SearchBrowseAboutContactDonate
Page Preview
Page 86
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૧. વિશુદ્ધ પુંજ (મિશ્ર મેહનીય) કર્મને ઉદય થતાં જીવ મિશ્ર ગુણસ્થાનકે પહોંચે છે. આ ગુણસ્થાનકે રહેલા જીવને જિનવચન પર રુચિ પણ નથી. તેમજ અરુચિ પણ નથી. આ ગુણસ્થાનકેન કાળ અંતમુહૂર્ત છે. ત્યાર પછી જીવ અવશ્ય પ્રથમ કે ચતુર્થ ગુણસ્થાનકે જાય છે. વળી આ ગુણસ્થાનકે ચતુર્થાદિ ગુણસ્થાનકથી કે પ્રથમ ગુણસ્થાનકથી પણ અવાય છે. () અવિરતિ સમગ્ર દષ્ટિ ગુણસ્થાનક જિનપ્રણીત તો પર શ્રદ્ધાવાળો જીવ તે સમ્યદૃષ્ટિ. જિન વચન દ્વારા વિરતિને મેશની નિસરણરૂપ માનવા છતાં અપ્રત્યાખ્યાનીય કષાયના ઉદયથી વિરતિ ધર્મને સ્વીકારી શકતો નથી, તે જીવ અવિરતિ સમ્યગૃષ્ટિ. તેનું ગુણસ્થાનક તે અવિરતિ સમ્યગૂદષ્ટિ ગુણસ્થાનક बंधं अविरइहेउ जाणंतो रागदोसदुक्खं च । विरइसुहं इच्छंतो विरई काउच असमत्थो । एस अंस नयसम्मो निंदंतो पावकम्मकरणं च। . . अहिगय जीवाजीवो अचलियदिट्ठी चलियमोहो ॥ અવિરતિના કારણે કર્મબંધને તથા રાગદ્વેષને દુઃખને જાણ તથા વિરતિ સુખને ઈચ્છતે પણ વિરતિ કરવાને અસમર્થ એવો પાપકર્મની નિંદાને કરતે જીવાદિ તત્ત્વોને જાણકાર–અચલિત (સમ્ય)- ' દૃષ્ટિવાળે ચલિત મેહવાગે એ અવિરતિ સમ્યગદષ્ટિ જીવ છે. આ ગુણસ્થાનકે ઓપશમિક, ક્ષાપશમિક કે ક્ષાયિક ત્રણમાંથી. કોઈ પણ એક સમ્યકત્વ હોય છે. (૧) મિથ્યાત્વ મેહનીય કર્મને પ્રદેશ અને વિપાક બંને પ્રકારના - ઉદયના અભાવથી ઉત્પન્ન થતું સમ્યકત્વ તે પથમિક સમ્યકત્વ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy