________________
આના પ્રથમ વક્ષસ્કારમાં પરમાત્મા મહાવીર પ્રભુના જીવન ચરિત્રનું વર્ણન છે.
બીજા વક્ષસ્કારમાં યુગલિક કાળમાં જન્મ ધારણ કરતાં યુગલીયાઓનું વર્ણન છે તેઓ અલ્પકષાયી હોય છે અને મરીને નિયમા દેવગતિમાં જનારા હોય છે.
એ પછી ભગવાન આદિનાથનું વર્ણન બતાવ્યું છે.
અને ચોથો આરો, પાંચમો આરો અને છઠ્ઠો આરો કેવો ? એ કાળમાં દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ કેવા ? આદિનું વર્ણન છે.
પલ્યોપમ એટલે શું એના કેટલા પ્રકાર ? એનું પ્રમાણ શું ? એજ રીતે સાગરોપમ એટલે શું ? એના કેટલા પ્રકાર ? એનું પ્રમાણ શું ? એનું વર્ણન બતાવવામાં આવ્યું છે.
જૈન ગણિતની વિસ્તૃત સમજણ આપવામાં આવી છે.
ત્રીજા વક્ષસ્કારમાં ભરત ક્ષેત્રના મધ્ય ખંડની મધ્યમાં આવેલી અયોધ્યાનગરનું વર્ણન કર્યું છે. દુનિયામાં શ્રેષ્ઠ આકાર તરીકે ગણાતા અષ્ટ મંગલનું સ્વરૂપ જણાવ્યું છે. મહારાજા ભરતે અટ્ટમ કર્યો એ વાત પણ આમાં છે. ભરત મહારાજાએ દિગ્વિજય કેવી રીતે કર્યો ? એની ચક્રવર્તીય ઋદ્ધિ કેટલી એનું સવિસ્તાર બયાન છે.
આ ક્ષેત્રના અધિષ્ઠાયક દેવનું નામ ભરત હોવાથી ક્ષેત્રનું નામ પણ ભરતક્ષેત્ર રહ્યું છે.
ચોથા વક્ષસ્કારમાં જંબૂદ્વીપમાં ભૌગોલિક સ્વરૂપ બતાવ્યું છે. જંબૂદ્વીપ કેટલો ? એમાં ક્ષેત્રો કેટલા ? પહાડ કેટલા ? નદીઓ કેટલી ? એના માપ વિગેરે કેટલા ? એનું વર્ણન છે.
પાંચમાં વક્ષસ્કારમાં અરિહંત પરમાત્માના જન્મ કલ્યાણકનું વર્ણન છે. તે વખતે છપ્પન દિક્યુમારિકાઓનો કેવો વ્યવહાર કેવો ઉત્સાહ અને જન્મકલ્યાણકને ઉજવવાની કેવી રીત ભાત ? એનું સ્વરૂપ બતાવ્યું છે. અને તે વખતે ઇન્દ્ર મહારાજાઓના સિહાસનો કેવી રીતે કંપે છે ? બળદના રૂપને ધારણ કરવું આદિ વિગતોને સ્પષ્ટ કરી છે. આપણે જો સ્નાત્રપૂજાદિ મહોત્સવ આયોજીએ છીએ એનું મૂળ આ પાંચમો વક્ષસ્કાર છે.
છઠ્ઠા વક્ષસ્કારમાં જંબૂદીપની કિનારે આવેલા અને લવણ સમુદ્રના કિનારે આવેલા ચરમ પ્રદેશનું વર્ણન કર્યું છે.
કેટલું બારીક વર્ણન છે આ ? પ્રદેશ એટલે કેટલી ઝીણી વસ્તુ... એક ઇંચ X એક ઇંચની જેટલી જગ્યામાં તો અસંખ્ય પ્રદેશ આવી જાય આવા બારીક | પ્રદેશનું વર્ણન જણાવ્યું છે.
::
આ
અરિહંતનું આરાધન-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org