SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રકળાની માશા, ૧૦૯ હશે, કાઇ કપટી કામિનીએ તેમને પોતાના ત્રૈમપાસમાં સપડાવ્યા હશે. પ્રિય બેન ! તેની સાથે તેના મિત્ર છે, તે ઘણા ઉપકારી છે, તે દયાળુ મિત્રે મારે ઉપકાર કરવા કહેલું છે, તે ગુણચક્ર ખરેખરા ગુણી છે, જો તે મળે તે સત્વર મને ખબર આપજે, અને કહેજે કે, શ્રીચ દ્રરૂપ ચંદ્ર વિના ચંદ્રકળા શૂન્ય છે. ચંદ્ર કળા વિના અને કળા ચંદ્ર વિના ક્ષણ પણ રહેતી નથી, ચંદ્રનું ચદ્રત્વ કળાથી છે, અને કળાનું કળાત્વ ચક્રથી છે, તે છતાં ચંદ્ર કળા ઉપર ઉપેક્ષા કરે, એ કા જીલમ ? પેાતાને આશ્રય થઇ રહેલી કળાને તિરસ્કાર કરે, તેવા ચદ્ર હાય નહીં. ચંદ્રકળા શ્રીચંદ્રનું સ્મરણ કરતી ઉભી રહી. પ્રિય વદા તેના શેાધ કરવાને નીકળી પડી.ચૈત્યની અંદર, બહાર અવલાકન કર્યું, તે સાથે વાટિકા, ચવર અને પ્રખ્યાત રચ્યાએ તપાસી, કાઇ સ્થળે શ્રીયદ્રનાં દર્શન થયાં નહીં. નિરાશ થઇ પ્રિય ંવદા પાછી આવી. પ્રિય વદાને જોઇ ચંદ્રકળા વિચારમાં પડી. પ્રિયંવદાનું મુખ હર્ષિત દેખાતુ નથી, તેના ચરણના વેગ ઉપર આનંદનો વેગ ખીલકુલ નથી. મારાં ભાગ્ય એવાં ઉત્તમ કયાંથી હોય ? પ્રિયંવદાએ મ્યાન વદને જણાવ્યું—ખા સાહેબ ! હું નિષ્ફળ થખું છું. ક્રાપ્ત ઠેકાણે શ્રીયંત્ર કે શુદ્ર જોવામાં આવ્યા નહીં. હું પ્રિયવા ખેતી પડી છું, તમારી આગળ ટુવદા થઇ છું. તે સાંભળતાંજ ચંદ્રકળા નિરાશ થઇ ગઇ, તેણીમાં ઉન્માદ શ્રાવસ્થા પ્રગટ થઇ, હૃદયમાંથી નિ:શ્વાસ મુકવા લાગી, અને પ્રલાપ કરવા લાગી. અરે અભાગી ચંદ્રકળા ! તું નિભાગ્ય શિરામણી છે. પ્રાપ્ત થયેલા તે ઉત્તમ વર તે ગુમાવી દીધેલ છે, અરે ગોત્રદેવી ! અરે કુળદેવી ! તમે ક્યાં ગયાં ? મને દુઃખીયારીને શ્રીચંદ્રકુમાર બતાવી આપો. ચૈત્યની પુતળીઓને પુછવા માંડયું,—એનેા ! તમે શ્રીચંદ્રને જોયા છે કે નહીં ? તમે તમારા સાંદર્યમાં મેાહુ પમાડી છુપાવ્યા હોય તો, કૃપા કરી જણાવો. તમારી પહેલાં એ સુંદર વર ઉપર મારા હક છે. પ્રથમથીજ તેમતે પતિરૂપે હું વરી છું, તમે અનીતિ કરી છે, તે મેગ્ય નથી. તમે આવા પવિત્ર જિનાલયમાં વસી, એવું કામ કરશે નહીં. તમે પવિત્ર છે, પવિત્રતાથીજ તમારે વાસ જિનાલયમાં થયે છે. આવાં ધર્મ સ્થાનમાં નિર્વિકારી રહેવું જોઇએ. ક્ષણવારે ચૈત્યની બહાર આવી, મયૂર પક્ષિણીને જોઇ ખેલી— પ્રિય બેન ! તને આ વખતે નૃત્ય ક્રમ સુઝે છે? તમે સ્ત્રી જાતિ છે, જાતે જાતને સહાય કરવી જોઇએ. શ્રીયદ્રકુમાર ક્યાં છે ? તે જાણતાં હા તે। કૃપા કરી જણાવે; દુ:ખી ચંદ્રકળા તમારા ઉપકાર માનશે. મેના પોપટને જોઇ કહે છે— માયાળુ મેના ! મારા તેત્રમણિને કયાંઇ તમે જોયા છે ? તમે પક્ષી જાતમાં ચતુર છે, ચદ્રકળાના હૃદયના ચારને બતાવે. તમારાં જેવાં ચતુર પક્ષીની ચેકીમાંથી મારા હૃદયની ચેરી થ છે. તમે મારાં પગી થાએ, પગીરૂં કાઢી મારા ચતુર ચેારને દશાવે. જો તમે એમને જોયા હતા, તે કેમ ખેલાવીને રાખ્યા નહીં ? મારા પ્રાણેશને તમે જવા દીધા, એ ખાટું કર્યું. આ પ્રમાણે ચંદ્રકળા દરેક પક્ષીને, વૃક્ષને અને જે કાંઇ પદાર્થને દેખે, તેને શ્રી ચંદ્રના ખબર પુછતી હતી; વળી તે સાથે અતિ પશ્ચાતાપ કરતી હતી. ચદ્રકળાએ માકલેલી ચતુ। આવી ચંદ્રવતીને મળી, ચતુરાના ચહેરા ઉપર ઉત્સુકતા દેખાતી હતી, તે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy