SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રકળા પની. - ૧૦૭ રક અતિ વહાલ બતાવી છે, અહા ! આ છે ચમત્કાર? તમારા જેવા પ્રભાવિક પુરૂષનાં મારે દર્શન થયાં, તે મારા ભાગને ઉદય. આજે વાદળ વગરની વૃષ્ટિ થઈ અને પુરુષ વિના ફળ આવ્યાં. આજની ઘડી અને મારું જીવન સફળ થયાં. મારા મૃહની ભૂમિ પણ જાયુવતી કે જેમાં તમારા પવિત્ર પગલાં પડે છે. આજે મારા ગૃહમાં વધામણી અને મંગનમય ઉસે થયા. મારા ગૃહ પાસે આવી પાછા જાઓ છે, તે યોગ્ય ન કહેવાય. આ ક, સમૃદ્ધિ અને વૈભવ તમારાં જ છે. આ સેવકની ઉપર કૃપા કરી મારે ઘેર પધારે. મારા ઘરને તમારા ચરણ કમળથી પવિત્ર કરો. સહેજ આવી ચડયા, તે હવે મારૂં આતિએ રવીકારવું જોઈએ. વરદત શેઠનાં આવાં આગ્રહી વચનથી શ્રીચંદ્રકુમાર પાછા આવ્યા. પિતાના મિત્રને અહીં રોકાવું પડયું. તે માટે ગુણચંદ્રને હદયમાં વિશેષ આનંદ થશે. પદ્મિની ચંદ્રકળા વિષેની ધારણા સફળ થવાની તેની આશા પાછી. સજીવન થઈ. પછી ગુણચંદ્ર વરદત શેઠને જણાવ્યું કે બહેરના સરવર પાસે અમારે રથ છે. પછી શેઠે માણસ મેકલી તે રથ તથા સારથાને ત્યાંથી બેલાવી લીધા. શ્રીચંદ્રને ઘેર લાવી વરદત્તે પિતાની સ્ત્રીને તેની ઓળખાણ કરાવી. સદગુણી શેઠાણીએ મુક્તાફળથી તેને પ્રેમપૂર્વક વધાવી લીધો. શેઠનું સદન મંગળમય અને ઉત્સવમય થઈ રહ્યું. ચંદ્રના અતિથિ સત્કાર માટે વરદતે ઉત્તમ પ્રકારની ગોઠવણ કરી. દીપશિખા નગરીમાં જે વરદત શેઠના ધનાઢય મિત્રો હતા, તેઓ શ્રી ચંદ્રકુમારને મળવા આવ્યા. મહારાજા દીપચંદ્રને પણ તે વાતની જાણ થઈ, અનેક વ્યાપારીઓ શ્રી ચંદ્રને આમંત્રણ આપવા આવ્યા. પ્રાતઃકાળે અને સાયંકાળે કીચદ્ર સર્વ વ્યાપારીઓની સાથે ફરવા જતા હતા. પ્રહગણમાં સૂર્યની જેમ તે ગૃહરામાં દીપી નીકળતો હતો. એક વખતે રાજ દીપચં મોટી સભા ભરી હતી, તે પ્રસંગે તિલકપુરના મા ખ્યાત ગાયક શિરોમણિ વીણાવને ગાયબ કરવા તેડાવ્યું હતું. ગાંધર્વ કળામાં શિરમણિ એવા વીરવે મૃદંગ, અને વિણાના મધુર શબ્દ સાથે ગાયન શરૂ કર્યું. ગાયનમાં તેણે શ્રી ટ્રે કરેલા રાધાવેધને પ્રબ ધ ગાવા માંડયો. તિલકપુરના સ્વયંવરનું વર્ણન કરી રાધાવંધના દેખાવનું તેણે યથાર્થ વર્ણન કરવા માંડયું, જેમાં બીજા રાજકુમારોને થયેલી વિટ. બનાને આબેહુબ ચિતાર આપ્યો હતો, તે પ્રસંગે શ્રીય કકુમારને સર્ષ ભરેલ પ્રભાવ પણ વર્ણન કરી બત . ગાયનના મધુર ધ્વનિથી રાજા દીપચંદ્રનું મન હરી લીધું, અને મૃતને તિરસ્કાર કરે તેવી નવ રસ ભવાની મધુસ્તા, રાગ, તાન, લય, અને મૂછના વગેરે સંગીતના ભેદ દર્શાવી, ચતુર ગજ્યક વીણાવે રાજ સભાને ચિત્રવત બનાવી દીધી. પાંચમા ગાંધર્વ વેદથી યોગી, અને ભેગીનાં ચંચળ ચિત્ત સ્થિર થઈ જાય છે; તન મન અર્પણ કરી, એકાગ્ર અનિમેષ દ્રષ્ટિએ અવલંકી, ઉંચી ગ્રીવા કરી, છેતાઓ તેમાં તલ્લીન બની જાય છે. આ ચતુર ગાયકનું ગાયન સાંભળવા માટે રાજા દીપચંદ્ર એક તરપિતાના અં. તઃપુર માટે ગોઠવણ કરી હતી. રાણી દીપવતી તથા ચંદ્રવતી પ્રમુખ સ્ત્રી સમાજ આ મધુર ગાન સાંભળવા બેઠો હતો. વીણાના સુંદર સંગીતમાં સુંદરીઓને સમાજ અનુરક્ત થઈ ગયો હતો. કંઠમાધુર્ય અને વાદ્યમાધુર્વના ઉચિત નથી. જામેલા સંગીત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy