SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪ આનંદ મંદિર. - સિદ્ બુદ્ધ તું જંગ જન સજ્જન, નયનાનંદન દેવ નમે; 'દ સકલ સુરાસુર નરવર નાયક, સાર અહર્નિશ સેવ નમેા. r ૬. તું તિર્થંકર શુલકર સાહેબ, તું નિષ્કારણુ બધુ મે; શરણાંગત જીવન હિત વત્સલ, તુહીં કૃપા રસ સીધુ નમા. "C “ કેવળ જ્ઞાનાદરી દર્શિત, લેક લેાક સ્વભાવ નમે; "6 નાર્થાિત સકળ કલ'ક કલુષ ગણુ, દુરિત ઉપદ્રવ ભાવ નમે. “ જગ ચિંતામણી જગ ગુરૂં જગ હિત, કારક જ જન નાથ નમે; . ઘેર અપાર ભવાદધિ તારણ, તું શિવપુરના સાય નમા. 6: અશરણુ શરણુ નિરાગ નિર ંજન, નિરૂપાધિક જગદીશ નમા; “ ખાધ દીયા અનુપમ દાનેશ્વર, જ્ઞાનવિમળ સૂરિશ નમા. અરિ. ૪ Jain Education International અરિ પ અરિ. ૬ રિ. ૮ શ્રી કુમાર આ પ્રમાણે ચૈત્યવંદન કરતાં મધુર ગીત ગાતા હતા. તેના કંઠે માધુર્યથી શ્રેાતાના શ્રવણનું આકર્ષણ થતું હતું, ચૈત્યની બાહેર ચદ્રકળા ચતુરા સાથે ઉભા ઉભી તે ગીત સાંભળતી હતી. કલકંઠના માધુર્યને દર્શાવનારા તે ગીતથી ગર્ભમ૫ ગાજી રહ્યા હતા—ચદ્રકળાના વિકારી હૃદયમાં આ ગીતે માહના વધારા કર્યો. તેણીનું મુગ્ધમન ધર્મ ભાવના સાથે મેાહમાં મસ થઇ ગયું. ચંદ્રકળાએ ચતુરાને કહ્યું, પ્રિય સખી ! મને હૃદયમાં વિશેષ ઉત્કંઠા થાય છે. આ જૈન ભક્ત પતિ મને શી રીતે પ્રાપ્ત થાય ? આવા ધાર્મિક પતિના સહવાસમાં સદા રહેનારી સુંદરીના જન્મ સાર્થક થાય છે. પ્રિય બેન ! મારા આ ભવમાં તે એજ પતિ મળજો. હું મન વચનથી એનેજ વરી ચુકી છું. સખી ! જે તું મારી પરમ હિતકારિણી હું તે ગમે તે પ્રયત્ન કરી, આ કુમારનાં કુળગેાત્ર અને માતા પિતાનાં નામ જાણી લે. મેં ઐતજ પતિ ધાો છે. સતી સ્ત્રીએ ધારેલા પતિ શિવાય ખીજાતે વરતી નથી. ખેન ! આ ચદ્રકળા હવે એ ચંદ્રની સાથેજ મળવાની, અને તેના ઉ દય અસ્તમાં તેનીજ સમભાગિની થવાની. એ મનેાહર કુમાર અહીંથી કયાં જાય છે, તે આપણે ધ્યાનમાં રાખવું. આપણે હવે તેના પીઅે પકડવા છે. ચંદ્રકળાનેા આવા નિશ્ચય જાણી ચતુરા ચૈત્યનાં દ્વાર આગળ આવી ગુણચંદ્રને મળી, તેની અતિ પ્રાર્થનાથી ગુણચંદ્રે શ્રીચંદ્રનાં નામ, ગાત્ર તથા માતા પિતા વિગેરે સમસ્યાથી ઓળખાવી દીધાં. શ્રીચંદ્ર ચૈત્ય ની ખાહેર આવ્યેા. પદ્મિની અનિમેષ દ્રષ્ટિએ તેના સામુ જોઇ રહી. ચકેારી જેમ ચંદ્ર સુધાનું પાન કરે, તેમ ચંદ્રકળાએ શ્રીચંદ્રની આકૃતિરૂપ સુધાનું પાન કર્યું. For Personal & Private Use Only અરિ. ૭ ગુણુચદ્રની ઇચ્છા પેાતાના રાજમિત્રને પદ્મિની સ્ત્રી પ્રાપ્ત કરાવવાની હતી, પોતાના મિત્રરત્ન શ્રીચંદ્ર પદ્મિનીના પતિ થાય, એવી તેના મનની ધારણા હતી. આથી તેણે ચંદ્રકળાની સખી ચતુરાને શ્રીચંદ્રનાં નામ, કુળ વગેરે સમસ્યાથી જણાવ્યાં હતાં. ચતુરાએ તે વાત જણાવી, એટલે ચંદ્રકળા ખુશી થઇ, તેણે ગુણચ ંદ્રના ઉપકાર માન્યા. ચૈત્યની બાહેર નીકળતાં ચંદ્રકળાએ સમસ્યાથી ઉપકાર માની ગુણચદ્રને સૂચવ્યુ કે, તમારા મિત્ર શ્રીચંદ્રને અહીં વિલંબ કરાવજો, તેથી મારૂં કાર્ય સિદ્ધ થઈ જશે. www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy