SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ આ સિવાય પણ જંબુદ્રીપના ક્ષેત્રમાં આવેલી અનેક વસ્તુઓનો પરિચય કરાવ્યો છે. સાતમા છેલ્લા વક્ષસ્કારમાં દિવસ રાત કેવી રીતે થાય છે જંબુદ્રીપમાં બે સૂર્ય અને બે ચન્દ્ર મેરુપર્વતને પરિક્કમા આપી રહ્યા છે. અને આમ માનીએ તો જ દિવસ રાતની વ્યવસ્થા ઘટી શકે. આપણા અને અમેરિકાના દિવસ રાતને વચ્ચે દશ કલાકનું આંતરૂં કેવી રીતે ઘટે છે. એનું નિરાકરણ આ માન્યતાને અનુસરીએ તો જ સિદ્ધ થઇ શકે. અને શિયાળામાં રાત મોટી દિવસ નાના અને ઉનાળામાં દિવસ મોટો અને રાત નાની કયી રીતે થાય એ પણ ઉપરોક્ત માન્યતાથી જ ઘટી શકે છે. આમ અત્યારના વ્યવહારમાં ૨૭ ગ્રહો મનાય છે. પણ જૈનધર્મ ૮૮ ગ્રહો માને છે. જ્યોતિષ્કના પાંચે ય તત્ત્વો તારા નક્ષત્ર ગ્રહ સૂર્ય ચન્દ્ર એ ઉત્તરોત્તર એક એકથી ચઢીયાતા છે અર્થાત્ મોટા છે અને સમૃદ્ધિમાં પણ વૃદ્ધિંગત છે. આ બધા જ વિમાનો છે. કંઇ પૃથ્વી જેવા ગ્રહો નથી. પણ હિ૨ા પન્ના મોતી અને વિવિધ રાત્રોના બનેલા એ બધા વિમાનો છે. અમેરિકાએ એપોલો ચન્દ્ર પર મોકલી ધાડ માર્યાનો દાવો કર્યો પણ એ દાવો કેટલો પોકળ અને આખી દુનિયાને કેવો ઉલ્લુ બનાવવાના ધંધા જેવો છે એ હવે સિદ્ધ ક૨વાની જરૂરત નથી... એ જ રીતે પૃથ્વી ગોળ છે ફરે છે આદિ બાબતો દિગ્મૂઢ કરનારી છે. આ બાબત અમારા પરમતા૨ક પૂજ્ય ગુરુદેવશ્રી (અભયસાગરજી મ.) એ અનેક સંશોધનો દ્વારા સાબિત કરી આપી છે. આ વિષે સાહિત્ય પણ પુષ્કળ પ્રકાશિત થઇ ચૂક્યુ છે. (આ વિષે અહીં અનેક પ્રયોગો, ઘટનાઓ એને તર્કો પણ બતાવવામાં આવી હતી) આ સિવાય આ આગમમાં દેવોના નામનું શાશ્વતપણું જણાવ્યું છે. એકથી માંડીને શીર્ષપ્રાહેલિકા સુધીના ગણિતનું વર્ણન પણ જણાવ્યું છે. ૠષભદેવપ્રભુ પૂર્વના પંદ૨ કુલગરનું વર્ણન બતાવ્યું છે. દેવલોકમાં જ્યાં પરમાત્માની દાઢા રાખવામાં આવે છે ત્યાં દેવતાઓ કેવી મર્યાદાનું પાલન કરે છે એ જણાવ્યું છે. ચક્રવર્તી તમિસ્રા ગુફામાં કાકિણી રત્નથી પોતાનો પરિચય કેવી રીતે આલેખ એ બીના પણ પ્રસ્તુત કરી છે. આ રીતે સાત વિભાગમાં અનેકવિધ બાબતો જણાવીને જિનશાસનની મહત્તા પ્રસ્તુત ક૨ી છે. ૫૮ આમાં પરમાત્માની આજ્ઞા, આશય વિરૂદ્ધ જણાવ્યું હોય તે બદલ મિચ્છામિ દુક્કડમ્. aspaspas Jain Education International શાસનનું શાસન-આમમ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005576
Book TitleJinagam Sharanam Mama
Original Sutra AuthorN/A
AuthorAgamoddharak Pratishthan
PublisherAgamoddharak Pratishthan
Publication Year
Total Pages294
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy