SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ (૧૪) અયાગિકવલિ ગુણસ્થાનક મન–વચન-કાયાના સૂક્ષ્મ કે બાદર કેાઈ પણ પ્રકારના યેાગ જ્યાં બિલકુલ પ્રવર્તતા નથી તેથી આત્માની મેરૂ જેવી નિષ્પકમ્પ અવસ્થા જ્યાં હાય છે તેવા કેવળજ્ઞાની ભગવંતનું ગુણસ્થાનક અયાગિકેથલિ ગુણસ્થાનક છે. આને શૈલેશીકરણ પણ કહેવાય છે. આ ગુણુસ્થાનકના કાળ મધ્યમ રીતે પાંચ હસ્વાક્ષર ઉચ્ચારણના કાળ જેટલા છે. આ ગુણસ્થાનકે કર્મબંધના ચારમાંથી કાઈ પણ હેતુ નથી. ચાવત્ યાગ પણ નથી. તેથી નવા કર્મ બંધાતા નથી, અને જૂના કર્મના દલિક જે ગુણશ્રેણિ રૂપે ગઠવાયેલા છે તે ઉદય દ્વારા ભાગવાતાં જાય છે, અને ચરમ સમયે સર્વ કર્મક્ષય થઈ જતાં અનંતર સમયે જ જીવ સંસારચક્રમાંથી હંમેશ માટે છૂટીને ઊલાકના અન્તે સિદ્ધશીલા પર પહાચી જાય છે. તેની ઉપર જવાતું નથી. કેમકે અલાકમાં ધર્માસ્તિકાયના અભાવ છે. અહી' સવ કક્ષય થતાં અનંતર સમયે જ જીવ સિદ્ધશીલા પર પહેાંચી જાય છે; અને ત્યાં હમેશ માટે કેવળજ્ઞાનાદિ સર્વ ગુગૢાને ભાગવતા તે અનંત સુખને અનુખવે છે. હવે કદી પણ તે સિદ્ધ ભગવાને સંસારમાં પાછું આવવાનું નથી, કેમકે સંસારના મૂળરૂપ કર્મ તથા રાગદ્વેષનેા તેમને મૂળમાંથી ક્ષય થઈ ગયા છે. આ પ્રમાણે ચૌદ ગુણસ્થાનકનું સ્વરૂપ પૂર્ણ થયું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy