________________
(iv) નરકગતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી જીવને નરકગતિ રૂપ પર્યાય થાય તે.
(૨) જાતિ નામકર્મ : ૫ પ્રકારે " (i) એકેન્દ્રિય જાતિ નામકર્મ :- જે કર્મના ઉદયથી અનેક ભેદવાળા એકેન્દ્રિય જીવમાં આ એકેન્દ્રિય છે તેવા વ્યવહારમાં કારણભૂત સમાન પરિણામ થાય તે એકેન્દ્રિય જાતિ નામકર્મ..
આ જ પ્રમાણે બેઈન્દ્રિય જાતિ નામ, ઈન્દ્રિય જાતિ નામકર્મ, ચઉરિન્દ્રિય જાતિ નામકર્મ, પંચેન્દ્રિય જાતિ નામકર્મની વ્યાખ્યા જાણવી. - દ્રવ્ય ઇદ્રિય અંગોપાંગ નામકર્મના ઉદયથી થાય છે. ભાવઈન્દ્રિય મતિજ્ઞાનાવરણાદિ કર્મોના ક્ષપશમથી થાય છે. જ્યારે એકેન્દ્રિયાદિ રૂપે વ્યવહાર એકેન્દ્રિયાદિ જાતિ નામકર્મના ઉદયથી થાય છે. જન્મથી આંધળે પણ ચઉરિન્દ્રિય નથી કહેવાત, તેમજ બકુલાદિ વનસ્પતિમાં પાંચે ઈન્દ્રિયનું જ્ઞાન દેખાવા છતાં તે પાંચેન્દ્રિય નથી કહેવાતી, તેનું કારણ આંધળાને પણ પચેન્દ્રિય જાતિ નામકર્મને તથા બકુલાદિને એકેન્દ્રિય જાતિ નામકર્મને ઉદય છે.
(૩) શરીર નામકર્મ : ૫ પ્રકારે (1) ઔદારિક શરીર નામકર્મ:- જે કર્મના ઉદયથી જીવ. દારિક શર રપુદગલોને ગ્રહણ કરે, ઔદારિક શરીર રૂપે પરિણમાવે અને આત્મા છેડે એકમેક કરે તે ઔદારિક શરીર નામકર્મ.
આજ રીતે વૈક્રિય શરીર નામકર્મ, આહાર, શરીર નામકર્મ, તેજસ શરીર નામકર્મ, કામણ શરીર નામકર્મની વ્યાખ્યા જાણવી.
(૪) અંગે પાંગ નામકર્મ : ૩ પ્રકારે (i) ઔદારિક અંગોપાંગ નામકર્મ :- જે કર્મના ઉદયથી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org