________________
ચાતુર્ય પ્રકાશ
૧૨૧ રીતે ચાલ્યા જાય છે, તમે તેને યુક્તિથી અટકાવે. તતકાળ રાણી ચંદ્રવતી, વામાંગકુમાર, વરદત્ત શેઠ અને ચતુરા વિગેરે સર્વ પરિવાર એકઠો થઈ ગયો. જ્યાં શ્રીચંદ્રકુમાર રથ આગળ ઉભો હવે ત્યાં આવી, ચંદ્રને જેમ તારા મંડળ વીંટી વળે, તેમ સર્વે શ્રીચંદ્રને વીટાઈ વળ્યાં. ગુણચંદ્ર અને ચંદ્રકળા પણ ત્યાં આવ્યાં. શ્રી ચંદ્રકુમાર સર્વને આવેલાં જિઈ આશ્ચર્ય પામી ગયો.
તે સમયે ચંદ્રકળાની પ્રેરણાથી ચતુરા સખી હસતી હસતી લી–પ્રિયનાથ ! તમારો વિદ્યાભ્યાસ ઉત્તમ છે, તમોએ સર્વ કળાઓમાં ૫ટુ થતુર્ય મેળવેલું છે, તો મારા કેટલાક પ્રશ્નના ચમત્કારી ઉત્તર આપશો. એમ કહી ચતુરાએ રાજકુમારીની પ્રતિનિધિ થઈ એક તાંબલની બીડી કુમારના હાથમાં આપી, અને મધુર સ્વરે કહ્યું, સ્વામી ! પ્રથમ આ તાંબૂલના જે ગુણ હોય તે દર્શાવી, પછી તેને ઉપયોગ કરજો. પ્રિયાના પ્રતિનિધિ દ્વારા પ્રેમી વચન સાંભળી શ્રીચંદ્ર નીચે પ્રમાણે તાંબૂલના ગુણ વિષે બે
तांबूलं कटु तिक्त मुष्ण मधुरं क्षारं कषायान्वितं . घातलं कफनाशनं कृमिहरं दुर्गधनिर्नाशनम् । वक्त्रस्याभरणं. विशुद्धिकरणं कामानि संदीपनम् तांबूलस्य इमे त्रयोदश गुणाः संसारिणां दुर्लभाः ॥ १ ॥
ભાવાર્થ– તાંબૂલ કટુ, તીખું, ગરમ, મીઠું, ખારૂં, કસેલું, વાયુને હરનારું, કફને નાશ કરનારું, કરમીયાને હરનારું, દુધને નષ્ટ કરનારું, મુખનું આભૂષણ, શુદ્ધિ કરનારૂં, અને કામ તથા અગ્નિ [ જઠરાગ્નિ ] ને ઉદ્દીપન કરનારું છે. એ તેર ગુણું તા. બુલમાં રહેલા છે, તે સંસારીઓને દુર્લભ છે.
આ પ્રમાણે તલના તેર ગુણ શ્રીચંદ્ર કહી બતાવ્યા, એટલે ચંદ્રકળાની સખા નીચે પ્રમાણે એક સંસ્કૃત વાકય બેલી
स्वामिन्नेभिरिदं त्रयोदशगुणैर्युक्तं प्रसादी कृतम् હે સ્વામી ! તમને જે આ તાંબલ ધરવામાં આવ્યું છે, કે તે તેર ગુણવડે યુત છે.
આટલું કહી ચંદ્રકળારૂપ ચતુરાએ પુનઃ પ્રશ્ન કર્યો–સ્વામી ! તમે આ દ્રવ્ય તાંબૂલનું વર્ણન કર્યું, પણ ભાવતાંબૂલ, અથવા અંતરંગ તાંબૂલ કેવું હોય ? તે કહે તે સાંભળી શ્રીચંદ્ર નીચે પ્રમાણે અંતરંગ બીડીનું વર્ણન કર્યું.
દેહો. પ્રિયવચ નાગરવેલિદલ, શુદ્ધ પ્રેમ તે પૂગ, * સમકિત ચૂર્ણ કપૂર ધતિ, રૂચિ નિર્જર સગ. ૧ -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org