SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ વાચાળપણું, આક્રેશ, સૌભાગ્યને ઉપઘાત, કામણ ટ્રમણની ક્રિયા, બીજાને કુતૂહલ ઉપજાવવું, બીજાને ઉત્પાત કરાવ, બીજાની મશ્કરી કે વિડંબણા કરવી, વેશ્યાદિને અલંકારદાન, દાવાગ્નિ, સળગાવવા દેવાદિને બહાને ગંધાદિ દ્રવ્યની ચેરી, તત્ર કષા, પ્રતિમા–મંદિરઉપાશ્રય-બગીચાને વિનાશ કરે, અંગારાદિ કિયા વગેરે અશુભ નામકર્મના આશ્રવે છે. - તીર્થકર નામકર્મ –શુભ નામકર્મના સામાન્યથી આવો બતાવ્યા છે. અહીં તીર્થકર નામકર્મને વિશિષ્ટ આશ્રવ (કારણે) બતાવાય છે. સમ્યગદર્શનની નિર્મળતા, વિનયસંપન્નતા, શીલવતમાં અતિચારોને અભાવ, પ્રતિક્ષણ જ્ઞાને પગ, સંવેગ, શક્તિ મુજબ ત્યાગ–તપ, સંઘ અને સાધુને સમાધિ કરવી, સંઘ-સાધુની વૈયાવચ્ચ, અરિહંતઆચાર્ય–બહુશ્રુત તથા પ્રવચનની ભક્તિ, આવશ્યક ક્રિયાની અખંડ સાધના, શાસન–પ્રભાવના, સંઘ વાત્સલ્ય, અરિહંત-સિદ્ધ-પ્રવચનાદિ વીસ રથાનકની–આરાધના આ બધા તીર્થકર નામકર્મના આવો છે. ગોત્રકર્મ – - (i) ઉચ્ચ ગેત્ર –બીજાના ગુણને જોવા, બીજાના દેશ પ્રત્યે ઉદાસીનતા, મદરહિતપણું, અધ્યયન-અધ્યાપન પ્રત્યે રુચિભાવ અર્થાત્ સ્વયં ભણવું–બીજાને ભણાવવા, અર્થનું ચિંતન કરવું, બીજાને અર્થનું વ્યાખ્યાન કરવું તથા ભણવા-ભણાવવાની શક્તિ ન હોય તે બીજા ભણનાર ભણાવનારને જોઈને તીવ્ર બહુમાનપૂર્વક અનુમોદના કરવી. જિન આચાર્ય–ઉપાધ્યાય, સાધુ-ચૈત્ય વગેરેની પ્રત્યે ભક્તિ-બહુમાન, બીજા ગુણીજને પ્રત્યે બહુમાન વગેરેથી ઉચ્ચગેત્ર કર્મ બંધાય છે. .. (ii) નીચ ગોત્ર – ઉચ્ચગેત્રના બંધહેતુથી વિપરીત આચરનાર નીચત્ર કર્મ બાંધે છે. જેમકે, પરનિંદા, અવજ્ઞા, મશ્કરી, બીજાના ગુણને ઢાંકવા, બીજાના સત્ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy