SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૦ આનદ મંદિર પરીક્ષા ઉપરથી તે વસ્ત્રના ધારકની પરીક્ષા થાય છે. ગુણચંદ્ર બે –મિત્ર ! કહો, તેમાં શું ચમત્કાર છે ? શ્રીચંદ્ર બે –આ સાડી કઈ પદ્મિની સ્ત્રીની છે, પશિની સ્ત્રીના શરીરને પસીને પુષ્પના સુગધથી પણ અધિક સુગંધી હોય છે. તે સુગંધને લઇ તેની ઉપર મધુકરનું મહા છંદ ઉડે છે. ગુણચંદ્ર બે -મિત્ર ! મને પદ્મિનીનાં લક્ષણ સમજા. શ્રીચંદ્ર બે – સ્ત્રીઓની ચાર જાતિ છે, પશ્વિની, હસ્તિની, ચિત્રિણી, અને શંખિણી. પતિની સ્ત્રીને સ્વેદ પદ્મના જેવો સુગંધી હોય છે, હસ્તિનીને વેદ મઘના જેવ, ચિત્રિણીને ચિત્રકના જેવો અને શંખિણીનો મત્સ્યના જે ગંધાય છે. પદ્મિનીને અલ્પ નિદ્રા અને અલ્પ આહાર હોય છે. હસ્તિની, ચિત્રિણી અને શંખિણીને ઘણે આહાર હોય છે. પશિની સદૂગુણ પુત્રને જન્મ આપે છે, હસ્તિની ઉદ્ધત પુત્રને જન્મ આપે છે, ચિત્રિણી શાંત પુત્રને અને શંખિણી દિન અને હીન એવા પુત્રને જન્મ આપે છે. પધિનીને પ્રેમ પ્રઢ હોય છે, હસ્તિનીને પ્રેમ લજજાથી ટકે છે, ચિત્રિણીને પ્રેમ કાર્યને અંગે હેય છે, અને શંખિણીને પ્રેમ ક્ષણિક હોય છે. પાની પિતાને અપરાધ જુએ છે, હસ્તિની બીજાને અપરાધ જુએ છે, ચિત્રિણી દંભ રાખી બેસે છે, અને શંખિણી કલહપ્રિયા હોય છે. પતિની સર્વમાં ડહાપણવાળી હોય છે, હરિતની કામ-વિલાસમાં દક્ષ છે, ચિત્રિણી ભજન કરવામાં અને શંખિણી સર્વદા શેક કરવામાં દક્ષ હેય છેપદ્મિનીમાં અલ્પ કામ હેય છે, હસ્તિનીમાં દીયં કામ હોય છે, ચિત્રિણીમાં વિચિત્ર કામ હોય છે, અને શંખિણીમાં વારંવાર કામ હોય છે. શ્રીચંદ્ર આ પ્રમાણે સ્ત્રીઓના પ્રકાર અને લક્ષણ કહી બતાવ્યાં, તે સાંભળી ગુણચંદ્ર આશ્ચર્ય પામી ગયો. જે પેલે પુરૂષ ઉભો હતો, તેની પાસે જઈ ગુણ કે પૂછ્યું, ભદ્ર ! તમે કોણ છે ? ક્યાં રહે છે ? આ વસ્ત્ર કોની છે ? તે પુરૂષ બો —હું જાતે ધોબી છું, મારું નામ નળ છે. અહીંથી નજિક દીપશિખા નામે નગરી છે, તેમાં હું રહું છું. એ નગરીમાં શત્રુને વશ કરનાર દીપચંદ્ર નામે રાજા છે. આ પદ્મ સરોવર તેમનું છે, હું તેમને બેબી છું, અહીં રાજવને છેવા આવ્યો છું. ગુણચંદ્ર પુનઃ પૂછ્યું, આ સુંદર સાડી કોની છે, તે જણાવશે ? નળ ધોબી બે –અમારા રાજા દીપચંદ્રને પ્રદીપવતી નામે રાણી છે, અને ચંદ્રાવતી નામે એક ભત્રીજી છે, તે શુભમાંગ રાજાની રાણી થાય છે, તેમને વામાંગ નામે એક કુમાર અને શશિકળા તથા ચંદ્રકળા નામે બે પુત્રીઓ છે, તે રૂ૫ લાવણની શાળારૂપ છે, મોટાં કુમારી શશિકલાને રત્નપુરના રાજા મહામહેલની સાથે પરણાવ્યાં છે, અને લઘુકુમારી ચંદ્રકળા હજુ કુંવારાં છે. રૂ૫ લાવ વતી એ બાળા પિતાના માતુલગુહમાં રહે છે, તે રમણીની આ સાડી છે. જ્યારે ચંદ્રકળાનો જન્મ થયો, ત્યારે ભવિષ્યવેત્તા જોધીએ કહ્યું હતું કે, આ બાળા સૌભાગ્યમાં ચડીયાતી અને રાજાધિરાજનાં પત્ની થશે. એક મહાત્મા સાધુના મુખેથી સાંભળવામાં આવ્યું છે કે, કુશસ્થળીના મહારાજા પ્રતાપસિંહનાં પત્ની સુવતીને એક પ્રતાપી પુત્ર અવતરશે. અદ્યાપિ હજુ સૂર્યવતીની પુત્રઈચ્છા પૂર્ણ થઈ નથી, તેથી રાજા શુભમાંગ ચિંતા કરતા હતા. તેને સ્વમામાં આવી, કુળદેવીએ જણાવ્યું કે, ચંદ્રકળાને માતુલગ્રહમાં રાખો, ત્યાં તેને વિવાહ થશે, તેની માતા દીપવતી અને બંધુ વામાંગ કુમાર તેના પાણીમોચન Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005580
Book TitleShreechand Kumar yane Anand Mandir
Original Sutra AuthorN/A
AuthorJain Dharm Vidya Prasarak Sabha Palitana
PublisherJain Dharm Vidya Prasarak Varg
Publication Year
Total Pages438
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy