SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) સકલ-ઉત્પન્ન થતાની સાથે સઘળું જાણે. (૩) અસાધારણ –તેના સમાન બીજું કઈ જ્ઞાન નથી.. (૪) અનંત – અનંત વસ્તુને જાણે અથવા અનંતકાળ રહે છે. (૫) નિર્લાઘાત –કોઈ પણ જાતના વ્યાઘાત રહિત... (૬) એક –મયાદિ ચાર જ્ઞાનથી રહિત મયાદિ ચાર જ્ઞાન ક્ષાપશમિક ભાવે છે, જ્યારે કેવળજ્ઞાન ક્ષાયિક ભાવે છે. તેથી કેવળજ્ઞાનની હાજરીમાં મતિજ્ઞાનાદિની વિદ્યમાનતા મનાતી નથી. વાદળથી ઘેરાયેલા સૂર્યને પ્રકાશ મકાનની દીવાલ વગેરેમાં રહેલ બારી આદિમાંથી મકાનમાં આવે છે અને ઘટાદિ પદાર્થોને પ્રકાશિત કરે છે. તેવી રીતે કેવળજ્ઞાનાવરણ કર્મથી ઢંકાયેલે કેવળજ્ઞાનને પ્રકાશ મતિજ્ઞાનાવરણાદિન ક્ષયશમરૂપ બારીઓ દ્વારા આત્મામાં પ્રગટ થાય છે. તે જ્ઞાનને પ્રકાશ મતિજ્ઞાનાદિ તરીકે ઓળખાય છે. દીવાલે વગેરે બધું જ દૂર થતાં સૂર્ય પ્રકાશ અસ્પષ્ટ નથી રહેતું પણ સંપૂર્ણપણે સ્પષ્ટ રૂપે છે. અને તે બારીઓને પ્રકાશ નથી કહેવાતે. બારીના પ્રકાશથી જુદો ગણાય છે. તેવી જ રીતે કેવળજ્ઞાનાવરણીય તેમજ મતિજ્ઞાનાવરણાદિના સર્વથા નાશથી ઉત્પન્ન થતું યથાવસ્થિત વસ્તુને ઓળખાવતું સ્પષ્ટ જ્ઞાનરૂપ કેવળજ્ઞાન મતિજ્ઞાનાદિ રૂપે નથી ગણાતું પણ મતિજ્ઞાનાદિથી જુદું ગણાય છે. તેથી કેવળજ્ઞાન વખતે મતિજ્ઞાનાદિની વિદ્યમાનતા નથી મનાતી. અન્ય આચાર્યો કેવળજ્ઞાન વખતે મતિજ્ઞાનાદિની હાજરી માને છે. પરંતુ જેમ સૂર્યના પ્રકાશમાં ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર, તારા, મણિ, અગ્નિ, લાઈટ વગેરેને પ્રકાશ આવરાઈ જાય છે તેમ કેવળજ્ઞાન વખતે ચારે જ્ઞાનની પ્રભા ઢંકાઈ જાય છે. ' દ્રવ્યથી કેવળજ્ઞાની રૂપી–અરૂપી સર્વ દ્રવ્યને જાણે-જુવે. છે અને ક્ષેત્રથી , લેક–અલેક સર્વ ક્ષેત્રને ,, ,, કાળથી ત્રણે કાળ એકસાથે જાણે-જૂએ. ભાવથી , સર્વ જીવ-અજીવના સર્વભાવને જાણે-જુવે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005577
Book TitlePadarth Prakash Part 03
Original Sutra AuthorN/A
AuthorHemchandravijay
PublisherSanghvi Ambalal Ratanchand Jain Dharmik Trust
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy