________________
૧૦૮
આનંદ મંદિર,
રસમાં તે રાજરમણીઓ રસમ થતી હતી. જ્યારે શ્રી ચંદ્રકુમારના રાધાવેધને પ્રબંધ - વણરને મા, તે વો દીપતીને શંકા થવાથી ચંદ્રવતીએ તેનું સમાધાન કર્યું હતું, તે
સાથે જણાવ્યું કે, ચંદ્ર વણિક પુત્ર છે, અને એક ચતુર કળાધર તરીકે વિશ્વમાં વિખ્યાત છે, તે હાલ દીપશિખા નગરીમાં આવેલો છે. આ ખબર મને કંઈ દાસાએ આપેલા છે.
ક્ષણવાર પછી વણારવનું ગાયન સમાપ્ત થયું. રાજા દીપચંદ્ર અને તેને સભ્ય સમાજ તે સાંભળી ઘણોજ ખુશી થઈ ગયા, વીણારવની ઉપર ધન્યવાદની વૃષ્ટિ થવા માંડી. વિશ્વમાં વિખ્યાત વિણારવને દીપચકે ને હું ઈનામ આપ્યું. તિલકપુરમાં આવાં ગુણી ને રહે છે, તેને માટે રાજા શ્રાતિલકને અભિનંદન આપ્યું. સર્વ સમાજ વિણરવની પ્રશંસા કરતે વિસર્જન થઈ ગયા.
પ્રકરણ ૩૧ મુ. ચંદ્રકળાની મહદશા,
એમાં ચંદ્રકળાએ શ્રીચંદ્રને જે હતા, તે ત્યાંથી પસાર ૨૪, શ્રીચંદ્ર વરદત્ત શેઠને ઘેર રહ્યા છે. શ્રીચંદ્ર ચિત્યમાંથી પસાર થઈ ગ, તે ચંદ્રકાળાના જાણવામાં નહતું. ચંદ્રકળાએ પિતાની સખી ચ
તુને આ વૃત્તાંત કહેવાને દીપવતી પાસે મોકલી હતી, પોતે શ્રીચંદ્રકુમાર શિવાય બીજા કોઈ પતિને વરવાની નથી, એ નિશ્ચય પિતાના મોસાળનાં માતાવિતા જાણે, એવી તેની ઇચ્છા હતી. પોતાની પાસે પ્રિયંવદા નામે એક બીજી સખી હતી. ચંદ્રકળા ચિત્યની બહાર આવી શ્રી ચંદ્રકુમારનાં દર્શનની રાહ જોઈ ઉભી હતી, તે અનુરાગી રમણી જાણતી હતી કે, શ્રીચંદ્ર હમણાંજ મને દર્શન આપશે, અને મારા અંતરની કાતિની પરીક્ષા કરશે. ધડી બેઘડી પહેર સુધી તેણી રમણની રાહ જોઈ ઉભી રહી, પણ તેણીને બીચંદ્રનાં દર્શન થયાં નહિ. શ્રી ચંદ્રરૂપ પૂર્ણ દ્રને નીરખવા ઉભેલી ચંદ્રકળારૂપ ચકારી આખરે નિરાશ થઈ, તેના અંતરમાં અનેક સંક૯પ વિકપ થવા લાગ્યા. ચિંતામાં મમ થયેલી ચતુરાએ પ્રિયંવદાને કહ્યું, સખી ! જે, મારા હૃદયને ચેર કયાં છે ? પુનઃ ચેત્યમાં જઈ તપાસ કર, એ મનહર કુમાર ક્યાં છે ? તેની સુંદર આકૃતિ જોઈ, મારા નયનને સુધાંજન ક્યારે મળશે? અહા ! શું અદભૂત રૂપ! શી મનહર કાંતિ ! કેવું અનુપમ લાલિત્ય ! કેવું દિવ્ય કંઠમાધુર્ય ! સખી ! ચિત્યની બાહેર પણ જોઈ આવ, કોઈ રસિક રસણુએ તેને રોક્યો તે નહીં હોય ? ઘણી ગૌરાંગી ગોરીઓ તે ગાર આકૃતિની ગ્રાહક થાય તેમ છે. વખતે કેક અતિ રૂપવતી રામાએ તેના હૃદયને મેં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org