SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ (૨) મિથ્યાત્વ મેહનીય અને અનંતાનુબધિ કપ:ચના ક્ષયોપશમથી ઉત્પન્ન થતું સમ્યકત્વ તે ક્ષાપશમિ સમ્યકત્વ છે. અહીં સમકિત મોહનીયને વિપાકેદય અને બાકીના ૬ દર્શન મેહનીય પ્રદેશદય છે. (૩) અનંતાનુબંધિ કષાય અને દર્શનત્રિક આ સાતેના ક્ષયથી ઉત્પન્ન થયેલ સમ્યકત્વ તે ક્ષાયિક સમ્યકત્વ છે. આ ગુણસ્થાનકનો કાળ જઘન્યથી અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાધિક ૩૩ સાગરોપમ છે. - (૫) દેશવિરતિ ગુણસ્થાનક દેશથી વિરતિને સ્વીકારવી તે દેશવિરતિ. તેનું ગુણસ્થાનક તે દેશવિરતિ ગુણસ્થાનક, સમ્યગ્દર્શન દ્વારા વિરતિને મેક્ષની નિસરણી સમજી સર્વવિરતિને ઇરછતા પ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી સર્વવિરતિને નહિ સ્વીકારી શકતે, શક્તિ મુજબ દેશથી વિરતિને સ્વીકારે તે દેશવિરતિ છે. તેને એક આવ્રતથી માંડીને સર્વ અણુવ્રત હોય છે. યાવત્ અનુમતિ સિવાય સર્વ સાવધના પચ્ચખાણ કરતે જીવ પણ દેશવિરત છે. આ ગુણસ્થાનકને કાળ જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી દેશપૂર્વકેટિ છે. (૬) પ્રમત્ત સંયત ગુણસ્થાનક આ સર્વ સાવદ્ય યુગથી અટકે તે સંયત. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ક્ષયોપશમથી સંતપણું પ્રાપ્ત થાય છે. સંયમ હોવા છતાં ક્યારેક સંજવલન કષાય કે નિદ્રાના ઉદયથી સંયમના યુગમાં જે પ્રમાદ કરે છે તે પ્રમત્ત. મિત્ત એવા સંતનું ગુણસ્થાનક તે પ્રમત્ત સંવત ગુણસ્થાનક છે. ગુણસ્થાનક એટલે વિશુદ્ધિને પ્રકર્ષ અને અવિશુદ્ધિના અપકર્ષથી થત સ્વરૂપભેદ. અર્થાત્ દેશવિરતિ ગુણસ્થાનકની અપેક્ષાએ પ્રમત્તસંયતેને ગુણેમાં વિશુદ્ધિને પ્રકર્ષ અને અવિશુદ્ધિને અપકર્ષ હોય છે. જ્યારે અપ્રમત્ત સંયતની અપેક્ષાએ ગુણમાં વિશુદ્ધિને અપકર્ષ અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy