SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રકળા બની, ૧૦૩ છે, વળી તેણીનાં સ્તન ઉપરનું વસ્ત્ર ખસી જાય છે, અને ની િવશ્વ શથિળ થઈ જાય છે, વિકારી વામા પિતાના અધર કરે છે, અને અંગ મરડે છે. આવી આવી પિતાની વિકારી ચેષ્ટા જોઈ તે બાળાએ સખીને કહ્યું, પ્રિય સખી ! જા, પેલા સુંદર કુમારને પુછી જે. મારા મનરૂપ ધન હરનારો એ ચેર કોણ છે ? રૂ૫ લાવણ્ય અને લક્ષણયુક્ત એવા એ કુમારનું નામ, કુળ, ગોત્ર, દેશ અને નગર કેણ છે ? તેનાં માતા, પિતા અને વંશની વિખ્યાતિ કેવી છે ? એ બધે વૃત્તાંત જાણી પાછી સત્વર આવી મને જણાવ. તત્કાળ તે ચતુરા ગુણચંદ્ર પાસે આવી, અને પ્રણામ કરી બોલી–ભદ્ર ! પેલી રાજકન્યા ઉભી છે, તેનું નામ ચંદ્રકળા છે, રૂપથી ઉર્વશીને જીતનારી એ પતિની છે, એ મારાં બાઈ છે, હું તેમની પ્રેમપાત્ર સખી છું, મારું નામ ચતુરા છે, તેમણે મને તમારી પાસે મોકલી છે. આ તમારા મિત્ર કુમારનું શું નામ છે? તેમનું કુળ, જાતિ, ગોત્ર અને માતા પિતા કોણ છે ? તે કૃપા કરી જણાવશો. ગુણચંદ્ર શ્રી ચંદ્રની સર્વ હકીક્ત કહેવાની ઇચ્છા કરી, ત્યાં શ્રીચંદ્રકુમારે તેને અટકાવ્યો અને કહ્યું આપણે પ્રયજન વિના કાંઈ કહેવાની જરૂર નથી, કોઈ પણ કારણ વગર રસ-પુરૂષો પોતાનું ચરિત્ર કહેતા નથી, આપણે કર્યું જાતે કહેવો, તે લm ભરેલું છે. આ પ્રમાણે કહી શ્રીચંદ્ર ગુણચંદ્રને હાથ પકડી માં ચાલ્યો ગયે. વાટિકામાંથી બાહર નીકળી, તેઓ નગરની શોભા જોતા આગળ ચાલ્યા. રાજકન્યા ચંદ્રકળા પણ પિતાની ચતુરા સખીની સાથે એગ્ય વાહનમાં બેસી તેમની પ• વડે દૂર ચાલવા લાગી. દીપશીખા નગરીના મધ્ય ભાગે એક દેવતાના વિમાન જેવું જિન ચિત્ય હતું, જેની અદભૂત રચના પ્રેક્ષકના ચિત્તને આકર્ષતી હતી. તે ચેત્યને જોઈ શ્રીચંદ્રકુમાર ખુશી થયો. પ્રભુનાં દર્શન કરવાને તેના પવિત્ર હૃદયમાં ભાવના પ્રગટ થઈ. તત્કાળ તે મનોહર જિન મંદિરમાં દાખલ થયો. મંદિરમાં મણિમય તે રણની શભા દિવ્યતા દર્શન વતી હતી, શિખર ઉપર સુવર્ણના દંડ સહિત ધ્વજા ઝળકતી હતી, હૃદયમાં હર્ષથી ઉલ્લાસ પામતે નિસીહી ઉચ્ચારતે કુમાર ગર્ભગૃહમાં ગયા. ત્યાં તેણે દશ ત્રિક સાચવી, પ્રભુની પવિત્ર પ્રતિમાને વંદના કરી, પછી નીચે પ્રમાણે મધુર કંઠથી ચૈત્યવંદનનું મધુર ગીત શ્રીરાગવડે ગાવા માંડયું – અરિહંત નમો ભગવંત નમે, પરમેશ્વર શ્રી જિનરાજ નમે પ્રથમ જિનેશ્વર પ્રેમે પેખત, સીધાં સઘળાં કાજ નમે. અરિ. ૧ પ્રભુ પારંગત પરમ મહેય, અવિનાશી અકલંક નમે; “ અજરામર અદભૂત અતિવયના નિધિ, પ્રવચન જલધિમયંક નમો. અરિ. ૨ તિહુયણ ભવિયણ જણ મણ વંછિય, પૂરણ દેવ રસાળ નમે. “ સળિ લળિ પાય નમું હું ભાલે, કર જોડીને ત્રિકાળ નમે. અરિ. ૩ ૧ પ્રવચનરૂપ સમુદ્રમાં મૃગાંક-ચંદ્ર જેવા, ૨ દેવ રસાળ એટલે કલ્પવૃક્ષ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy