકા છે, અનુભવરૂપ શીતળ જળ છે, ભાજનને અંતે તે જળ લઇ પ્રાણી પવિત્ર થાય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy