________________
- જંબુઢીપ પ્રજ્ઞપ્તિ
આપણી અઢાર દિવસ લગભગ ચાલેલી આગમ પરિચય વાચનામાં તમામ
આગમોનો પરિચય અલગ અલગ પૂજ્યોએ સુંદર રીતે કરાવ્યો એમાં કારણસર આ આગમ જેનું નામ જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ છે. નો પરિચય રહી જવા પામ્યો છે.. કામકે આગમ પરિચય વાચનાના દિવસો વહી ગયા બાદ આસોની શાશ્વતી ઓળીના અસજ્જાયના દિવસો આવ્યા અને એ પછી બીજા એટલા બધા આયોજનો થતાં રહ્યાં જેથી આ આગમને ન્યાય આપવાનો ચાન્સ જ ન મળ્યો. પરંતુ આજે ગમે તેમ કરી સમય કાઢ્યો અને સંક્ષેપમાં પરિચય આપવાનું ગોઠવ્યું છે.
અગિયાર અંગમાં છઠ્ઠું જે જ્ઞાતાધર્મકથા નામનું અંગ છે એનું જ આ ઉપાંગ છે. આમાં છ વક્ષસ્કાર છે. વક્ષસ્કાર એટલે વિભાગ આના છઠ્ઠા વક્ષસ્કારમાં સવિશેષ વર્ણન જંબુદ્રીપનું હોવાથી જંબુદ્રીપ પ્રજ્ઞપ્તિ નામ રાખવામાં આવ્યું છે.
આ આગમ ઉપર છ પૂજ્યોએ ટીકા બનાવી છે એ છ પૂજ્યશ્રીઓના નામ આ
મુજબ છે.
પૂ. આ. શ્રી હેમચંદ્રસાગરસૂરિજી
૧) પૂજ્ય મલયગિરિ મ. ૨) પૂજ્ય હીરવિજયસૂરિજી મ. ૩) પૂજ્ય મહોપાધ્યાય ધર્મસાગરજી મ. ૪) પૂજ્ય પુણ્યસાગરજી મ. (૫) પૂજ્ય બ્રહ્મર્ષિ મ. ૬) પૂજ્ય શાંતિચન્દ્ર ગણીજી .
૫૬
છઠ્ઠા પૂજ્યશ્રીની ટીકા સુવિસ્તૃત હોવાથી મોટી છે એનું નામ પ્રમેયરત્નમંજૂષા છે. આ આગમને તે જ ભણી શકે જેનો દીક્ષાપર્યાય કમ સે કમ દશ વર્ષનો હોય. ચાર પ્રકારના અનુયોગમાં આ આગમ ગણિતાનુયોગમાં ગણી શકાય.
Jain Education International
સૃષ્ટિનું શુધ્ધદર્શન-આગમ
For Personal & Private Use Only
www.jainelibrary.org