________________
ચંદ્રકળાની મેહુદશા.
૧૧૧
વૃત્તાંત ચંદ્રકળા જાણે છે, છતાં આવું કાર્ય કેમ કરે છે ? દૈવયેાગે એ આપણા મનેરથ મનમાંજ રહ્યા. અદ્યાપિ સૂર્યવતી અપુત્રા છે. ચંદ્રકળા વનવતી થતી જાય છે, કર્મની ગતિ વિચિત્ર છે. એન ચંદ્રવતી ! તમે ચંદ્રકળાને સમજાવજો, અથવા તેને મારી પાસે મોકલજો, મનમાં તે વિષેની ચિંતા રાખશે નહીં, છેવટે આપણે ચંદ્રકળાના સ્વયંવર કરચું, અને તેમાં ચંદ્રકળાને જે રાજપુત્ર યોગ્ય લાગે, તેની સાથે તેના વિવાહ કરીશું.
આ પ્રમાણે રાળ દીપચંદ્ર અને ચદ્રવતી વાચિત કરતાં હતાં, ત્યાં ચંદ્રકળા પ્રિયંવદાની સાથે આવી ચડી. ચતુરાને વિલંબ થયા, એટલે ચંદ્રકળાની ધીરજ રહી નહિ. શ્રીચ દ્રકુમાર વિષે તેની ઉત્ક ંઠા વૃદ્ધિ પામવા લાગી, ચંદ્રકળાને આવેલી નેઇ, રાજા દીપચડે તેને પ્રેમથી ખેલાવી. પછી રાજબાળા વિનયથી માતાની પાસે આવી ઉભી રહી. પ્રેમથી ચંદ્રકળાને ચદ્રવતીએ ખેાળામાં એસારી આ પ્રમાણે કહ્યું, વસે ! ધીરજ રાખ, ઉત્સુકપણું છેડી દે, સર્વ વાત સારી થશે, મનમાં ખેદ રાખીશ નહીં, બેન ! તું સુજ્ઞ છું, તત્વ જાણનારી, બુદ્ધિવાળા અને ડાહી છું, મનમાં દુઃખ લાવીશ નહીં, તારૂં શરીર કામળ છે, તારી ઇચ્છા હશે તેા અમે સ્વયંવર કરીશું, ઉતાવળી થશે નહીં. રાજકન્યા દીધું વિચારવાળી હોય છે, કુળ તથા શીલ જાણ્યા વિના તેઓ પોતાને પવિત્ર પ્રેમ કાઇ શ્ નાત પુરૂષની સાથે જોડતી નથી, ક્ષત્રિય જાતિ સર્વ જાતિમાં શ્રેષ્ટ છે, તે શિવાયની જાતિ તેનાથી ઉતરતી છે. ચંદ્રકળાએ માતાને કહ્યું, માતા ! હું તમારી કુક્ષિમાંથી ઉત્પન્ન થઇ છું, તમે પરમ સતિ છે, સતિના ગર્ભગૃહમાંથી સતિજ ઉદ્દભવે છે, સતિએ મનથી જે પતિને વરે છે, તેજ તેના પતિ છે, પછી અન્ય નરને' વરતી નથી. સતિની હ્રદયરૂપ ગુહામાં પ્રેમરૂપ પાસથી બંધાઇ જે પુરૂષ પુરાયા છે, તે યાવવિત તેની હૃદય ગુહાને સ્વામી થાય છે, સતિ કન્યાએ જ્યાં ત્યાં પ્રેમને સ્થાન આપતી નથી, જ્યારે સ્થાન આપે, તેા પછી ત્યાં પ્રેમને વજ્રલેપ કરે છે, સતિઓના પવિત્ર પ્રેમ તેમના સતિ ધર્મના પ્રભાવથી અયેાગ્ય સ્થાને પડતેજ નથી, જ્યાં તે પડે છે, તેમાં જાતિ, કુળ, અને શીત્ર વિગેરે ગુણા સ્વાભાવિક રીતે રહેલાજ હોય છે. માતા ! હવે મારે સ્વયંવરની કાંઇ જરૂર નથી, હું શ્રીચદ્રકુમારને વરી ચુકી છું, શ્રીચદ્રકુમાર અને અગ્નિ—એ બંને આ રારીરને સ્પરી કરવાના અધિકારી છે, જાતિના દુરાગ્રહ રાખી, જો તમે અથવા મારા પિતા કે કાકાજી મને અન્ય નર સાથે જોડવા પ્રયત્ન કરશે તે, આ શરીર અમિનેજ સ્વાધીન ચશે, આ ચંદ્રકળા તેના પતિ પ્રેમરૂપ કિરણાના અભાવ થવાથી તેની મેાસાળ ભૂમિમાંજ અસ્ત થઇ જશે, ચંદ્રકળા શ્રીચ વિના રહી શકશે નહિ.
પુત્રીને આવા નિશ્ચય જાણી ચંદ્રવતી વિચારમાં પડી, તેણીના હૃદયમાં ચંદ્રકલાના નિશ્ચય યોગ્ય લાગ્યા, મનથી વરેલી રાજકન્યા અન્યથા વિચાર કરે નહીં, એ ચંદ્રકળાના નિશ્ચય ભરેલાં અને સતી ધર્મને સૂચવનારાં વચને ચંદ્રવતીના હૃદયમાં ઉતરી ગયાં. પુત્રીના સદ્વિચાર જોઇ માતાને મગરૂરી થઇ, તેણીના મનમાં આવ્યું કે, ચંદ્રકળા ખ રેખરી ક્ષત્રિય કન્યા છે, તેનામાં સતી ધર્મને પ્રભાવ નચત છે, આવી પવિત્ર પુત્રી પિતૃગૃહ, અને તિહુને દીપાવે છે, આવી સ્મૃતિ પુત્રીની માતા ગઇ, હું મારા આત્માને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org