SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ આખરે વિવાહ, ૧૧૭ પણ ધમને પ્રાચીન ઇતિહાસ જાણતા હશે, તમે જે માતા પિતાની આના વિષે કહ્યું, તે વાત સત્ય છે, અને કુળને ઉચિત છે, પણ પૂર્વે પણ કળાવાન પુરૂષો ભાગ્યની પરીક્ષા કરવાને વિદેશમાં ગયેલા છે, તેઓને દ્રવ્ય અને રાજય વૈભવ પ્રાપ્ત થયેલાં છે, કેટલાએક ઉત્તમ કન્યાઓ સાથે ધન સમૃદ્ધિને પ્રાપ્ત થયા છે, તે પ્રસંગે તેઓએ માતા પિતાની આજ્ઞાની અપેક્ષા રાખી નથી. રાજકુમાર ! તમે ચતુર અને શાણું છે, તમે આ રાજકન્યા સ્વીકારવાથી માતા પિતાના અપરાધી થશે નહીં. આ પવિત્ર પદ્મિનીની સાથે આવેલા તમને જોઈ તમારાં માતા પિતા અતિ આનંદ પામશે, અને ઉમંગથી ધન્યવાદ આપશે. ચંદ્રવતીનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્રકુમાર વિચારમાં પડે, તેની મને વૃત્તિપર ચંદ્રવતીનાં વચને સારી અસર કરી હતી. તે જઇ વચ્ચે મંત્રી બેલી ઉઠ– રાજપુત્ર આ કાર્ય કાંઈ દુષ્કર નથી, તમારા વણિક કુળને આમાં ઉત્કર્ષ છે. રાજકન્યા રાજકુળ શિવાય હાય જ નહીં. મરૂ સ્થળમાં નર્મદા નદીનો પ્રવાહ કયાંથી હોય ? મંત્રી વચનને પણ શ્રી ચંદ્ર સાંભળી રહ્યા, તે જોઈ વામાંગ કુમારને વિશેષ આશ્ચર્ય થયું. અહા! આ કુમાર ખરેખર ગૃહસ્થ ગી છે, યેગી પણ ભોગને લાભ મળતાં લલચાય છે, આ ધીર વીર કુમાર કે દઢ રહ્યા છે, પઢિનીના લાભને પણ તે તૃણવત્ ગણે છે. સર્વ એકઠા થઈ તેને આગ્રહપૂર્વક લલચાવે છે, તથાપિ નિર્મળ ચારિત્રધારી મુનિની જેમ તે દઢતારૂપ મહા શિલા ઉપર ઉભે છે, આ કુમાર કોઈ સામાન્ય પુરૂષ નથી, કોઇ રાજવીર કુળને વીર નર છે. વામાંગ કુમાર આ પ્રમાણે ચિંતવી ક્ષણ વાર પછી બે -ભદ્ર ! ઉત્તમ પુરૂ કેદની પ્રાર્થનાનો ભંગ કરતા નથી. તમે બતાવેલી દઢતા જોઈ મને સંતોષ થાય છે, તથાપિ હવે બીજાની ખાતર એ દઢતા તમારે શિથિળ કરવી જોઈએ. વામાંગ કુમારનાં વચન સાંભળી શ્રી ચંદ્રકુમાર હાસ્ય સહિત બો –રાજકુમાર ! તમે સુઝ , રાજકુળ અને વણિક કુળના ગહધર્મ જાણે છે. હદયમાં વિચાર કરે, વણિકની સ્ત્રી પિતાને ઘેર રસોઈ વિગેરેનું કામ કરે, અને રાજકન્યાથી તે કામ ન થાય, રાજય લક્ષ્મીના તેજથી પ્રકાશિત રાજકુળ કયાં ? અને તેથી ઉતરતું વણિકનું કુળમાં રાજકુળ સત્તાથી અલંકૃત અને સ્વામિત્વ તથા સેવ્ય ધારૂં, અને વણકકુળ સત્તા રહિત અને પરાધીન સેવકત્વ ધરનારું છે. તમે પવિની રાજકન્યાના હિતચિંતક છે, રાજકન્યાને સુખી કરવા ઈચ્છે છે, તથાપિ આ આગ્રહ રાખે છે, એ આશ્ચર્યની વાત છે. વિચાર કરો વણિક કુળમાં વરલી રાજકન્યા શી રીતે સુખી થાય ? વળી આવી રાજકન્યાને યોગ જે મારે ઉચિત હેત તે, મારે અવતાર વણિક કુળમાં કેમ થાય ? આ યોજના વિધિએજ રચેલી છે. વિધિની ઘટના અન્યથા શી રીતે થાય? શ્રીચંદ્રનાં આવાં ચાતુર્થ ભરેલા વચને સભળી વામાંગકુમાર મિન ધારી બેઠે. બીજાઓ પણ શાંત થઈ ગયા. આ દેખાવ જોઈ ચંદ્રકળાને ચિંતા થઈ પડી, તેની આઝાલતા દાવા લાગી, શ્રી ચંદ્રના મેહને લીધે તેણીને ઘણું દુઃખ લાગી આવ્યું, નયનમાંથી અશ્રુધારા ચાલી, નિર્જળ સ્થળમાં પડેલી માછલીના જેવી તેની સ્થિતિ થઈ ગઈ, ચંદ્રકળા બીજની ચંદ્રકળા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy