________________
આ છત્રીશ પદોમાં એટલું બધું વર્ણન છે જો એને વ્યવસ્થિત સમજવામાં આવે તો લગભગ જિનશાસનના મુખ્ય બધા જ વિષયોનો બોધ થઈ જાય.
છતાં સંક્ષેપમાં જીવ અને અજીવનું વિશેષ વર્ણન છે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય આ પાંચેય સ્થાવરકાયના જીવોનું લક્ષણ જણાવ્યું છે.
વિકસેન્દ્રિય જીવોની સ્થિતિનું વર્ણન પણ છે.
નારક, તિર્યંચ, મનુષ્ય અને દેવ એમ ચારે ય પંચેન્દ્રિયનું વર્ણન પણ જાણવા જેવું છે.
દારિક, વૈક્રિય, આહારક, તેજસ, કાર્મણ આદિ પાંચ શરીરની બાતમી સમજાવવામાં આવી છે.
પરિહાર વિશુદ્ધિ નામના ચારિત્રનું પાલન સાધુઓ કેવી રીતે કરે એની જાણકારી દીધી છે.
અને જિનશાસનની મહત્ત્વની દેન જે કર્મ સિદ્ધાન્તની પ્રરૂપણ એનું પણ સુંદર અવગાહન કરાવ્યું છે.
સ્ત્રીઓના મોક્ષનું પ્રતિપાદન બહુ સારું કર્યું છે. એથી દિગંબરોની માન્યતા કે સ્ત્રીઓ મોલે ન જઇ શકે એ વાતને રદ્દીઓ આપ્યો છે.
આ સિવાય ઘણું બધું વર્ણન આમાં છે.
નોંધ : પૂ. પ્રદ્યુમ્નવિમલસૂરિ મહારાજે પોતાના વક્તવ્યમાં શ્રોતાજનોને સાંભળતા જરા ય કંટાળો ન આવે અને સતત રિલેકસ અને ફ્રેસ રહે એ માટે રમૂજી ટુચકાઓ ઢગલાબંધ રજૂ કર્યા હતાં પરંતુ અહીં એને ગોણતા આપવાનો પ્રયાસ કર્યો છે.
સૂર્યપ્રજ્ઞપ્તિ :
આ આગમનો અધિકાર ચંદ્રપ્રજ્ઞપ્તિને મળતો જ છે. માટે એનું વિવરણ આવતીકાલે ચંદ્રપ્રજ્ઞપ્તિમાં સાંભળી લેવા ભલામણ.
દ્રષ્ટિનો દિશાપલટો-આગમ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org