________________
૧૧૦
આનંદ મંદિર, જેઈ ચંદ્રવતી બેલી– ચતુરા ! ચંદ્રકળા કયાં છે ? તમે સાથે જ ઉદ્યાનમાં રમવાને વય હતાં. ચતુરા બેલી બાઈ સાહેબ ! ચંદ્રકળા હજુ ચૈત્ય દ્વારની પાસે જ છે, હું તમને એક અભિનવ વૃત્તાંત જણાવવા આવી છું, તે આપ સાવધાન થઈ સાંભળશે. હું અને ચંદ્રકળા પ્રથમ અંતઃપુરના ઉદ્યાનમાં રમવાને ગયાં હતાં, તેવામાં એક સ્વરૂપવાન અને ગુણવાન પુરૂષ આવી ચડ્યો. તેનું અનુપમ સંદર્ય જોઇ, ચંદ્રકળાને મેહ થશે. તે પુરૂષ ત્યાંથી ચસદર્શન કરવા ગયે, ચંદ્રકળા મને સાથે લઈને તેની પછવાડે ચેત્યગૃહમાં આવી. ત્યાં ચૈત્યવંદન કરતા તે મનેહરનું વાગુમાધુર્ય સાંભળી ચંદ્રકળાને વિશેષ મેહ થયો છે. એ રાજકુમારી તન મનથી એજ પુરૂષને વરી ચુકી છે. આ વૃત્તાંત જણાવા મને તમારી પાસે મોકલી છે; હવે શી આજ્ઞા છે ? તે કહે. ચંદ્રવતી બેલી–ચતુરા ! ચંદ્રકળાને જેના ઉપર મેહ થયો છે, તે કુમારને વૃત્તાંત મારા જાણવામાં આવ્યો છે. તેનું નામ શ્રીયંત્ર છે, કુશસ્થલીના પ્રખ્યાત ધનાઢય લક્ષ્મીદા શેઠને તે પુત્ર છે, જાતે વણિક છે. વણિકને રાજકન્યા શી રીતે અપાય ? કુળ શીળ જાણ્યા વિના કન્યા કેમ અપાય ? એથી ક્ષત્રિઓમાં આપણું ઉપહાસ્ય થાય; તથાપિ આ વિષે રાજા દીપચંદ્રને અભિપ્રાય લઈએ.
આ પ્રમાણે ચંદ્રવતી અને ચતુરા વાતચિત કરતાં હતાં, ત્યાં દોગે રાજા દીપક ચંદ્ર આવી પહોંચ્યા. ચંદ્રવતીએ પોતાના પૂજ્ય કાકાને ઉભા થઈ માન આપ્યું. દીપચંદે હર્ષિત વદને જણાવ્યું, પુત્રી ચંદ્રવતી ! કેમ છે ? ચતુરા સાથે શી વાતચીત થાય છે ? 'કઈ પણ વાતે મુંઝાશો નહીં, તમારી મુખમુદ્રા ઉપર કોઈ પણ જાતની ચિંતાનાં ચિહ જણાય છે. ચંદ્રવતીએ વિનયથી જણાવ્યું, કાકા ! આપના આશ્રય નીચે મને સંપૂર્ણ સુખ છે, બીજી કઈ જાતની ચિંતા નથી, ચિંતા માત્ર ચંદ્રકળાની છે. હજુ સુધી સૂર્યવતીના પુત્ર વિષે કાંઈ જાણવામાં આવ્યું નથી, ચંદ્રકળા ચંદ્રકળાની જેમ વધતી જાય છે, આ વખતે આ ચતુરા એક નવીન ખબર લાવી છે. આજે અંતઃપુરની વાટિકામાં ચંદ્રકળાએ શ્રીચંદ્રકુમારને જોયે, અને તેને જોતાં જ તેણના મુગ્ધ હૃદયમાં મેહને ઉદય થઈ આવ્યું છે. તેણુએ આ ચતુરા સાથે કહેવરાવ્યું છે કે, હું શ્રીચંદ્રકુમારને વરી ચુકી છું.
આ ખબર સાંભળતાંજ મને ચિંતા થઇ પડી છે, મારી ચિંતાને ગ્રંથિ ભેદવા માટે આપની પાસે આવવા વિચાર કર્યો હતો, ત્યાં દેવયોગે તમે પોતેજ દર્શન આપ્યાં. પિતાની ભત્રીજી ચંદ્રવતીનાં આવાં વચન સાંભળી રાજા દીપચંદ્ર નાખુશ થઈને બે —બેન ! એ કાર્ય બની શકે તેમ નથી. ચ કકળા હજુ મુગ્ધા છે, તેના વિચાર પ્રમાણે આપણાથી કેમ વર્તાય ? બાળક જેમ ધુળનાં ઘર માંડી, પાછી વિનાશ કરે છે, તેવી રીતનું આ સાહસ છે. શ્રી ચંદ્રકુમાર વરદત્ત શેઠને ઘેર આવેલ છે, એ ખબર મને વીણરવના સંગીત વખતે મળ્યા હતા. શ્રી ચંદ્રકુમાર સર્વ ગુણસંપન્ન છે, પણ તે વણિક પુત્ર છે. વણિક પુત્રીની સાથે ક્ષત્રિય કન્યાને સંબંધ કેમ થાય ? વણિકને રાજકન્યા આપવાથી જગતમાં અપવાદ થાય, રાજ કુળની શોભાની હાની થાય, જે આ વાર્તા શુભમાંગ રાજા સાંભળે, તે તેને ઘણજ પેદા થાય, ચંદ્રકળાની સાથે સ્વતીના પુત્ર સંબંધ થવાને છે, એ
"
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org