________________
(૨) બાદર નામકેઃ—જે કર્મના ઉદયથી જીવને બાદરપણુ
પ્રાપ્ત થાય.
૩૭
(૩) પર્યાપ્ત નામફે—જે કર્મના ઉદયથી જીવ સ્વયેાગ્ય પર્યાપ્તિક પૂર્ણ કરવા સમર્થ બને.
(૪) પ્રત્યેક નામકઃ—જે કર્મના ઉદયથી જીવનુ સ્વતંત્ર જુઠ્ઠુ ઔદારિક વગેરે શરીર થાય.
(૫) સ્થિર નામકર્મોઃ—જે કર્માંના ઉદયથી દાંત, હાડકાં, ગ્રીવા વગેરે અવયવા સ્થિર થાય.
(૬) શુભ નામકેમ:—જે કર્મના ઉદયથી નાભિની ઉપરના શુભ અવયવા જીવને પ્રાપ્ત થાય. નાભિની નીચેના અવયવા અશુભ ગણાય છે. તેથી જ મસ્તક વગેરેથી કોઈ સ્પર્શ કરે તા આનંદ થાય છે, અને પગથી સ્પર્શ કરે તેા દુઃખ થાય છે.
(૭) સુભગ નામઃ—જે કર્મના ઉદયથી અનુપકારી છતાં સવને પ્રિય લાગે. તીર્થંકરા વગેરે અભવ્યાદિને અપ્રિય લાગે છે ત્યાં તેઓના ( અભવ્યાદિના )દોષ છે. ભગવાનને દુગ નામકર્મના
ઉદ્દય નથી.
૨૩. પ્ર-શરીર ન!મક તથા શરીર પર્યાપ્તિ નામક અને શ્વાસોશ્વાસ નામક તથા શ્વાસોશ્વાસ પર્યાપ્તિ નામક`નાં કાર્યમાં શુ ભેદ છે ?
ઉ–શરીર નામકર્માંના ઉદયથી શરીરને યાગ્ય પુદ્ગલાનું ગ્રહણ તથા શરીર રૂપે પરિણમન થાય છે જ્યારે શરીર પર્યાપ્તિ નામકર્મથી શરીરરૂપે પરિણમેલ પુદ્ગલોમાંથી શરુ કરેલ શરીરની રચના યોગ્ય રીતે પૂર્ણ થાય છે. તેમ શ્વાસશ્વાસ નામકર્મના ઉદયથી શ્વાસેાશ્વાસના પુદ્ગલાને પ્રાપ્ત કરવાની શક્તિ મળે છે. જ્યારે શ્વાસાશ્ચાસ પર્યાપ્તિ નામકર્મીના ઉદયથી એ શક્તિ કાર્ય કરે છે.
પર્યાપ્ત જીવો એ પ્રકાર છે. (૧) લબ્ધિપર્યાપ્તા (૨) કરણ પર્યાપ્તા. જે જીવા પોતાની પર્યાપ્ત પૂર્ણ કર્યાં પછી જ મરવાના છે, તે પૂર્વે મરવાના નથી, તે લબ્ધિપર્યાપ્તા, જેઓએ સ્વયાગ્ય બધી પર્યાપ્તિ પૂર્ણ કરી છે. તે ‘કરણ પર્યાપ્તા કહેવાય છે. પર્યાપ્ત નામકર્મના ઉદ્દયથી જીવ લબ્ધિ-પર્યાતા અને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org