SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ આનંદ મંદિર, ળાવ્યું. શ્રી ચંદ્રના યશગાન સાથે મિત્ર થયેલા વીણવના સંગીતે સર્વ સમાજને ચિત્રવત કરી દીધે. ગુણમણિ ધારક અને કળાવિદ શ્રી ચંદ્રના મહિમાના સંગીતના પ્રતિધ્વનિથી વરદત્ત શેઠનું સદન ગાજી ઉઠયું. વીરવે ગાયેલા રાધાવેધના પ્રબંધે તે હદ વાળી, તેણે છેવટે નીચેની ગાથા કહી પ્રબંધની સમાપ્તિ કરી. સુર ગુણ પણ નવિ કહી શકે, જસ ગુણ કે અંત; અર્થ પ્રાર્થત સુરતરૂ, તિલકમંજરી કત ” આ ગાળામાં “ તિલકમંજરી કંત ” એ સાંભળી સર્વ વિશેષ સાનંદાશ્ચર્ય થઈ ગયાં. રાજા દીપચંદ્રની આજ્ઞાથી શ્રીચંદને જોવાને દીપતી, ચંદ્રવતી, ચંદ્રકળા અને વામાંગ કુમાર વગેરે સર્વ રાજકુટુંબ વરદત્ત શેઠને ઘેર આવ્યું. વરદત્ત શેઠે યોગ્ય ભેટ આગળ ધરી, રાજકુટુંબને સત્કાર કર્યો, અને વિનયથી કહ્યું કે, આજે મારું ઘર પવિત્ર થયું, આજે મારાં ભાગ્ય સફળ થયાં. મહારાજા કુટુંબ સાથે મારા જેવા સામાન્ય પ્રહસ્થને -ઘેર આવે, એ મારા ભાગ્યને હૃદય. વિદેશના વ્યાપારથી જે મારી વિખ્યાતિ છે, તે વિ ખ્યાતિ આજે ટોચે ચડી. વિશ્વમાં વિખ્યાત દીપશિખા નગરીને અધિપતિ મારે ઘેર કટુંબ સાથે પધાર્યા, એ મને કેટલું માન ? આવાં વિનય વચન કહી વરદા શેઠે સર્વનો -સત્કાર કર્યો. રાજકુટુંબ શ્રી ચંદ્રને જોતાંજ સ્તબ્ધ થઈ ગયું, તેના અનુપમ સૌદર્યથી રાજમંડ"ળને અતિ આનંદ આવ્યું. રાણું દીપવતીએ ચંદ્રકળાનાં ભાગ્યનાં વખાણ કર્ય, ચંદ્રવતી ચંદ્રકળાની બુદ્ધિને ધન્યવાદ આપવા લાગી, ચંદ્રકળાના મેહમાં વધારો થવા માંડ્યું. વરદત્ત શેઠના મંદિરમાં રાજકુટુંબ સાથે રાજા દીપચંદ્ર ઘણીવાર બેઠે, ક્ષણવાર પછી ગાયક તથા ઇતર જનને વિદાય કરી, રાજાએ શ્રીચંદ્રકુમારને આ પ્રમાણે કહ્યું, ગુણી વીર ! તમને એક નિવેદન કરવાનું છે, તે ઉપર પૂર્ણ ધ્યાન આપશો. આ મારું રાજકુટુંબ આ મને જોવા માટે આવેલ છે, તમે વિદ્યા અને કળાથી વિશ્વમાં વિખ્યાત થયા છે, આ ચંદ્રવતી મારાં ભત્રીજી થાય છે તે રત્નપુરના શુભમાંગ રાજાનાં રાણી છે, તેમને આ ચંદ્રકળા નામે પતિની પુત્રી છે, તેના પિતા શુભગાંગે વિવાહને માટે અહીં મોકલેલ છે, એ પદ્મ શરીર પદ્મિની વનરૂપ સવરના તીર ઉપર આવી છે, એ ગુણવંતી બાળાને માટે કોઈ એગ્ય વરની શોધમાં જ અમે હતા, ત્યાં તમારાં અકસ્માત દર્શન થયાં છે; હવે એ બાળાને પાણિગ્રહણ કરી કૃતાર્થ કરશે. રાજાનાં વચનWી શ્રીચંદ્ર વિચારમાં પડ્યો, ક્ષણવાર વિચારી નમ્રતાથી બોલ્યો, રાજેદ્ર. આપે આ પાની રાજકુમારી માટે જે કહ્યું, તેથી મને મોટું માન આપ્યું છે, પણ હું રાજકન્યાને યોગ્ય નથી. પૃથ્વી પતિ મહારાજાની કમારી કયાં છે અને વણીક કુળને અને આપના દાસને પુત્ર હું ક્યાં ? અમારે યોગ અઘટિત છે. જ્યાં સમાન કુળ, ળિ અને ગુણને યોગ થાય, તે સર્વોત્તમ સંબંધ છે. રનને યોગ સુવર્ણ મુદ્રિકા સાથે શોભે છે, કાચ કે પાષાણની સાથે રોભતો નથી. મામાન્ય જતિ સાથે ઉત્તમ જાતિની કન્યા, કાગના કંઠમાં રત્નમાળા જેવી, અને કુજ પુરૂપના ગળામાં મુક્તાવાળી જેવી છે. મને ગમે તેટલું માન આપે, પણ હું વણિક પુત્ર કહે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy