________________
93
આનંદ મંદિર, ધન્ય માનું છું, હવે પુત્રીને નિશ્ચય ફેરવો નહીં. દીપચંદ કાકાને સમજવી ચંદ્રકળાના મનોરથ પૂરા કરવા, સતી પદ્મિની ચંદ્રકળા સંતોષ પામે તેમ કરવું. આવું વિચારી ચં. દવલીએ ચરાને કહ્યું–ચતુરા ! રાજા દિપચંદ્રની આગળ જા, તેમને વિનંતી કરી કહેજે કે, ચંદ્રકળાએ જે પતિ ધાર્યું છે, તે ખરે છે. પદ્મિની ચંદ્રકળાં પોતાને નિશ્ચય ફેરવે તેમ નથી. શ્રી ચંદ્રની જાતિ માટે જે શંકા છે, તે દૂર કરજે. ચંદ્રકળા સતી છે; જેનામાં તેણીએ પ્રેમબંધન કરેલું છે તે કઈ રીતે જાતિહીન નહીંજ હેય. મનથી તેને જ વરેલી ચંદ્રકળાના પવિત્ર નિશ્ચયને આપણે દુષિત કરે એગ્ય નથી. ચંદ્રવતીને આ સં. દેસે લઇ ચતુરા દીપચંદ્રની પાસે આવી. તેણીને ચંદ્રવતીએ જે શબ્દ કહેલા, તે બધા યથાર્થ જણાયા. તે સાથે વિશેષમાં જણાવ્યું કે, મહારાજા ! આ વિષે આગ્રહ રાખશે નહીં, શ્રીચદ્રિકુમાર કોઈ ક્ષત્રિય કુમાર લાગે છે, તેનો જન્મ વણીક જાતિમાં હોય, તે શંકા ભરેલું છે, ચંદ્રકળાનું પવિત્ર હૃદય તેની સાક્ષી પૂરે છે, ચંદ્રકળાએ એ મહાનુભાવને
ખરા પ્રેમપાત્ર બનાવેલ છે, તેણીના હૃદયમાં શ્રીચંદ્રનું જ સ્મરણ છે, સર્વ વિશ્વને શ્રી ચંદ્રમય દેખે છે, શયન, આસન, ગમન વિગેરે ક્રિયામાં પણ તે શ્રીચંદ્રને ભૂલતા નથી. મહારાજ ! આ વિષે આપે કાંઇ પણ આગ્રહ રાખે નહીં, ચંદ્રકળાની આશા લતાને મૂળમાંથી છેવા પ્રયત્ન કરે નહીં, તમે તેના મોસાળના પિતા છે, તમે એ બાળાને વિવાહને માટેજ આશ્રય આપે છે, ગોત્ર દેવીનું વચન અન્યથા થશે નહીં, સુવતીના પુત્રની રાહ જોવી, તે હવે યુક્ત નથી, કન્યા વયને કાળતિક્રમ થઈ ગયું છે. ચતુરાનાં આવાં વચન સાંભળી રાજા દીપચંદ્ર વિચારમાં પડી ગયો. તેના મનમાં રછુ કે, કર્મની ગતિ વિચિત્ર છે, ચંદ્રકળાને આટલે બધે પ્રેમ શ્રી ચંદ્રમાં થયો, તેનું કાંઈક પ્રબળ કારણ હશે, પૂર્વના સંબંધ વિના દાંપત્યભાવ પ્રગટ થતો નથી, ક્યાં વણિક પુત્ર ! અને ક્યાં રાજકન્યા ! વિધિએ આ ગ ઘટાવ્યો, તેમાં કાંઈ ચમત્કારી હેતુ હશે. હવે ચંદ્રકળાના નિશ્ચયને આગ્રહથી ભંગ કર, તે યુક્ત નથી. ચંદ્રકળા પદ્મિની સ્ત્રી છે. પશ્ચિનીઓમાં સતી ધર્મ સ્વભાવીક રીતે હોય છે, તે દૃઢ નિશ્ચયા રાજબાળા પોતાનો નિશ્ચય ફેરવશે નહી. ક્ષત્રિય કન્યાના દેઢ નિશ્ચયમાં અંતરાય કર, તે રાજાને ધર્મ નથી, જે હેતુ સ્વયં. વસ્થી સિદ્ધ કરવાનું હતું, તે હેતુ સ્વતઃ સિદ્ધ થઈ ચુક્ય. આવું વિચારી ચંદ્રસિંહ ચતુર રાને કહ્યું. ભલે ! ચંદ્રવતીના વિચારને હું મળતો છું. ચંદ્રકળાને દઢ નિશ્ચય ફેરવવાની મારી ઇચ્છા નથીતું સવર જઇને નિવેદન કર કે, શ્રીચંદ્રકુમાર વરદત્ત શેઠને ઘેર અને તિથિ થઈ રહેલ છે, હવે હું તે વિષેની ગઠવણ કરીશ. ચતુરા ! તારી સખી ચંદ્રકળાને ધીરજ આપજે, અને કહે છે કે, તારા વિચારને ચંદ્રસિંહ અનુમોદન આપે છે. સુવની સાથે રત્નની જેમ શ્રી ચંદ્રકુમાર અને ચંદ્રકળાને વેગ થાઓ, એવું તે હદયથી
રાજા ચંસિંહનાં વચન સાંભળી આનંદ પામેલી ચતુરા ઉતાવળી ઉતાવળી ચંદ્રવતી પાસે આવી રાજાને ઉત્તમ અભિપ્રાય ચંદ્રવતીને જણાવ્યું, જેથી પુત્રીવત્સલા ચંદ્રવતી ઘણો જ આનંદ પામી. ચતુરાએ તે પછી આ શુભ ખબર ચંદ્રકળાને આપ્યા, અને શ્રી ચંદ્રકુમાર વદર શેઠને ઘેર છે, એ પણ જણાવ્યું. રાજબાળા તે સાંભળી -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org