________________
કારણે મોટા પ્રમાણમાં કરે છે. પૂર્વ ગુણસ્થાનકમાં વધારે કાળમાં છેડે સ્થિતિને હાશ થતો હતો, છેડો રસઘાત થતું હતું. અહીં વિશુદ્ધિ વધારે હોવાથી થોડા કાળમાં ઘણી સ્થિતિ અને રસને ઘાત થાય છે.
ગુણશ્રેણિ – ઉપરની સ્થિતિમાંથી અપવર્તના કરણ વડે ઉતારેલા કર્મલિકે જલ્દીથી ખપાવવા માટે ઉદય સમયથી અંતમુહૂર્ત સુધીના સમયના નિષેકને વિષે અસંખ્ય ગુણના ક્રમથી ગોઠવવા તે ગુણશ્રેણિ. - પ્રતિસમય વિશુદ્ધિના કારણે અસંખ્ય ગુણદલિકે ઉપરની સ્થિતિ માંથી ઉતારે છે. તે ઉઢય સમયથી અંતર્મુહર્ત સુધીના નિષેકમાં અસંખ્ય ગુણવૃદ્ધિએ ગઠવે છે. જેમકે પ્રથમ સમયે જે દલિક ઉતાર્યા તેમાંથી ઉદયનિષેકમાં થોડા દિલિકે ગોઠવે, ત્યારપછીના નિષેકસ્થાનમાં અસંખ્યગુણા એમ અંતમુહૂર્ત સુધીના સ્થાનમાં અસંખ્યાતગુણદલિકે ગોઠવે. બીજા સમયે પ્રથમ સમય કરતાં અસંખ્ય ગુણ દલિકો ઉતારે અને તે જ કમે અસંખ્યગુણવૃદ્ધિએ ગોઠવે. આમ ત્રીજાદિ સમયમાં પણ જાણવું. .
પૂર્વના ગુણસ્થાનકમાં ઓછી વિશુદ્ધિ હતી. તેથી ગુણશ્રેણિની દીર્ઘતા વધારે હતી ( ગુણશ્રેણિનું અંતમુહૂર્ત મોટું હતું ) અને દલિકે અપ પ્રમાણમાં ગોઠવાતાં, અહીં વિશુદ્ધિ વધારે હોવાના કારણે ગુણશ્રેણિની દીર્ઘતા ઓછી છે. (ગુણશ્રેણિનું અંતર્મુહૂર્ત નાનું છે.) દલિકે વધારે પ્રમાણમાં ગોઠવાય છે,
ગુણસંક્રમ:- સત્તામાં રહેલા અબધ્યમાન અશુભ કર્મના દલિકેને પ્રતિસમય અસંખ્યગુણથી વૃદ્ધિથી બધ્યમાન કર્મ પ્રકૃતિમાં સંકમાવવા (તે રૂપે કરવા) તે ગુણસંકમ.
અપૂર્વ સ્થિતિ બંધ –વિશુદ્ધિના કારણે પૂર્વ પૂર્વ સ્થિતિબંધથી ઉતરોત્તર પલ્યોપમના સંખ્યામાં ભાગ ન્યૂન સ્થિતિબંધ કરે છે. તે અંતર્મુહૂર્ત સુધી તેવો જ રહે. અંતમુહૂર્ત પછી નવો રિતિબંધ પૂર્વના સ્થિતિબંધથી પલ્યોપમના સંખ્યામાં ભાગ જેટલે ન્યૂન થાય. આમ યાવત્ અપૂર્વકરણના અંત સુધી જાણવું. સ્થિતિબંધનું અંતર્મુહૂર્ત અપૂર્વકરણનાં અંતમુહૂર્તથી નાનું હોય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org