________________
૭૬ જીવ ચારિત્રમેહનીય કર્મને લેભ સિવાય અગિયાર કષાય તથા નવ નોકષાયને ઉપશાંત કરે છે, જ્યારે ક્ષપકશ્રેણિવાળે જીવ ક્ષય કરે છે. (અનંતાનુબંધિ-૪, દર્શન–૩ ની ઉપશમના કે ક્ષપણ ૪ થી ૭ ગુણસ્થાનક સુધીમાં થઈ ગયેલ હોય છે.)
આ ગુણસ્થાનકના અંતે લેભ પણ કિટ્ટીરૂપ (અત્યંત કૃશ) બની ગયો હોય છે.
(૧૦) સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક "સૂમ કિટ્ટીરૂપે કરાયેલા લેભ કષાયને ઉદય છે જેને તે સૂક્ષ્મ સંપરાય ગુણસ્થાનક. અહીં પણ ક્ષપક જીવ સૂમ લેભને સર્વથા ક્ષય કરે છે, અને ઉપશામક જીવ સૂક્ષમ લેભને સર્વથા ઉપશમ કરે છે. આ ગુણસ્થાનકને કાળ પણ પૂર્વની માફક જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતમુહૂર્ત જાણો. (૧૧) ઉપશાંત કષાય વીતરાગ છઘ0 ગુણસ્થાનક
ચારિત્રમેહનીય કર્મ સર્વથા ઉપશાંત થયું છે, તેથી પ્રાપ્ત કર્યું છે વીતરાગપણું પણ જ્ઞાનાવરણાદિ કર્મના ઉદયથી છદ્મસ્થપણું બાકી છે તેવા જીવનું ગુણસ્થાનક તે ઉપશાંત કષાય વીતરાગ છઘસ્થ ગુણસ્થાનક છે. છa=ઢાંકવું. કેવળજ્ઞાન, કેવળદર્શનને ઢાંકે તે છે. એટલે જ્ઞાનાવરણાદિ ઘાતિકર્મ, કેમકે તેના ઉદયમાં જીવને કેવળજ્ઞાન-કેવળદર્શન હોતું નથી. ઘાતિકર્મના ઉદયવાળો છવ છદ્યસ્થ કહેવાય છે. ઉપશમ-શ્રેણિમાં મોહનીય કર્મ સર્વથા ઉપશાંત થઈ જતાં આ ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે. આ ગુણસ્થાનકને કાળ પણ જઘન્યથી ૧ સમય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત છે.
આ ગુણસ્થાનકથી બે રીતે પતન થાય છે. (૧) ભવક્ષયથી, (૨) કાળક્ષયથી. ૩૫. કિટ્ટીરૂપ એટલે અત્યંત કૃશ થઈ ગયેલ સૂક્ષ્મ લેભ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org