________________
ઉ–જો કે મિથ્યાદષ્ટિ જીવને સર્વઘાતિ એવી મિથ્યાત્વ મેહનીય કર્મપ્રકૃતિના ઉદયથી તેને વિષે વિપરીતદષ્ટિ હોય છે, પરંતુ આ પશુ છે, આ મનુષ્ય છે વગેરે પ્રતીતિ અવિપરીત હોય છે. તેવી જ રીતે નિગોદમાં રહેલા જીવને પણ તથા પ્રકારે અવ્યક્ત સ્પર્શમાત્રનું પણ અવિપરીત જ્ઞાન હોય છે. જેમ અત્યંત ગાઢ વાદળોથી આચ્છાદિત સૂર્ય-ચન્દ્રની પણ કાંઈક પ્રભા હોય છે તેમ. આ અપેક્ષાએ મિથ્યાદષ્ટિ જીવોને પણ ગુણસ્થાનક કહ્યું છે.
પ્ર—તે પછી તેઓને મિથ્યાદષ્ટિ કેમ કહો છો? આ મનુષ્ય છે, આ પશુ છે વગેરે જ્ઞાનની અપેક્ષાએ તે તેઓ સમ્યગદૃષ્ટિ પણ છે અથવા જિનપ્રણીત કેટલાક પદાર્થોને માને છે, કેટલાકને નથી માનતા માટે તેમને સમ્યગૃમિથ્યાષ્ટિ કહોને ?
ઉ–આ વાત પણ બરાબર નથી. કેમકે જિનપ્રણીત સર્વ પ્રવચનના અર્થને માનવા છતાં એક અક્ષર પણ જેને ન રુચે તે મિથ્યાદૃષ્ટિ જ કહેવાય છે, કેમકે તેને સર્વજ્ઞ ભગવાન પ્રત્યે અવિશ્વાસ છે. સમ્યગૃમિથ્યાષ્ટિનું લક્ષણ તે એ છે કે નાળિયેર દ્વીપના મનુષ્ય જેમ અન્નાદિ ભોજન ક્યારેય જોયું નથી કે સાંભળ્યું નથી તેથી ભૂખ વખતે પણ અન્નાદિને જોતાં તેને તેના પ્રત્યે રુચિ પણ થતી નથી તથા અરુચિ પણ થતી નથી. તેવી રીતે જિનવચન પ્રત્યે રુચિને ભાવ કે અરુચિને ભાવ જેને નથી તે જીવ સમ્યગૃમિથ્યાદષ્ટિ કહેવાય છે.
વસ્તુતઃ સઘળા પદાર્થોને જિનેશ્વર ભગવતેએ કહેલા છે તે મુજબ જ માને તે સમ્યગદષ્ટિ.
આ સઘળા પદાર્થો વિષે સમ્યમ્ અને મિથ્યા અને પ્રકારના જ્ઞાનના અભાવે જિને કહ્યા મુજબ માને નહિ તેમજ વિપરીત પણ ન માને
-
$
**
:
:
'
'
તરસ્યા
આ સઘળા પદાર્થોને જિનેશ્વરે કહ્યા મુજબ માને. પરંતુ એકાદ પદાર્થને વિષે પણ- એકાંતે જિનવચનથી વિપરીત માન્યતા જેને હોય તે સિદ : - .. '
: ' જ છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org