SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ચંદ્રકળા પધિની.. ૧૦૧ વખતે પાંચ પાંચસો ગજેન્દ્ર અને અશ્વ આપવાના છે, તે સાથે બહુ મૂલ્ય દાયને પૂરવાના છે. અદ્યાપિ કેઇ પુણ્યવંત પતિ ચંદ્રકળાને મળ્યું નથી, એ રાજબાળાની આ સાડી છે, જેની ઉપર ભ્રમરાઓ ગુંજારવ કરી રહ્યા છે. ભદ્ર ! મને તેમના એક સેવક તરીકે ચિંતા થયા કરે છે. સૂર્યવતીને હજુ પુત્ર થયેલ નથી, અને ચંદ્રકળા વરને મેગ્ય થયાં છે, તેના વિવાહની સંભાવના અદ્યાપિ કાંઈપણ જોવામાં આવતી નથી, અથવા વિધિના વ્યાપારને પાર કોઈ પામી શકતું નથી. વિધિ મનમાં અચિંત્ય હોય, તેને પણ યોગ કરી દે છે. કર્મની પ્રબળ સત્તા અકલિત છે. ભદ્ર! તમે વિદેશી છે, અહીં સહેજ આવી ચડયા છે, જે અવકાશ હોય તે દીપશિખા નગરી જોઈ આવો. એ નગરી દશેનીય છે, અનેક વિદેશી કે તેને ખાસ જેવાને આવે છે. - નળ ધોબીનાં આ વચન સાંભળી શ્રીચંદ્ર અને ગુણચંદ્રના મનમાં નગર જોવાની ઉત્કંઠા થઈ. કૌતુકી પુરૂષ આળસ કે પ્રમાદી દેતા નથી. નળને વૃત્તાંત સાંભળી તેમના ચિત્તમાં ચમત્કાર થઈ આવ્યો. તત્કાળ સુવેગ રથને ત્યાં રાખી તે બંને દીપશિખા નગરીમાં આવ્યા. નગરીમાં પ્રવેશ કરતાં અનેક ઉતારા, રમણીય મહિલા અને ઉંચી ઈમારતે જોવામાં આવી. આગળ જતાં કેટલાએક લેકના જમાવવાળું એક મોટું કટક નજરે ચડયું, તે નગરીની પાસે છાવણી નાખી પડયું હતું. ગજેની ગર્જનાથી, અશ્વેતા હેકારવથી અને શરીરના કોલાહલથી શિબિર ભૂમિ શબ્દાયમાન થઈ રહી હતી, આસ. પાસ રહેલા તંબુઓ જાણે શહેરના ભાગને વધારતા હોય, તેમ દેખાતા હતા. તે દેખાવ જોઈ શ્રીચંદ્રકુમારે ગુણચંદ્રને કહ્યું, મિત્ર ! આ કોની છાવણી હશે ? તે આપણે જાણવું જોઈએ. ગુણચંદ્ર ત્યાંથી પસાર થતા એક પુરૂષને પૂછયું, ભદ્ર! આ કેની છાવણી છે? તે પુરૂષ બોલ્યો, તિલકપુરના રાજા શ્રીતિલકને ધીર નામે એક પ્રધાન છે, તે ચતુરંગ સેના લઈ કુશસ્થલી તરફ જાય છે, તેને આજ બે ત્રણ દિવસ થયાં મુકામ છે. તમારે જે સંગીત વિદ્યા ઉપર પ્રીતિ હોય, તો ત્યાં જાઓ. તે છાવણીમાં વીણારવ નામે એક ગવે છે, ધીર મંત્રીએ તેને સાથે લીધો છે, તેનું સંગીત સર્વોત્તમ ગણાય છે. તેની પાસે ગાંધર્વના જેવી ગાયનકળા છે; વીણરવના જે કઈ બીજે ગાયક આ પૃથ્વી ઉપર નથી. આજે અમારા રાજા દીપચંદ્રના દરબારમાં ગમ્મત થવાની છે, તેમાં વણારવને ગાયન કરવાને બેલાવ્યો છે. તે પુરૂષનાં આવાં વચન સાંભળી શ્રીચંદ્રને તે નવીન કેતુક ઉત્પન્ન થયું, કોઈ પ્રસંગે તેનું ગાયન સાંભળવાનો તેણે નિશ્ચય કર્યો. દીપશિખા નગરીની બહાર નજિકમાં એક સુંદર વાટિકા હતી, અંતઃપુરની સ્ત્રીએને માટે રાજા દીપચંદે તે રચાવી હતી, જોકે તેને અંત:પુરોપવન અથવા જનાના બાગ કહેતા હતા. તે ઉપર એક વનપાળને રક્ષક તરીકે નીમે હતું, તેની આજ્ઞા શિવાય કોઈ પણ પુરૂષ તેમાં પ્રવેશ કરી શક્તો નહોતો. તે બાગ ના હતા, પણ તેની રમણીયતા ઘણીજ ઉત્તમ હતી, વિવિધ જાતનાં વૃક્ષોની શ્રેણી: ઉત્તમ પ્રકારે તેમાં ગોઠવી હતી, જુદી જુદી દિશાઓમાં સ્વાદિષ્ટ ફળને આપનારું વક્ષે પેલાં હતાં, સર્વ કાળ તે વૃક્ષમાંથી મધુર ફળ ઉત્પન્ન થતાં હતાંએક દિશામાં તાલ, તમાલ અને હિંતાલનાં વૃક્ષ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy