SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ આખરે વિવાહ, કરે. આ રાજકન્યાના પાણહણથી ઘણો લાભ થશે. અનુક્રમે રાજય સમૃહિના એક્તા થશે. આ કન્યાનું પાણગ્રહણ કરનારને અતિ લાભ છે, એમ મિમિત્તિકનાં, અને જ્ઞાનીઓનાં વચન છે. તમારું કુળ, ગામ વિગેરે જાણવામાં આવ્યું છે, ભવિષ્ય સારું દેખાય છે, એ રાજબાળા તમારા સિવાય બીજાને વરવાની નથી, તેને મુગ્ધ હૃદયમાં પૂર્વ જન્મને પ્રેમ પ્રગટ થયો છે. ક્ષણે ક્ષણે તમારૂ જ રટણ કરે છે. તે મનેહરાએ પિતાના હૃદયમંદિરમાં તમને સ્થાપિત કર્યા છે. નરમણિ! એ પદ્મિની જિનધર્મથી અલંકૃત છે, પ્રભુના કચનને જાણ નારી છે, સમ્યકત્વની શોભાથી સુશોભિત છે, જિનપૂજામાં પ્રવીણું છે, એ શુદ્ધ શીલવતીસુંદરી પંચપરમેષ્ટીનો જાપ કરે છે, આહંતશાસ્ત્રના ધર્મ પ્રમાણે વર્તનારી છે, એ અબા આગ્રહી છે, સંકલ્પ પ્રમાણે ચાલનારી છે, તેણીએ જે પુરૂષ મનમાં કર્યો હશે, તેને જ એ વરવાની, તેની પ્રતિજ્ઞા મેવત અચળ છે. કુમાર ! તમારે આ વાત અંગીકાર કરવી પડશે, અને તેમ કરવાથી અમારા સર્વના મનમાં સ્નેહ વધશે, બાટલું કહી વરદત્ત શેઠ બોલતા બંધ થઈ ગયા. તેમાં અને રાણીનાં વચનની અસર શ્રી ચંદ્રના હદયમાં ઉત્પન્ન થઈ. એ ચતુર નાયકે વિચાર્યું કે, દેવગે આ સંબંધ જોડાશે, જે મારા અંતરમાંથી પણ અનુમોદન પ્રાપ્ત થાય છે, મારી પૂર્વનાં કર્મ આ યોગ મેળવવાને અનુકૂળ હોય, તેમ લાગે છે. એ પશ્વિનીનો પ્રેમ અપૂર્વ છે, એ મૃગાક્ષીના સગણોએ મને પ્રથમથી જ આ કી છે, વળી આ કાર્ય કરવાથી રાણી દીપવતીની અને વરદત્ત શેઠની પ્રસન્નતા પ્રાપ્ત ચશે, આ પ્રમાણે શ્રીચંદ્ર વિચારમાં પડે. તેણે હા કે ના કહી નહીં, એટલે જ મનમાં આવ્યું કે, શ્રી ચંદ્રકુમારની ઈચ્છા અનુકૂળ થઈ, તે ચંદ્રકળાને અંગીકાર જી છે, આવી સર્વની પ્રેરણું થઈ, એટલે ચતુર ચંદ્રકળાએ શ્રીચંદ્રના કંઠમાં વરમાળ અને પણ કરી દીધી. શ્રીચંદ્રના મુખ ઉપર પ્રસન્નતાના અંકુર ફુરી રહ્યા. રાજબાળા ચંદ્રને જેમ ચકરી જુવે, અને મેઘને જેમ મયુરી જુવે, તેમ લજજાથી વાક દષ્ટિએ પિતાના પ્રાણેશને નીરખવા લાગી, તેના હૃદયમાં હર્ષની ઉમિઓ ઉછળવા લાગી, પિતાનું મનવાંછિત કાર્ય સિદ્ધ થયું. તેને માટે તે મનમાં અતિશે આનંદ પામવા લાગી. રાજાની આજ્ઞા થઈ, કે અહપ સમયમાંજ આ વિવાહ ઉસવની તૈયારી થવા માંડી. ચંદ્રકળાને સંબંધ શ્રી ચંદ્રકુમારની સાથે થયે, આ ખબર જાણું વનિતા એના ધવલ મંગળથી રાજમહેલ ગાજી ઉઠયો. વાજિંત્રના નાદથી સર્વ ભુવન નામ થઈ ગયું. ચંદ્રકળા સભાગ્યને લકે વખાણવા લાગ્યાં. શહેરમાં શેરીએ શેરીએ આક્ત સવ પ્રસરી રહ્યા. “ શુભ દિવસે, અને શુભ મુહૂર્ત ચંદ્રકળાનું પાણિહણ કરવામાં આવશે, એવી સને જાણ થઈ. મત પ્રમાં ચંદ્રકળા, અને શ્રી ચંદ્રનું તારામૈત્રક અલ્મ સમયમાં થશે, ચંદ્રકળા પિતાનું પતિની જીવન કૃતાર્થ કરશે, અને શ્રીચંદ્રના સહજસનું મહા ફળ પ્રાપ્ત કરશે. શ્રીચંદ્ર પદ્મિનીનો પતિ થઈ, પુણ્ય શ્રેણી પર આરૂઢ થશે. બને અભિનવ દંપતિ નવનવા ભાવ અનુભવવા ઉન્મુખ થશે. મહારાજા ચંદ્રકળાના કરમચન વખતે અનેક દાયજો અર્પણ કરશે, શ્રીચંદ્રની આગળ રાજકીય પદાથોને રાશિ એકઠા થશે, વિવિધ જાતની લમની ભેટો તેની આગળ ધરવામાં આવશે, અલ્પ સમયમાં જ હા વને આનંદ આપણે વાત કરીશું. ” આ પ્રમાણે લેકે ચિંતવતા હતા. ચંદ્રકળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy