________________
- ૩૪ (i) ઉષ્ણસ્પર્શ નામકર્મ-જે કર્મના ઉદયથી જીવનું શરીર અગ્નિ આદિની જેમ ઉષ્ણ થાય.
(ii) સ્નિગ્ધસ્પર્શ નામકર્મ:-જે કર્મના ઉદયથી જીવનું શરીર તેલાદિની જેમ સ્નિગ્ધ થાય.
(i) રૂક્ષસ્પર્શ નામકમ-જે કર્મના ઉદયથી જીવનું શરીર રાખાદિની જેમ રૂક્ષ થાય.
આમ વર્ણાદિ નામકર્મ ૨૦ પ્રકારે થયું.. - આમાંથી નીલવર્ણનામકર્મ, કૃષ્ણવર્ણનામકર્મ, દુરભિગંધનામકર્મ, તિક્તરસનામકર્મ, કટુરસનામકર્મ, ગુરુસ્પર્શનામકર્મ, કર્કશસ્પર્શનામકર્મ, રૂક્ષસ્પર્શનામકર્મ, શીતસ્પર્શનામકર્મ, આ નવ અશુભ છે. બાકીના ૧૧
શુભ છે.
(૧૩) આનુપૂર્વી નામકર્મ : ૪ પ્રકારે - નરકનપૂવી નામકર્મ –જે કર્મના ઉદયથી વકગતિથી નરકગતિમાં જતા જીવની આકાશ પ્રદેશની ચૅણ અનુસાર ગતિ થાય તે. આ જ રીતે તિર્યંચાનુપૂવી નામકર્મ, મનુષ્યાનુપૂર્વી નામકર્મ, દેવાનુપૂર્વી નામકર્મની વ્યાખ્યા જાણવી. - મૃત્યુ પામીને પરલોકમાં જતાં જીવની આકાશપ્રદેશની સમશ્રેણિ અનસાર ગતિ થાય છે. એટલે કે જીવ છેલ્લે શરીરમાંથી જ્યાં નીકળે ત્યાંથી એક જ લેવલે ઉપર, નીચે કે બાજુમાં જાય, જે જીવનું નવા ભવમાં ઉત્પત્તિસ્થાન સમઍણિમાં જ આવી જતું હોય તે ત્યાં અને તર સમયે જ એક સમયમાં પહોંચી જાય છે, પરંતુ જે જીવન ઉત્પત્તિસ્થાન મૃત્યુસ્થાનની સમશ્રેણિએ ન હોય તે સમણિએ સીધા ઉપર કે નીચે જઈ પછી સીધે (રાઈટ એંગલે) વળી જાય અને પાછો સમશ્રેણિએ ત્યાં પહોંચે અને મૃત્યુ પછી બીજા સમયે નવા ભવના ઉત્પત્તિસ્થાને પહોંચે છે. લોકમાં આ રીતે વિવિધ ઉત્પત્તિસ્થળે પહોંચતાં વધુમાં વધુ ત્રણ વાર વળવું પડે અને ચાર સમયે પહેચાય
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org