________________
- આ અપૂર્વકરણ ગુણસ્થાનક બે રીતે હોય છે.
ક્ષપકશ્રેણિમાં અને ૨ઉપશમશ્રેણિમાં.
આ ગુણસ્થાનને કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંત:મુહૂર્ત છે. આના કઈ પણ એક સમયમાં રહેલા વિવિધ ના અધ્યવસાયમાં તરતમતા હોઈ શકે છે એટલે કે વિશુદ્ધિ ઓછીવત્તી હોઈ શકે છે. તેથી આ ગુણસ્થાનકને નિવૃત્તિ ગુણસ્થાનક પણ કહેવાય છે.
જઘન્ય ૧ સમયને કાળ ઉપશમણિમાં ચડતા કે પડતા જીવનું મૃત્યુ થાય અને દેવલોકમાં પહોંચતાં જ ૪ થા ગુણસ્થાનકની પ્રાપ્તિ. થાય છે, તે અપેક્ષાએ છે. ક્ષપકશ્રેણિમાં તે જઘન્ય કાળ પણ અંત.. મુહૂર્ત જ છે.
(૯) અનિવૃત્તિ બાદર સપરાય ગુણસ્થાનક
નિવૃત્તિeતારતમ્ય, તરતમતા. એક સાથે આ ગુણસ્થાનકે આવેલા જીના અધ્યવસાય સરખા ( તરતમતા વિનાના) હોય છે. ત્રણે કાળમાં અનંતા જેને આ ગુણસ્થાનકની સ્પર્શન થાય છે. તે બધા. જીને આ ગુણરથાનકના વિવક્ષિત સમયે વિશુદ્ધિ સરખી જ હોય છે. અર્થાત્ આ ગુણસ્થાનકના પ્રથમસમયવતી જે જીવો વર્તમાનમાં હોય, જે જીવે ભૂતકાળમાં જ્યારે પ્રથમસમયે હતા, ભવિષ્યમાં જ્યારે જે જીવો આ ગુણસ્થાનકના પ્રથમસમયે હશે. તે બધા જીવોને તે સમયની વિશુદ્ધિ એકસરખી હોય છે. આ રીતે સર્વ સમયમાં જાણવું. તેથી જ આ ગુણસ્થાનકના કુલ અધ્યવસાયે ગુણસ્થાનકના કાળરૂપ અંતર્મુહૂર્તના સમય જેટલા જ હોય છે. હવે પછીના ગુણસ્થાનકમાં સૂકમ કષાયને. ઉદય આવવાને છે. તેની અપેક્ષાએ અહીં બાદર કષાયને ઉદય છે... તેથી આ ગુણસ્થાનકને અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક કહ્યું છે. પૂર્વની માફક આ ગુણસ્થાનકને કાળ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત જાણવો. આ ગુણસ્થાનકે ઉપશમ-શ્રેણિવાળે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org