SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર, પણ મનવાંછિત પ્રાપ્ત કરી શ્રીચંદ્રના સમાગમની ઉત્કંઠા ધરવા લાગી. શ્રીચંદ્ર તેને છેમથી ચાહત હતું, પણ તે પિતાના વિકારને દબાવી શક્તિ હતે. પુણ્યના પ્રઢ પ્રતાપથી કોઈ પણ વિકારી વસ્તુ તેને આકર્ષણ કરતી નહતી. ચંદ્રકળા જેવી પવિની પણ તેની સ્વતંત્ર અને દ્રઢ મનોવૃત્તિ તાબે કરવાને સમર્થ નહતી. તે અપૂર્વ આત્મબળને ધારક હતો, કઈ વિકારી વ્યસને તેને પરાભવ કરી સકતાં નહતાં. આ પ્રમાણે દ્રઢ હદયવાળા શ્રીચંદ્ર ચંદ્રકળાનું પાણિગ્રહણ સ્વીકાર્યું હતું, તથાપિ તે ત્યાંથી પ્રયાણ કરવાના સમયની રાહ જોતા હો, પણ માતા પિતાની આજ્ઞા વિના તે કામ કરવા તેની અંતરંગ ઇચ્છા નહોતી. તે પ્રકરણ ૩૩ મું. ચાતુર્ય પ્રકાશ ત્રિને સમય હતે, સર્વત્ર શાંતિ હતી, પણ તે શાંતિનો ભંગ થવાની તૈયારી થવાને થોડીકજ વાર હતી, બ્રાહ્મ મુર્તિ જાગ્રત થનારા ઉગી પુરૂષના સૂક્ષ્મ ડેલાહલ થતા હતા, પણ તે સમયને હજુ વિલંબ હતું, આહંત ભકતના મુખમાંથી પ્રભાતનાં મધુર રાગમય તવને પ્રકાશ થયાં ન હતાં, આવશ્યક ક્રિયાના ઉદગારો હજુ નીકળતા ન હતા. આ સમયે શ્રીચંદ્રકુમાર જાગ્રત થયે, તેની મને વૃત્તિમાં પ્રયાણ કરવાની ઈચ્છા હતી, પિતાની અભિનવ પ્રિયાને અહીં મુકી, તે ત્યાંથી ચાલ્યા જવાની ધારણું રાખતા હતા. આવી ધારણાથી જાગ્રત થઈ, તે તૈયાર થવા લાગ્યા. ચંદ્રકળા અંતઃપુરમાં શવ્યા ઉપર અર્ધ નિદ્રામાં અને અધ જાગ્રત થઇ અનેક મરથ કરતી હતી, મુગ્ધ હદયની બાળા શ્રીચંદ્રના આવા વિચારને જાણતી ન હતી. શ્રી. ચંદ્ર રૉચ ક્રિયાનું બહાનું કરી મિત્ર ગુણચંદ્રને જાણ કરી નિચે જવા સૂચવ્યું. તે વાત અંગીકાર કરવામાં આવી, એટલે શ્રીચંદ્ર ઉઠીને મહેલની નીચે ઉતર્યો. શ્રીચંદ્રના હૃદયને જાણનાર ગુણચંદ્રને આ વખતે વિચાર થશે કે, જરૂર શ્રીયંત્ર મિત્ર કઈ પણ મિક્ષ કરી ચાલ્યા જશે, કેઈપણુ યુક્તિથી તેને છેડે વખત અહીં રોક જોઈએ. પદ્મિની ચંદ્રકળાના પ્રેમપાશમાં તેને બાંધી લે જોઈએ. અદ્યાપિ કોઈ પણ રમણના મેહ જળમાં તે ફસાયે નથી, હવે તેને ચંદ્રકળાના વિશેષ સહવાસમાં રાખવાની જરૂર છે. આવા વિષયમાં પારદની જેમ એ સર્વદા ચપળ રહે છે, તે કોઈ પણ પ્રેમના, શૃંગારના, કળાના કે મિત્રીના બંધનમાં આવતું નથી, કઈ પણ સાંસારિક મેહક પદાર્થ તેને આકર્ષી શકતા નથી, પણ હવે તેને અહીં રોકવાની જરૂર છે. આવું વિચારી ગુણચંદ્ર બેઠે થશે. તેણે આવી રાણી દીપવતીને ખબર આપ્યા કે, શ્રીચંદ્રકુમાર ગુપ્ત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy