SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ Go . કરે તે આસાદન, તેના સહિત છવ તે સાસાઇન અથવા સાસ્વાદન. સાસ્વાદન એવા સમ્યગદષ્ટિ જીવનું ગુણસ્થાનક તે સાસ્વાદન સમ્યગૂદષ્ટિ ગુણસ્થાનક જાણવું. (૩) સભ્ય મિથ્યાષ્ટિ ગુણસ્થાનક અનાદિ મિથ્યાષ્ટિ જીવ પ્રથમ પશમિક સમ્યકત્વ પામતા જ અધ્યવસાય વિશેષથી સત્તામાં રહેલા મિથ્યાત્વ મોહનીયકર્મને રસભેદે. ત્રણ ભેદ કરે છે. ૧. શુદ્ધ ૨. અર્ધશુદ્ધ ૩ અવિશુદ્ધ ' સમ્યક્ત્વના અધ્યવસાય વિશેષથી મિથ્યાત્વ મેહનીય કર્મના જે પુગલો એક ઠાણીયા રસવાળા અથવા મંદ ઠાણીયા રસવાળા રહે છે તે શુદ્ધ પુંજ કહેવાય છે. તે સમતિ મેહનીય કર્મ તરીકે ઓળખાયું. છે. તે જ રીતે મિથ્યાત્વ મેહનીય કર્મના જે પુદ્ગલે મધ્યમ બે. ઠાણીયા રસવાળા રહે છે તે અર્ધશુદ્ધ પુંજ કહેવાય છે. તે મિશ્ર મેહનીય તરીકે ઓળખાય છે. તે રીતે મિથ્યાત્વ મેહનીય કર્મના જે પુદગલો મધ્યમ બે ઠાણીયાથી વધુ યાવત્ ઉત્કૃષ્ટ બે ઠાણીયા સુધી, તથા ત્રણ અને ચાર ઠાણીયા રસવાળા રહે છે તે અવિશુદ્ધ પેજ કહેવાય. છે. તે મિથ્યાત્વ મેહનીય તરીકે ઓળખાય છે. ઔપશમિક સમ્યકત્વથી પડતા અનંતાનુબંધિ કષાયને ઉદય. થતાં જે જીવ સાસ્વાદન ગુણસ્થાનકે જાય છે. તેઓને અવશ્ય મિથ્યાત્વ મેહનીય કર્મને ઉદય થાય છે. અને મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. જ્યારે તે સિવાય પશમિક સમ્યક્ત્વનો કાળ પૂરો થતા ત્રણમાંથી કઈ પણ પુંજ ઉદયમાં આવે છે. આમાં અવિશુદ્ધ પુંજ (મિથ્યાત્વ મેહનીય) ઉદયમાં આવે તે જીવ પ્રથમ મિથ્યાત્વ ગુણસ્થાનકે જાય છે. વિશુદ્ધ ( સમકિત મેહનીય) કર્મને પુજ ઉદયમાં આવતા પશમ સમકિત પ્રાપ્ત થાય છે. અને ચતુર્થાદિ (૪-૫-૬-૭) ગુણસ્થાનકે રહે છે. અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy