SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૬ આનંદ મંદિર, નાયક થાય છે. રાજા દીપચંદે તે સિવાય કેટલાંક આગ્રહ ભરેલાં વચનો ખુલ્લી રીતે કહ્યાં, પણ તે બધાં શ્રીચંદ્રકુમાર સાંભળી રહ્યા. લજજાથી કાંઇ પણ તેણે પ્રત્યુત્તર આપ્યો નહીં. વરદત્ત શેઠ પોતાને ઘેર રાજકુટુંબ આવવાથી વિશેષ ખુશી થશે હતો. તેણે આગ્રહથી ભોજન સામગ્રી તૈયાર કરાવી હતી સર્વને માટે રાજ રતિ પ્રમાણે થાળ પીર સવા માંડયા, અને રાજા દીપચંદ્રને કુટુંબ સાથે ભોજન કરવા વિનંતી કરી. રાજ દીપચંદ્રની ઈચ્છા રાજ કુટુંબ સાથે ભોજન લેવાની જરા પણ નહતી. એક ગૃહસ્થ વણિકને ઘેર દીપશિખાને અધિપતિ કુટુંબ સાથે ભોજન કરવા બેસે, એ તેને સર્વ રીતે યોગ્ય લાગતું હતું, પણ શ્રીચંદ્ર સાથે ચંદ્રકળાને સંબધ કરવાના હેતુથી તેમજ શ્રીચંદ્રના સમાગમના પ્રેમથી તેમને વરદત્ત શેઠનું નિમંત્રણ સ્વીકારવું પડયું. વરદતે ઉત્તમ પ્રકારની રસવતી રસોઇ કરાવી હતી. સર્વને સ્નાન કરાવી, ભજન કરાવ્યું, પછી ચંદન વિલેપન અને પુષ્પ માળાથી અલંકૃત કરી, ઉત્તમ પ્રકારના શિક પરાવ્યા. રાજભક્તિથી વિભૂષિત એવા વરદત્ત શેઠે ઇષ્ટ દેવની જેમ રાજકુટુંબની પુજા ભક્તિ કરી, પછી સર્વે મહેલના ઉપરના ભાગમાં આવ્યા. આ વખતે રાણી દીપવતીને પુત્ર વરચંદ્રકુમાર અને પતિની ચંદ્રકળાને બંધુ વામાંગ કુમાર શ્રીચંદ્રની પાસે આવ્યા. તેઓ સર્વે સમાન વયના હોવાથી પરસ્પર ન વચન કહેવા લાગ્યા. કેટલીએક કૌતુક વાર્તાઓ કર્યા પછી વામાંગકુમારે શ્રી ચંદ્રકુમારને કહ્યું, ભદ્ર! દીપચંદ્ર જેવા મહારાને પોતાની જાતે તમને પ્રાર્થના કરે, તે તમારે સ્વી. કારવી જોઈએ, તે કાર્યમાં વિલંબ કરે ન જોઈએ. મહારાજાનાં વચનને માન આપવું, એ તમારો ધર્મ છે. વરદત્ત શેઠ મહારાજની પ્રજામાં અગ્રેસર અને માન્ય છે, તેઓના અને તિથિ થઇને પણ તે કાર્ય અવશ્ય કરવું જોઇએ. દુધમાં સાકરના જે, નાગરવેલમાં સે પારીનાં ફળ જેવ, અને કલ્પવલી સાથે કલ્પક્ષ જે, ચંદ્રકળા અને તમારે એમ છે. વામાંગકુમારનાં આવાં વચન સાંભળી, શ્રી નમ્રતાથી કહ્યું. તમારું કહેવું યથાર્થ છે. રાજા દીપચંદ્ર મારા સ્વામી છે. સેવકે સ્વામીનાં વચનને અનુસરવું જોઇએ, પણ આ વખતે હું પિતાની આજ્ઞાને આધીન છું, જયાં સુધી પૂજ્ય પિતા વિદ્યમાન હોય, ત્યાં સુધી પુત્ર સ્વતંત્ર નથી. પિતભા પુત્રએ પિતાની આજ્ઞાને સર્વદા તાબે રહેવું જોઈએ, વળી હું દિશાઓનાં તુક જેવાને બાહર નીકળ્યો છું. સામાન્ય રીતે બાહેર ગયેલે પુત્ર સ્વતંત્રપણે વિવાહ કરાવી, કન્યા લઈ ઘરમાં આવે, એ કેવું લજજા ભરેલું કાર્ય ? સહુને વકિલ વર્ગની આગળ લજા રાખવી જોઈએ. નિલેજ પુત્રોની જગતમાં નિંદા થાય છે. લજજા વિષે નીચેની કવિતા સર્વને સ્મરણમાં રાખવા યોગ્ય છે. ” લાજ ગણની માવડી, લજજા રિદ્ધિ નિધાન, ” * * “ લજા હીન જે માનવી, નહીં તસજ્ઞાન ને માન.'' - | શ્રીચ આ કવિતા કહી, તે પાસે બેઠેલી ચંદ્રવતીએ સાંભળી. તત્કાળ તેણુએ શ્રીચંદ્રને ઉદેશીને કહ્યું. કુમાર ! આ શું બેલે છે ? તમે વિદ્વાન અને ચતુર છે. આ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy